SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાસાહન] વળી આ સર્વ જીવિત પણ અ૫ છે, તેમજ [ ૩૮૭ કરી જેએએ સ્વાત્મદેવને પ્રસન્ન કર્યા હોય તેઓને જ વિષયોમાં વૈરાગ્ય થવારૂપ આ અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને તેવા જ હું કહી રહ્યો છું તે યોગના અધિકારી છે, એમ જાણું; માટે તું કહે છે તે પ્રમાણે જે કે ચંચળ મનનો નિરોધ કે એ અત્યંત દુર્ઘટ છે એ ખરું, પરંતુ આ રીતની વિરાગ્યશીલતા તથા આ સર્વે આત્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચયથી ઉપર બતાવેલા અભ્યાસના અવલંબન વડે, હે કૌતેય? તેને નિષેધ થઈ શકે છે; તસ્માત તે તારા મતાનુસાર દુ:સાધ્ય હશે, પરંતુ અસાધ્ય નથી, એટલું જ નહિ પરંતુ વિવેકી તે તેને રમત સમાન સાધ્ય કરી શકે છે. असभ्यतात्मना योगो दुष्पाप इति मे मतिः । વસ્થામુના નું શાસન છોડવુકુત્તર રૂા આ યોગમાં નાલાયક કેણુ? અસંયતાત્મા એટલે ઉપર કહેલી રીતે જેણે આત્માને વશ રાખેલ નથી અર્થાત્ આ સર્વ આત્મસ્વરૂપ છે એવી રીતને વિવેક થઈને જેને સર્વત્ર આત્મભાવને દઢ નિશ્ચય થયેલ હેત નથી; પરંતુ માયાના ત્રણ ગુણ તથા શબ્દાદિ વિષયે વડે પ્રસરેલી મિયા દક્ષ્યાળમાં જ જે ફસાયેલો હોય છે અને હું એટલે શરીર છે ઇત્યાદિ પ્રકારની ભાવનાવાળો હોઈ અંતઃકરણ જેના તાબામાં નથી, એવા સંકઃપવિકલ્પાત્મક અસંયમશીલ માટે તે મેં કહેલો આ યોગ તું કહે છે તેમ સાધ્ય થવો તદ્દન અશક્ય જ છે; અને તે તારા કથન સાથે હું પૂરેપૂરો સંમત છું, એમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી. ગમાં લાયક કેણ? કેવળ મોટેથી વાત કરીને કશું પણ નહિ કરવા છતાં હું ઘણું કરું છું, એવા પ્રકારના લોકોમાં ડાળ બતાવનારા, નહિ સમજવા છતાં જાણે કે સઘળું સૂમજું છું એવા પ્રકારની જ્ઞાનબંધુતાવાળા (અધ્યાય ૫. શ્લો૮-૯નું વિવેચન જુઓ) અથવા તે મનમાં વિષયાની અનેકવિધ લાલસા રાખી લોકો પાસેથી કેવળ પિતાને સ્વાર્થ સાધી લેવાને માટે જ્ઞાનને વેપાર કરનારા મૂઢ અથવા ઢોંગીઓનું આ યુગમાં અમારે કશું પ્રયોજન નથી. તેવા અધમો તે પોતાના અનુયાયી સહ અંતે ધેર નરકમાં જ પડે છે; માટે હે અર્જુન ! આવા દાંભિક કિવા ડોળધાલુઓ અને કાચાપોચા અથવા અશ્રદ્ધાળુઓનું આમાં કાંઈ પ્રયોજન નથી. આમાં તો તેવા જાતવાનોનું જ કામ છે કે જેઓ ખરેખર જિજ્ઞાસુ છે, બુદ્ધિશાળી છે, પુરુષાર્થી છે, શુદ્ધ હદયના છે તથા વિવેકી હોઈ તારી જેમ સર્વ ભાવે સદ્દગુરુની સંપૂર્ણ શરણાગતિ લીધેલા એકનિષ્ઠ અનન્ય ભક્ત છે. એવા વિવેકવાન તીવ્ર જિજ્ઞાસુએ તે આ યોગ એક નાના બાળકની રમતની જેમ સહેજમાં સાધ્ય કરી શકે છે. તેવા જિજ્ઞાસુની યોગ્યતા સંબંધે ફરીથી કહું છું, આ વેગ કોણ સાધ્ય કરી શકે? આ સર્વ આત્મરૂપ છે, એવા પ્રકારને વિવેકસહ નિશ્ચય કરીને જે અંતઃકરણમાંથી એ રીતના સર્વાત્મભાવ વો અથવા આત્મામાં હું, તું, તે, આ ઇત્યાદિ કાંઈ છે જ નહિ, એ મુજબ નિઃશેષભાવના અભ્યાસ વી જે આત્મા વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્પાન જ થવા દેતો નથી અને એ રીતે જેણે આત્માને વશ રાખેલ છે એવા આત્મવસ્ય પુરુષને જ મેં કહેલે આ એકત્વરૂ૫ ગ સુલભ રીતે સાધ્ય થાય છે, બીજાઓને નહિ. વર્ણન કથા – अयतिः अजयोप्तो योगाञ्चलितमानसः । અનાજી વોરાણિ િ fસ જ જગરિ રૂછા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy