SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ગી દોહન આથી મેં અનિત્ય દ્રવ્ય વડે મેળવી શકાય એવા નાચિકેત નામના અગ્નિને— [૪૧ જીવન્મુક્ત પુરુષ વાણી વગેરેના મેલને શી રીતે ગ્રહણ કરે એટલે આત્મવિત્ એવા પ્રકારની પરમપદની સ્થિતિમાં સ્થિત રહેલા હેાવાને લીધે તેને દોષયુક્ત એવી વાણી વડે ઉત્તર આપવા યાગ્ય ગણાતા નથી. હું તમે જે ઉપદેશ આપી રહ્યો છું તે તા વાણીનેા અભાવ, એકબીજાથી ભિન્નપણું, સંખ્યા, કાળ, પરિચ્છેદ ત્યાદિ જે જે દેષા ઉપર કહ્યા છે, તેનેા આશ્રય લઈ તે જ સમજાવી રહ્યો છું, માટે તેવી કલંકયુક્ત વાણીને વિચાર નહિ કરતાં તેમાંથી ગ્રહણ કરવા યેગ્ય ધ્યેય શું છે તે જાણવા પૂરતા જ તેના ઉપયાગ છે. એવા પ્રકારને સ્તુત્ય ઉદ્દેશ ધ્યાનમાં રાખીને હું તને કહું છું, તે તું સારી રીતે લક્ષમાં રાખ. આમ તત્ત્વદષ્ટિ વડે વિચાર કરવાથી તને જણાશે કે “હું” પેાતે તા આ દેહાદિ દશ્ય વગથી રહિત, સ` કલ્પનાવડે અગમ્ય, અગેાચર, નિવિકાર, નિરાકાર અને તદ્દન શુદ્ધ એવા આત્મા છે અને પરમાત્મ પણ હું જ છે. અરે ! હુ એકલા જ આત્મરૂપ છું એમ નથી પરંતુ તું પણ સ્વચ્છ અને નિર્મળ એવા આત્મસ્વરૂપ છે તેમ આ આખું જગત પણ રવચ્છ, નિમ ળ, પવિત્ર એવા ચૈતન્ય ( આમ )સ્વરૂપ છે. એટલું જ નહિ પરંતુ જે જે કાંઈ છે તે તમામ આત્મસ્વરૂપ જ છે. હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું અને એવા મારા શુદ્ધ જ્ઞાન(આત્મ)સ્વરૂપમાં આત્માથી હું એક અણુમાત્ર પણ કાંઈ બીજાં છે એમ હું કહી શકતા નથી, કેમકે હું' તેા તદ્દન ભેદષ્ટિથી રહિત છું. એવા મારામાં છે કિંવા નથી તથા તેના સાક્ષીપણાને અશ પણ કેવી રીતે સ્પર્શી શકે? આ સિદ્ધાંતને સારી રીતે ધ્યાનમાં રાખીને મારા આગળના કથનને! તું સારી રીતે વિચાર કર. શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે : હે અર્જુન! મે તને પહેલા કહ્યું છે કે મારી પ્રકૃતિને આશ્રય કરીને હુ પણ જાણે પ્રકૃતિના સ્વભાવ અનુરૂપ બની જઈ આ સમગ્ર અવશ એવા ભૂત સમુદાયને ફરી ફરીને ઉત્પન્ન કરુ' હ્યું. તે ઉપરથી તને કદાચ શંકા થશે કે આમ હશે, તેા પછી તમે। હું અકર્તા છું' એમ કહો છે તે સિદ્ધ થતું નથી. તે શંકાના નિવારણતે માટે મેં તને અત્યાર સુધી સારી રીતે સમજાવેલું છે, તે ઉપરથી તારા ખ્યાલમાં આવ્યું તેા હશે જ, છતાં મેધની પરિપકવતા અર્થે કરીથી કહું છું, તે સાંભળ. मा॒तानि॑ कर्माणि निबध्नन्ति धनञ्जय । उदास॒नव॑दासी॒नम॒सत॑ तेषु कर्मसु ॥ ९ ॥ તે કર્મા મને ધનકારક નથી હું ધન’જય ! ઉપર જણાવ્યા પ્રમાણે આ સર્વાં દૃશ્યાદિ વિવરૂપ એવું મિથ્યા જગત નિર્માંણુ કરવાના કામાં આસકિત રહિત એવા જે ‘તત્’ રૂપ હુ” (વૃક્ષાંક ૧ ) તેવા મને તે કર્માં સહેજ પણ બંધન કર્તા નથી; એટલું જ નહિ પરંતુ મારામાં તેને કદી સ્પ પણ થતા નથી, કારણ કે હું તે કર્મોમાં આસકિત વિનાના હાઈ ધરમાં જેમ આકાશ રહે તે પ્રમાણે ઉદાસીનની પેઠે રહેલા છું, આમ કહેવાના ઉદ્દેશ તા એ છે કે તત્ (આત્મા વૃક્ષાંક ૧)માં તત્ત્વતઃ “હું” એ શબ્દ (વૃક્ષાંક ૩) તથા તેના લક્ષ્યાને જે હેતુ કિવા સાક્ષાભાવ(વૃક્ષાંક ૨) છે એ મને છે જ નહિ, એટલે આ ‘“હું” તેમાં છે જ નહિ. આ હુ”નું પ્રાકટય તા ખરેખરી રીતે હુ”” “હું”' એવી સ્ફુરણા(વૃક્ષાંક ૩)થી જ શરૂ થાય છે અને “મારું” “મારું” એવા શબ્દો વડે કહેવામાં આવતા તમામ મમાદિ ભાવા (વ્રુક્ષાંક ૪થી ૧પઘસુધી)ને આ હુ” (વૃક્ષાંક ૩)ના જ આધાર છે. જેમ કડાં, કુંડળ, બંગડી ત્યાદિ અલંકારા સુવર્ણ વિના હાતા નથી તેમ મમાદિ સ` ભાવેનુ અસ્તિત્વ આ ‘હું' (વૃક્ષાંક ૩)રૂપ સામાન્ય ભાવ વિના કદી પણ હોતું નથી. આમ સમમાદિ ભાવેશને જાણનારા જેમ આ હુ” (વૃક્ષાંક ૩) મળી શકે છે, તેમ આ “હું” (વૃક્ષાંક ૩)ને જાણનારા હુ” વિના ખીજે કાઈ મળી શકતા નથી એટલે કે “મારું” “મારું' કહેનારા કાણુ ? તે હુ” છું, એમ મારું કહેનારનું અસ્તિત્વ તે આપણને મળી શકે તેમ છે પરંતુ આ હુ” હુ' (વૃક્ષાંક ૩) એવું કહેનારા કાણુ ? તેનું જુદું અસ્તિત્વ મળી શકતું નથી. તે ઉપરથી એમ ગ્રાહ્ય કરવું પડે છે કે એક “હું” હુ” એવી સ્ફુરણા કરનારા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy