SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦ ] પૃચા પીશ નડિયal a b. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અ ૧૬ જ્યાં સુધી તેને પ્રકાશ ન થાય ત્યાં સુધી તે પ્રકાશમાન છે એમ જાણી શકાતું નથી, તેમ આ માયા અથવા પ્રકૃતિરૂપ હું (વૃક્ષાંક ૩)ના પ્રાકટ્ય ઉપરથી જાણી શકાય છે કે આ હું ને કોઈ સાક્ષી હે જોઈએ. આ સાક્ષી એજ યજ્ઞપુરુષ (વૃક્ષાંક ૨) ડેઈ માતા યા પ્રકૃતિરૂપ “હું” (વૃક્ષાંક ૩) આ યજ્ઞરૂપ બાળકને જન્મ આપશે એમ કહેવામાં આવેલું છે તથા આગળ જ્યારે માતા (વૃક્ષાંક ૩ રૂ૫ હું) પ્રસૂતા થાય છે ત્યારે કહે છે કે તેણે યારૂપ બાળકને જન્મ આપ્યો. આ પ્રમાણે આ યજ્ઞરૂપ પુ (વૃક્ષાંક ૨)નું ફરીથી ઉત્પન્ન થવું તે મરણરૂપ છે તથા તેજ અવભૂથરૂપે અર્થાત્ યજ્ઞની સમાપ્તિરૂપે છે, એમ કહેવામાં આવેલું છે. એને ઉદ્દેશ એ છે કે જેમ મનુષ્ય અને તેની છાયા એ બંને પરસ્પર સાપેક્ષ હોવાથી એક બીજાને છોડીને કદી રહી શકતાં નથી તેમ આ હું (વૃક્ષાંક ૩) એવા ભાવની ઉત્પત્તિ થવાથી તે પરથી જાણી શકાય છે કે આ હું કહેવાની પ્રેરણા કરનારો કાઈક હોવો જોઈએ એ સ્પષ્ટ થાય છે. હવે વાસ્તવિક રીતે આ હું ને પ્રેરણ કરનારે સ્વતઃસિદ્ધ છે, છતાં જ્યાં સુધી આ ડુંરૂપ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)નું અસ્તિત્વ હેતું નથી ત્યાં સુધી તેને પ્રેરણું કરનારો કે સાક્ષી છે, એવી સિદ્ધિ પણ થતી નથી. આ ન્યાયાનુસાર ઉપર કહેવામાં આવેલું છે કે જ્યારે માતા (વક્ષક ૩)હું રૂપે પ્રતા (પ્રકટ) થાય છે ત્યારે તેણે યજ્ઞરૂપ બાળક (વક્ષાંક ૨)ને જન્મ આપ્યો એમ કહેવાય છે. હવે જ્યારે આ હુંરૂપ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને પોતે આત્મા (વક્ષાંક ૧) છે એવી રીતે પિતાના સાયા સ્વરૂપનું ભાન થાય છે ત્યારે આ સાલી કિંવા યજ્ઞરૂ૫ બાળકને વિલય અનાયાસે જ થઈ જાય છે. આનું નામ જ આ યજ્ઞ પુરાનું ફરીથી ઉત્પન્ન થયું. એટલે આત્મા(વૃક્ષાંક ૧)માં હું ભાવ (વૃક્ષાંક ૩) વરતુતઃ નહિ હોવા છતાં પણ તેમાં હું ભાવનો ભાસ થવો અને તે ઉપરથી તેનો કોઈ પ્રેરણાત્મક સાક્ષી શુદ્ધ હ હોવો જોઈએ એવા ભાવની ઉત્પત્તિ થતી તથા તેનો વિષય તો જ્યારે આ હું (પ્રકૃતિ વૃક્ષાંક ૩)ને પોતે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે, એવું જ્ઞાન થાય ત્યારે જ થાય છે. આમ તેમ વિલય હે એ જ તેના મરણરૂપ હેઈ તે જ અવથ અર્થાત યજ્ઞની સમાપ્તિરૂપે છે. એટલે હું એ આત્મા છે એમ જાણું તેને સ્વરૂપમાં વિલયા કરવો. આમ અપરોક્ષાનુભવ એજ યજ્ઞની સમ:તિરૂ૫ છે. (મંત્ર ૫) આ યજ્ઞરૂપી જ્ઞાન તથા તેનું ફળ અંગિરસના પુત્ર ઘોરે દેવકીના પુત્ર શ્રીકૃષ્ણને કહ્યું તથા તેઓ આ સાંભળીને તૃષ્ણા રહિત થયા એવી શ્રતિપરંપરા છે (મંત્ર ૬, જુઓ છાંદો ઉ૫૦તૃપ્રખં૦૧૭, મંત્ર ૫, ૬ શાંકરભાષ્ય). આ વિવેચનથી ખાત્રી થશે કે સાક્ષી, ઈશ્વર, પુરુષ ઈત્યાદિ નામોની સંજ્ઞાઓથી સમજાવવામાં આવેલા ઈશ્વર(વક્ષાંક ૨)નેજ યજ્ઞપુરુષ કહેવામાં આવે છે. તેનો પ્રકૃતિ (વૃક્ષાંક ૩)રૂપ દુના વિલયની સાથે જ વિલય થતો હોવાથી તેને ભગવાન શ્રીકૃષ્ણ ક્ષર પુએ કહેલો છે. સિવાય આ બધું યજ્ઞ રવરૂપ જ છે એવો સ્થળે સ્થળે ભગવાને જે ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે. તેનું મૂળ કારણ પણ આ ઉપરથી સમજી શકાશે. છતાં વધુ સ્પષ્ટતા માટે પુરાણું શાસ્ત્રકારે આ યજ્ઞપુને જ વાસુદેવરૂપે વર્ણવે છે તથા યજ્ઞના તમામ કાર્યોનો એક વાસુદેવમાં જ અંતર્ભાવ કરે છે, તેનું સાધાર વિવેચન જાણવાથી સમજી શકાશે કે જેને શાસ્ત્રોમાં વાસુદેવ, સદાશિવ, યજ્ઞપુ, ક્ષરપુરૂ, સાક્ષી, ઈશ્વર, પુરુષ વગેરે સંજ્ઞાઓ વડે સમજાવવામાં આવે છે તે તત્ત્વ ભિન્નભિન્ન નથી પરંતુ એક જ છે (વૃક્ષાંક ૨ જુઓ). ભરત રાજાને યજ્ઞ તથા કૃષ્ણાર્પણ - આ ખંડ પૂર્વે અજનાભ નામ વડે ઓળખાતું હતું તેજ આ ભરત રાજાના વખતથી ભરતખંડ એવા નામથી ઓળખાય છે. સર્વજ્ઞ અને સ્વધર્મને અનુસરતા આ ભરત રાજાએ પોતાના વડીલોની પેઠે સ્વધર્મથી ચાલનારી પ્રજાઓનું પાલન કર્યું તેમજ વખતો વખત નાના મોટા અનેક યો જેવા કે અમિત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુયાગ તથા સોમયાગ ઇત્યાદિનું પ્રકૃતિ એટલે સમગ્ર અંગે સહિત તથા વિકૃતિ એટલે કમી અંગવાળા તથા યજ્ઞ-યજ્ઞ એટલે સ્મૃતિવર્માનુસાર થતા યજ્ઞો તથા ક્રતુ એટલે શ્રી ધર્માનુસાર થતા યો-ડે ભગવાન યજ્ઞપુરુષ, ઈશ્વર(વૃક્ષાંક ૨)નું હંમેશાં (૧) હતા, (૨) ઉદ્દગાતા, (૩) અધ્વર્યું અને (૪) બ્રહ્મા, એ - જેમ છાયા હેય તે મનુષ્ય હવે જોઈએ તેમ આ હું કહેતાં જ તેને પ્રેરણાત્મક કેઈ હોવો જ જોઈએ એ સ્પષ્ટ થાય છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy