SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] તે ઉમે નાનાવું પુરૂ વિનીતઃ [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૭/રપ તેની પાછળ પડી દુઃખ ભોગવે છે, તે પ્રમાણે મઢે આ મિયા દશ્યાભાસની પાછળ પડી તેને જ સત્ય માની લઈ દુઃખ ભોગવે છે, તથા સ્વમવત દેખાતા મારા શરીરને જ કષ્ણુરૂપ માની લે છે. પરંતુ વાસ્તવિક તે સર્વોત્તમ એવા મારા આત્મસ્વરૂપ વૃક્ષાંક ૧ )ને તેઓ ઓળખતા નથી. ભગવાને આમાં ભક્તિમાર્ગને આશ્રયીઓએ ભકિત કેવી રીતે કરવી તે તદ્દન સ્પષ્ટ કર્યું છે. મારી વ્યક્તિરૂપે નહિ પણ અવ્યક્ત એવા અનિર્વચનીય આત્મસ્વરૂપે ભક્તિ કરનારાઓ જ સાચા ભક્તિમાર્ગના ઉપાસક તેમ નહિ કરનારા મૂઢ વા દાંભિકે છે, એમ અત્રે સ્પષ્ટ કર્યું છે. સર્વોત્તમ પદની પ્રાપ્તિ માટે અવ્યક્ત ભક્તિ એ જ મુખ્ય સાધન છે, એમ જે અત્રે ભગવાને કહ્યું છે તે ખાસ ધ્યાનમાં રાખવું, ના પ્રશઃ સર્ણા થોભાયાતમાકૃત मूढोयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥२५॥ યોગમાયાસમાંવૃતઃ જેમ વાદળાં વડે સૂર્ય કાઈ જવાથી પિતે સ્વયંપ્રકાશ હેવા છતાં પણ તેને પ્રકાશ દેખાતો નથી અથવા સત્રદોષને લીધે ધવડ પક્ષી જેમ સૂર્યના પ્રકાશને પણ અંધકાર દેખે છે, તેમ માયા મિયા યોગમાં અર્થાત મિથ્યાને સત્ય સમજવા૫ અધ્યાસ દૃઢ થવાથી “ કાંઈ નથી” એટલે નાહમ (વૃક્ષાંક ૪ એવા પ્રકારના મિથ્યા આભાસ વડ આવૃત થવાને લીધે મોહ પામેલા આ મૂઢ લાકે અજ એટલે જન્મરહિત, જ્યાં હું એવું કુરણ (વૃક્ષાંક ૩) થવું પણ શકય નથી એવો, અવ્યય એટલે વ્યય રહિત કે જેમાં બાજે કઈ પણ વિકાર કદી પણ સ્પર્શ કરી શકતા નથી એવા આત્મસ્વરૂપ મને (ક્ષાંક ૧)ને જાણતા નથી. તાત્પર્ય એ છે કે, વસ્તુતઃ તરૂપ એ “હું તદ્દન અનિર્વચનીય, નિર્લેપ, વિકાર નહિ પામેલ તથા અસંગ એવો છે. મારામાં બહુ” ભાવ (વૃક્ષાંક ૩)ને લેશમાત્ર પણ સંભવ નથી, છતાં મિથ્યા માયા વડે આ “હુ” ભાવ (વૃક્ષાંક ૩) જાણે કે મારા સ્વસ્વરૂપમાં ઉત્પન્ન થયો ન હોય તેમ ભાસે છે. આ રીતે અનિર્વચનીય એવા મારા એટલે આત્મામાં “હું” એ ભાવ પણ નહિ હોવા છતાં “હું” એવા મિથ્યા કુરણુ ૨૫ ભાસવું એ જ મારી મિયા માયાશક્તિ છે, એમ સમજ. આ “હુ” “હું” રૂ૫ થનારા નિત્ય સ્કુરણને જ યોગમાયા કિંવા અધ્યાસ કહે છે. કાંઈ પણ નહિ હોવા છતાં ફરી ફરીને તેનું તે જ ભાવું તથા વારંવાર તેમ થવાથી તેની દઢતા થવી તેને અધ્યાસ કહે છે. સારાંશ, આ રીતે માયા એટલે જે વસ્તુતઃ કાંઈ છે જ નહિ છતાં આકાશના નીલવર્ણની પેઠે જાણે સત્ય હોય તેમ ભાસે છે, એ જ હું, તું, આ, તે ઇત્યાદિ રૂપે દશ્યમાન થયા જેવી ભાસે છે. તે જ આ સમાત એટલે આત્માને આવ્રત કરનારી યોગમાયા છે, એમ સમજ, અવ્યક્ત અને અવ્યય તત્ત્વની સમજ સમ વા આત્મા તે તદ્દન અનિર્વચનીય અને અસંગ છે, તેમાં આ “હું” ૧૫ ફુરણ થવું કદી પણ શકય નથી છતાં આ “હું એવું હુરણું તે સ્પષ્ટ રીતે ભાયમાન થાય છે, ત્યારે આ “હું” “હુ” કહેનાર કોણ હશે એની શોધ કરતાં “હું” “હું” કહેનારે તે કેઈ જરૂર છે, પરંતુ તે આત્મા નથી, પણ બીજે જ કઈ છે; કારણ કે, આત્મા તે તદ્દન નિકિય છે એ નિશ્ચિત છે. ત્યારે આ “હું” કહેનાર કોણ હશે? એવો વિચાર આ “હું”ને થયો ત્યારે તેને જણાવ્યું કે, આ “હું” “હું” ૨૫ જે મિયા રહરણ થયું તેને જાણનારો તે કોઈ અવશ્ય છે, પરંતુ લક્ષ્યાર્થ વડે જાણી શકાય તેવો છે. તેને જ સાક્ષી, દ્રષ્ટા, ઈશ્વર, પુરુષ (માં પ્રત્યાદિ નામો વડે સંબોધવામાં આવે છે. અહીં ખાસ લક્ષમાં રાખવાનું છે કે, આ સાક્ષી તે મિથ્યા માયારૂપ “હું” (વક્ષાંક ૩)ને છે, આત્મા (વૃક્ષાંક ૧)ને નથી; કેમ કે તેનું અસ્તિત્વ આ મિયા “હું” ૨૫નું સ્કુરણ થાય તે જ હેય છે અને આ “હું” ન હોય તે તેના સાક્ષીમાત્રને વિલય વસ્વરૂપમાં અનાયાસે જ થઈ જવા પામે છે. જેમ મનુષ્ય અને તેની છાયા એ બંને ભાવ પરસ્પર એકબીજાને છેડીને કદી પણ રહી શક્તા નથી, તેમ આ મિથ્યા “હું” (વૃક્ષાંક ૩) અને તેને સાક્ષી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy