SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] (આ સિવાય) બીજે કઈ પણ વર નચિકેતા માગતા નથી. [૪૧૩ તૃણુથી બ્રહ્મદેવ સુધીના તમામ ઐશ્વર્યો પ્રાપ્ત કર્યા પછી પણ અંતે તો આજ એક ધ્યેય સાથે કરવાનું રહે છે તથા મોડા વહેલા તેને જ પ્રાપ્ત કરવાનું રહે છે, એ વાત તદ્દન નિશ્ચિત છે તે પછી ગમે તે ઇચ્છાથી જેઓ આ માર્ગે લાગેલા હોય છે તેઓ સર્વ ઉદાર હદયના અર્થાત કરવાનું કાર્ય કરનારા અથવા તે જે સાધવાનું તે ધ્યેયને સાધ્ય કરવાના પંથે પડેલા એવા શ્રેષ્ઠ કેટીના છે. તેવા સર્વ ભજનિકેમાં (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાથી અને (૪) જ્ઞાની એ ચાર પ્રકારના મારા સર્વે ભજનિકે જો કે ઉત્તમ જ છે; છતાં તેમાં પણ જ્ઞાનીની યોગ્યતા તો ઘણી જ ઉચ્ચ કેટીમાં થાય છે. હે પાર્થ! વધુ શું કહ્યું? આ યુક્તાત્મા એટલે જે હંમેશાં આત્મામાં જ યુકત (રત) થયેલ છે તથા સર્વથી ઉત્તમ ગતિરૂપ એ ડું (વૃક્ષાંક ૧)જ છે તેવા મારામાં જ કાયમને માટે સ્થિત એટલે પર્વતની જેમ તદ્દન (અચળ) સ્થિર થઈને રહેલો છે, તે આ જ્ઞાની એટલે તે સાક્ષાત આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧)જ છે એમ નિશ્ચિત સમજ, તાત્પર્ય કે, આત્મસ્વરૂપ એવો હું એટલે જ જ્ઞાની અને જ્ઞાની એટલે જ હું એ રીતે બંનેમાં અભિનપણું જ છે, એમ જાણ. बहुना जन्मनामन्ते ज्ञानवान्मा प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥१९॥ . આ સર્વ વાસુદેવરૂપ છે હે વત્સ! આ સર્વ વાસુદેવ એવા હું(રક્ષાંક ૨) રૂપ છે તથા એ વાસુદેવ એટલે જ આત્મા (વૃક્ષાંક ૧) છે, એવા પ્રકારનું જ્ઞાન થયું એ કાંઈ નાનીસૂની વાત નથી. અનેક જન્મો પછો જેનો આ છેલ્લો જન્મ હોય, પુનઃ જન્મ આવવાનો જેને કદી સંભવ હોતો નથી. તેવા જ્ઞાનવાન જ આ જે જે કાંઈ દેખાય છે વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિ દ્વારા જાણી શકાય છે. તે તમામ દશ્યજાળ “વાસુદેવ ૨૫ જ’ છે અને હું તે તે વાસુદેવ એટલે આત્મા (વૃક્ષાંક ૧) છે એમ સમજી મને શરણ થાય છે, અર્થાત જે સર્વભાવે પોતાની તમામ વૃત્તિઓને મારામાં જ પરોવી રાખે છે અથવા તો વાસુદેવ એટલે આત્મા છે અને તે આત્મા એટલે હું પોતે જ છું એમ જે સમજે છે એવો મહાત્મા અત્યંત દુર્લોભ હોય છે. હે પાર્થ! આવા મહાત્માનું દર્શ કિંવા સેવન એ સાક્ષાત મારું જ દર્શન અથવા સેવન છે એમ સમજ. વાસુદેવ જ સર્વ રૂપે છે. હે અર્જુન! સર્વત્ર વાસુદેવરાપ થયેલો એવો મહાત્મા અતિ દુર્લભ છે. જેમ સૂર્ય, અમિ, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ તથા તારા ચિતન્યસ્વરૂપ આત્મા વડે પ્રકાશિત થયેલી વસ્તુઓને જ પ્રકાશે છે, તેમ સ્વયંપ્રકાશ એ વાસુદેવ૫ હજ પ્રથમ ઈશ્વરરૂપ બની જગતને પ્રકાશ કરું છું. ઈશ્વરી માયાથી મેહ પામેલા તારા જેવા પુરુષો મને એટલે વાસુદેવપ ને જગતનું કારણુ કહે છે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. ઊલટું આ ગારડી ખેલ કરનારી મિયા માયાને વાસુદેવરૂપ એવા મારામાં યત્કિંચિત પણ અંશ નથી. આ ગાડીમાયા વડે મોહ પામેલા જ પુરુષો કે આ હું અને આ મારું” એ રીતે બકયા કરે છે. દ્રવ્ય એટલે જેમાં જગતનું ઉપાદાન કારણ એવાં પંચમહાભૂતો, કર્મ, કાળ, સ્વભાવ તથા જીવ એટલે મહાપ્રાણું (વૃક્ષાંક ૨થી ૧૫૪) સુધીનો સમાવેશ થાય છે; તે બધું વાસ્તવિક રીતે જોતાં તે વાસુદેવરૂપ જ છે, વાસુદેવથી કિંચિત્માત્ર પણ કાંઈ ભિન્ન નથી. તેનું કારણ પણ વાસુદેવ એવો હું જ છે. દેવતાઓ પણ વાસુદેવ એવા મારા અંગો જ છે. સ્વર્ગાદિ લોક પણ વાસુદેવના જ અંશ છે. યજ્ઞ, યોગ, યોગ, તપ, જ્ઞાન એ વાસુદેવની પ્રાપ્તિનાં સાધનો કહેવાય છે તે અને તેના ફળરૂપ જે જે કાંઈ છે તે પણ વાસ્તવિક સર્વ વાસુદેવ૫ જ છે. તે સર્વના દ્રષ્ટા, નિયંતા, ઈશ્વર (વૃક્ષાંક ૨)વરૂપે હું સર્વોતર્યામી અને ફૂટસ્થ એવા ઈશ્વર(વૃક્ષાંક ૨ એસજેલા આ જગતને વાસુદેવરૂપ એ હું કેવળ તેની દષ્ટિની પ્રેરણા વા ઈક્ષણશક્તિવડે સજું છું. આ હુંશપ એ જે વાસુદેવ તે જ આત્મા(૨ક્ષાંક ૧) છે, એમ સમજે. આ રીતે સર્વ વાસુદેવ૨પ છે તથા વાસુદેવ જ આ સવરપ છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy