SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬] यसदमामनन्ति [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ ૧૦/૧૦ અર્થાત મનના સંકલ્પ વડે ઉત્પન્ન થયેલા ભાવો છે. તાત્પર્ય એ કે, વેદનું સાચું સ્વરૂપ જાણનાર (૧) ભગુ (૨) મરીચિ (૩) અત્રિ (૪) પુલરત્ય (૫) પુલ (%) ક્રતુ અને (૭) વસિષ્ટ એ સાત સર્વજ્ઞ અને વિદ્યા સંપ્રદાયના પ્રવર્તકે મુખ્ય મહર્ષિએ; (૧) સનકુમાર (૨) સનક (૩) સનંદન અને (૪) સનાતન એ ચાર કુમારે; (૧) (૨) વસિષ્ઠ (૩) ક્રતુ (૪) અંગિરા (૫) મનુ (સ્વાયંભુ૫) (૬) પુલરત્ય (૭) પુલહ (૮) ગૌતમ (૯) રેલ્પ (૧૦) મરીચિ (૧૧) વન અને (૧૨) દક્ષ, એ બાર પ્રજાપતિ છે. આ પ્રજાપતિ પિકી જેઓનાં નામ સપ્તર્ષિઓમાં તથા પ્રજાપતિ એમ બંનેમાં છે, તેઓ બંને અધિકાર ભોગવનારા છે, એમ જાણવું. તથા ચૌદ મનુઓ (3) વાયંભુવ (૨) સ્વારોચિય (૩) તમિ (૪) તામસ (૫) રેવત (૬) ચાલ (૭) વૈવસ્વત (૮) સાવણિ (૯) દક્ષસાવર્ણિ (૧૦) બ્રહ્મ સાવર્ણિ (૧૧) ધર્મ સાવર્ણિ (૧૨) સાવર્ણિ (૧૩) રૌચ કિંવા દેવસાવર્ણિ અને (૧૪) ઈન્ડસાવણિ આ બધા મારા સાયા આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવી આપનારું એકમેવ એવું સાધન જે વે જ છે, તેનો અર્થ સારી રીતે જાણુનાર અને વિદ્યાના ચૌઢ પ્રથાનોના નાનવાળા તથા વેદ સંપ્રદાયની પ્રવૃત્તિ કરનારા છે. બ્રહ્માંડ મધ્યે આવેલી આ બંધી તેઓની જ પ્રળ છે. તે બધા આત્મસ્વરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)ના મનને સંકઃપવડે ઉત્પન્ન થયેલા ભાવો કિછે મારી વૃત્તિઓ ૩૫ હેવાથી વાસ્તવમાં મારા રવરૂપભૂત જ છે. एतां विभूति योगं च मप्र यो वेति तस्वतः । સોશિન યોન શુક્ય રાત્ર શશશ: Iછા મારી વિભૂતિને આત્મરૂપે જાણનારે જ ખરે જ્ઞાની છે છે. એટલે આ બધું આત્મસ્વરૂપ છે. આત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ એવા પ્રકારે મને જાણનારી મારી આ વિભૂતિઓને તદષ્ટએ અર્થાત આ બધું તત એવા આત્મા વા બ્રહ્મસ્વરૂપ છે એવા પ્રકારની દષ્ટિ વડે જે જાણે છે તે અવકંપ યોગ સાથે એટલે આત્મા સાથે એક્ય થવારૂપ અચલ બેગ સાથે જોડાયેલું છે, એમ નિઃશંક જાણવું, તાત્પર્ય એ કે, ઉપર જે મહર્ષિ, કુમાર, પ્રજાપતિ તથા મન વગેરે કહેવામાં આવ્યા છે, તેમાં એટલે આત્મા હોઈ અડત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવી રીતે મારે યથાર્થ સ્વરૂપને જાણતા હોવાથી મારાથી અભિન્ન છે. એ રીતે જેઓ મારી વિતિને યથાર્થ રીતે જાણે છે તેઓ હું એટલે આત્મા છે એમ સારી રીતે અનુભવે છે. અર્થાત તે પિતાને શરીરધારી નહિ સમજતાં આત્મસ્વરૂપે જાણે છે તે જ યથાર્થ જ્ઞાનવાળા છે એમ સમજવું. આ પ્રમાણે આત્મસ્વરૂપ યોગને વિષે તે અચલ એટલે જરા પણ ચલાયમાન ન થતાં પિતાસહ આ બધું આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારે આત્મા સાથે જ નિત્યપ્રતિ તદાકાર થવા પામેલે છેતે જ મારી આ બધી વિભૂતિઓ આત્માથી અભિન છે એમ યથાર્થ રીતે જાણી શકે છે. સારાંશ એ કે, જે પોતે પિતાને, મને તથા આ જગતાદિ તમામ દસ્ય આત્મરૂપ છે, તે કરતાં ભિને કાંઈ છે જ નહિ એ પ્રમાણે મારા આત્મસ્વરૂપના વિસ્તાર તથા તે વિસ્તાર કરવાના યોગ અર્થાત વાણી, મન અને અદ્ધિ વડ જે જે સ્કરણ થાય તે તમામને આ આત્મસ્વરૂપ હાઈ આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારની યુતિ વડે એકત્ર કરવારૂપ મને યથાર્થ રીતે જાણે છે તે જ ખરો જાણકાર કહેવાય તથા જે તે પ્રમાણે જાણતા નથી તે અજ્ઞાની કિંવા મૂઢ કહેવાય. આ રીતે મારી વિભૂતિને જાણનારે જ મને યથાર્થ જાણે છે એમ સમજવું. अहं सर्वस्य प्रभवो मुत्तः सर्व प्रवर्तते । इति मृत्वा भजन्ते मा बुधा भावसमन्धिताः ॥८॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy