SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ 1 તે દુશ qzમનુગ્રવિ-- [ સિદ્ધાન્તકાહ ભ૦ ગી. અવે હરિ पिताहमस्य जगतो माता धाता पितामहः । वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ॥१७॥ પિતા, માતાદિ પણ હું જ છું હે પાર્થ ! વિશેષ શું કહું? આ સમત જગત પિતા, માતા, ઘાતા(ધારણ કરવાવાળા), પિતાને પણ પિતા અને પિતામહ તથા સર્વય (જાણવાની વસ્તુઓમાં જાણવા જેવો) એક હું જ છું અને એ હું એટલે આત્મા(વૃક્ષાંક ૧) છે. એટલે આત્મસ્વરૂપ એવા મને જાણ્યા પછી બીજું કાંઈ પણ જાણવાનું બાકી રહેતું જ નથી એવો એક હું જ છે, મારાથી બીજે કઈ પવિત્ર નથી. કાર, ઋક્, યજુસ અને સામવેદ પણ હું જ છે, અને તેવો હું તો અનિર્વચનીય એવા આત્મા(વૃક્ષાંક ૧)રૂપ છે. તાત્પર્ય એ કે, સર્વ બ્રહ્માદિ જગતાદિ કાર્ય પ્રકૃતિને ઉત્પન્ન કરનારો બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) હોવાથી તે સર્વનો પિતા કહેવાય છે, પરંતુ હું તો કાર્ય પ્રકૃતિને સૃજનાર કારપ્રકૃતિ(ક્ષાંક ૬ થી ૧૨) તથા આ કારણે પ્રકૃતિની પણ સર્જક એવી મહાકારણ પ્રકૃતિ(વૃક્ષાંક ૩થી ૫)ને પણ સૃજનાર સર્વ પિતાઓનો પણ પિતામહ અર્થાત આત્મસ્વરૂપ(કક્ષાંક ૧)છે. આ આત્મસ્વરૂપ એવા મને સૃજનાર બીજો કોઈ નથી તેથી હું જ સર્વને પિતામડ છું. વળી મહાકારણરૂપ પ્રકૃતિ અથવા માયા (ક્ષાંક ૩) એ સર્વ જગતને ત્રણ ગુગ વડે સજે છે, તેથી તે સર્વની માતા ગણાય છે તથા ઈક્ષણ શક્તિરૂ૫ કાળસ્વરૂપે તેને પ્રેરક ઈશ્વર (ક્ષાંક ૨). હેવાથી તે સમસ્તનો પિતા ગણાય છે તેમજ આ પ્રકૃતિ એટલે માતા અને પુરુષ એટલે પિતા એ રીતના વિવેક વડે જાણવામાં આવતું તત્વ વાસ્તવિક રીતે તો અમસ્વરૂપ એવા હું (વૃક્ષાંક ૧ )રૂપ જ છે; અને જે બધાં કરતાં પવિત્રમાં અતિ પવિત્ર ગણાય છે એ જ અક્ષરનું પણ આદ્ય બીજ એ કાર છે. તે અક્ષર છે તેમ જ તે સર્વજ્ઞાનસમૂહ અને યજ્ઞના મૂળ બીજ ૨૫ કફ, યેળ તથા સામવેદ આદિ સર્વ પણ આત્મસ્વરૂપ એવા હું(ક્ષાંક ૧)૨૫ જ છે. गति र्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् । જમવપ્રાઃ રથાને નવા વીનવમ્ ૨૮ ગતિ, ભર્તા વગેરે પણ હું જ છું ગતિ, ભર્તા (પોષક), પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહા (અકારણ ઉપકાર કરનારો સખા, પ્રભાવ (ઉત્પત્તિ), પ્રલય (નાશ), રથાન એટલે સ્થિતિ, નિધાન એટલે અંતિમ સ્થાન તથા સર્વના બીજ રૂ૫ અવ્યય એટલે નાશ રહિત એવો આત્મસ્વરૂપ હું(ક્ષાંક ૧) જ છે. તાત્પર્ય એ કે, ઈશ્વર (વૃક્ષાંક ૨) પોતાની કાળરૂપ ઈગ શકિતવડે પ્રકૃતિ વા માયાવૃક્ષાંક ૩)ના ત્રણ ગુણોમાં ભ કરે છે. ઈશ્વરની પ્રેરણાત્મક એવી જે આ કાળશકિત તે જ ગતિ કહેવાય, અર્થાત સર્વની ગત આ ઈશ્વર (વક્ષાંક ૨) છે. ભર્તા એટલે સર્વેને પોષણકર્તા, સર્વેને પ્રભુ, ચરાચરને સાક્ષી, વાતવ્યથાન, સર્વેનું શરણ; સમરત ઉપર અકારણે ઉપકાર કરનાર સુદ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું પણ નિધાન અર્થાત્ અંતિમ સ્થાનક; સમસ્ત દશ્યનું બીજમાત્ર, નાશરહિત એટલે અવ્યય એવો આત્મરૂપ (વાંક ૧) જ છે, એમ જાણુ तपाम्यहमहं वर्ष निगृशाम्युत्सुजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥१९॥ શ્રીકૃષ્ણ ભગવાન આગળ નિશ્ચયપૂર્વક કહે છે કે હે અર્જુન! તું મને હું આ શરીરધારી એ કૃષ્ણ કિંવા તારા મામાનો છોકરો છું એમ નહિ સમજ. તારી તેવી સમજ દૂર કરવાને માટે હું કાણું
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy