SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ શીતાદહન ] જેની પ્રાપ્તિની ઇચ્છાથી જ બ્રહ્મચર્યનું આચરણ કરવામાં આવે છે, [ ૫૩૧ આપની દિવ્ય વિભૂતિઓ કહે - હે પુરુષોત્તમ! હે ભૂતભાવન! હે ભૂતેશ! હે દેવદેવ! હે જગત્પત ! આત્મસ્વરૂપ એવા આપ પિત, આત્મા(પોતા) વડે, આત્મા(પોતા)ને જાણે છે. ઉદ્દેશ એ કે, આત્મસ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ જાણવાની ઈરછા હોય તેમણે પ્રથમ તે ભગવાનના આત્મસ્વરૂપ સાથે તાદામ્ય કરવું જોઈએ. એટલે પૂર્ણ રીતે ઐક્ય કરીને જ અર્થાત આત્મા વડે જ આત્માને ઓળખી શકાય છે. આથી અને અત્રે ભગવાનને કહ્યું છે કે આપ પોતે, પોતા વડે જ પોતાને પિતામાં જ (ઐક્યભાવ વડે) એળખી શકે છે, નહિ કે બીજા પણાથી એટલે દૈતની ભાવના વડે; માટે ભગવન! મારી નમ્રભાવે એવી પ્રાર્થના છે કે જે વાસ્તવિક દિવ્ય એટલે ચિતન્ય કિંવા આત્મસ્વરૂપ જ છે એવી આપની વિભૂતિઓ બિલકુલ શેષ નહિ રહે એવા પ્રકારે કહેવાને આપ જ યોગ્ય ડો. કે જે વિભૂતિઓ વડે તમે આ લોકને વ્યાપીને રહેલા છે. આ પ્રમાણે આપની આત્મસ્વરૂપ એવી આ વિભૂતિ જાણવાનું પ્રયોજન એટલા માટે છે કે આપ તે અજન્મા, અચિંત્ય, અનિર્વચનીય, મન, વાણી, તથા બુદ્ધિથી પણ પર એવા . આત્મસ્વરૂપ એવા આપના સ્વરૂપનો પાર તે મારા જે પામર શી રીતે પામે? પરંતુ આપ આ લોકની અંદર, આત્મસ્વરૂપે જ બિરાજેલા છે. અર્થાત જેમાં આપને (આત્મા) અંશ છે એવી સર્વ વિભૂતિઓ અશેષણ એટલે બિલકુલ શેષ નહિ રહે એ પ્રકારે કહે. આપની આવી દિવ્ય અર્થાત ચૈતન્ય કિંવા આત્મસ્વરૂપ વિભૂતિઓ આપના સિવાય બીજો કેણ કહી શકે તેમ છે ? कथं विधामहं योगिरस्त्वां सदा परिचिन्तयन् । केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥ १७ ॥ विस्तरेणात्मनो योग विभूतिं च जनार्दन । भूयः कथय तृप्तिहिं शृण्वतो नास्ति मेऽमृतम् ॥१८॥ ગ તથા વિભૂતિએ વિસ્તારપૂર્વક કહે અજુન નમ્રભાવે કહી રહ્યો છે કે હે ગિન ! આપના નિર્ગુણ કિવા અનિર્વચનીય સ્વરૂપનું ધ્યાન કરવા અશક્ત એવા મારા જેવા પામરને માટે આ જગતની અંદર કઈ કઈ સગુણ વિભૂતિઓમાં આપનું ધ્યાન કરવું ઇષ્ટ છે કે જે ધ્યાન કરવાથી પણ પર્યાયે આપના અનિર્વચનીય એવા સાચા સ્વરૂપને જાણી શકાશે? માટે આપે પ્રથમ કહ્યા પ્રમાણે આપનું નિત્યપ્રતિ ચિંતન કરી હુ આપના. સાચા સ્વરૂપને શી રીતે જાણી શકે તસ્માત છે ભગવાન ! કયા કયા સ્થળે આપ ચિંતન કરવા યોગ્ય છે, તે બધી આત્મસ્વરૂપ એવી તમામ વિભૂતિઓ મને વિસ્તારપૂર્વક કહો. કેમ કે હે જનાર્દન! આપે પ્રથમ (અધ્યાય ૯, શ્લ૦ ૧૬ થી ૧૯)માં આપની આત્મસ્વરૂપ એવી કેટલીક સૂક્ષ્મ વિભૂતિઓ ઘણું સંક્ષેપમાં કહેલી છે. સિવાય તે તમામ વિભૂતિઓ આત્મસ્વરૂપ જ છે એવા પ્રકારે જે જાણે છે તે જ તત્ત્વ દૃષ્ટિએ ખરો જાણનારો છે, એવા પ્રકારે જાણુના જ વાસ્તવિક મારા યોગને જાણવાવાળો છે એમ આપે પ્રથમ કહ્યું છે; તે આપ આપના આત્મસ્વરૂપમત યોગ અને સર્વ વિભૂતિઓને પા કરીને વિસ્તારપૂર્વક કહે. કેમ કે આપનાં અમૃત જેવાં આ વચનો સાંભળતાં મને તૃપ્તિ થતી નથી. ભાવાનુવાદहन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः । બાપાન્થસ એક સાચો વિરહ જે જ છે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy