SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪] વારંવાર તત્તર . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ. ૧૦૬ પ્રમાણે સમજવાનો દાવો કરે તો તે શી રીતે શકય છે? માટે ભગવાને અને આત્મસ્વરૂ૫(વૃક્ષાંક ૧)માં સ્થિત રહીને કહ્યું છે કે મારા મૂળ સ્થાનને દેવતાઓના ગણે યા તે મહર્ષિએ પણ જાણી શકતા નથી, કેમ કે તે જાણવા પણાથી પર છે, એટલું જ નહિ પરંતુ તેમનું સર્વ પ્રકારનું આદિ મૂળ હું જ હોવાથી તેઓ મને કેવી રીતે જાણી શકે ? यो माम जमनादि च वेत्ति लोकमहेश्वरम् । असम्मुढः स मत्र्येषु सर्वपापैः प्रमुच्यते ॥३॥ મારા સાચા સ્વરૂપની ઓળખ હું અજન્મા એટલે જેનો કદી જન્મ જ થયો નથી અર્થાત વંધ્યાપુત્ર જે અનાદિ એટલે જ્યાં આદિના પણું સંભવ નથી, સર્વ લોકેન મહેશ્વર અર્થાત સાક્ષીરૂ૫ ઈશ્વર(કક્ષાંક ૨) ભાવથી પણ પર એ પરમેશ્વર કિવા આત્મા(ક્ષાંક ૧) છે. એવા પ્રકારે જે મને અર્થાત મારા સાચા આત્મસ્વરૂપને જાણે છે તે અમૂઢ કિવા મોહપણાથી રહિત બની સર્વ પાપો થકી છૂટી જઈ મયંકમાંથી અત્યંત મુકત થાય છે. સારાંશ એ કે, જેઓ મને આ કૃષ્ણ એટલે શરીરધારી દેખાય છે એવો નહિ પણ જેનો કદી જન્મ જ થયો નથી તથા જેમાં આદિપણાનો પણ કિંચિત્માત્ર અંશ નથી, જે અનિર્વચનીય અને સર્વ કેન મહેશ્વર છે (મહેશ્વર એ આત્માની સંજ્ઞા છે વૃક્ષાંક ૧ જુઓ), એમ જે જાણે છે તે જ સર્વ પ્રકારનાં પાપથી મુક્ત થઈ આ મર્યલોકમાંથી મોહ રહિત થઈ શકે છે. આમાં ભગવાને જેઓ પોતાને આત્મસ્વરૂપે નહિ જાણુતાં આકૃતિધારી કૃષ્ણરૂપે જાણે છે તેવા અતિ મૂઢ તથા પાપીઓ હેઈ જન્મમરણનાં પાશમાં બંધાયેલાં છે એમ કહેલું છે અને જેઓ મને અજન્મા, આદિને પણ જ્યાં અભાવ છે એવા, સર્વ લોકેન મહેશ્વર અર્થાત અનિર્વચનીય આત્મા(વૃક્ષાંક ૧)રૂપે જાણે છે તેઓ પાપ તથા મેહથી રહિત બની જન્મમરણના પાશમાંથી છૂટી જીવન્મુક્ત થઈ શકે છે, એમ જણાવી પોતાનું સાચું રવરૂપ આત્મા છે એવું સ્પષ્ટ રીતે કહેલું છે. बुद्धिनिमसम्मोहः झुमा सत्यै दमः शमः । सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥४॥ भहिसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः । भवन्ति भावा भूताना मृत्त 'एव पृथग्विधाः ॥५॥ તમામ ભાવે મારાથી જ થયા છે બુદ્ધિ, જ્ઞાન, અસમેહ એટલે મૂઢતારહિતપણું, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ભવ એટલે ઉત્પત્તિ, અભાવ એટલે નાશ, ભય, અમય, અહિંસા, સમતા, તુષ્ટિ એટલે તેણ, તપ, દાન, કચ્છ, અવશ ત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પ્રાણીમાત્રને મારાથી જ થાય છે. ભાવે એટલે અવસ્થા, સ્થિતિ અથવા વૃત્તિ. સાંખ્ય શાસ્ત્રકાર બ્રહ્મનું સ્વરૂપ બતાવવાને માટે પ્રકૃતિ પુરૂના વિવેકનો આશ્રય કરે છે તથા સંખ્યાઠા સમજાવે છે (આ માટે અધ્યાય ૨ તથા ૫ માં વિસ્તૃત વિવેચન આપેલું છે). ભામાં બુદ્ધિના અને - બુદ્ધિ, જ્ઞાન ઇત્યાદિના અર્થો ઇતરત્ર આપેલા છે તથા આમાં કહેલા ઘણાખરા અર્થો તે વ્યવહારમાં પ્રસિદ્ધ હેવાથી અત્રે આપવામાં આવ્યા નથી. જિજ્ઞાસુએ તે અન્યત્ર જેવા.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy