SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ તારોહન] હે યમ! આ બધા મત્યંધર્મોના ભાવ ક્ષણભંગૂર છે, [૩૮૩ - --- -- ---- - હું એટલે આત્મા અને આમાં એટલે હું અત્યાર સુધીના વિવેચનથી આપણે હું અને તેને સાક્ષીના સાચા સ્વરૂપને જાણી શક્યા. હવે જેમ પ્રકાશ હોય તે જ મનુષ્યની છાયા પડી શકે છે અને તે છડ્યા મનુષ્યથી વેગળી હતી નથી, તેમ જ તે મનુષ્યના આધાર વગર કદી રહી શકતી નથી એ વાત છે કે સત્ય છે, તે પણ છાયા તે પ્રકાશ વડે જ જુદી ભાસે છે. છાયાનું કારણ મનુષ્ય છે, મનુષ્યમાં જ છાયા સંકળાયેલી હોય છે, પણ તે પાતામાં રહેલી છાયાને પ્રકાશ વગર પુરી પાડી શકતો નથી; તેમ જ મનુષ્ય એ કાંઈ પ્રકાશને પણ ઉત્પન્ન કરી શકતો નથી. તેમ આ ચિતન્યઘન આત્મા(વૃક્ષાંક ૧)ને પ્રકાશ વગર ઈશ્વર કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨)૨૫ “હું” અર્થાત પુરુષ અને તેની છાયારૂપ પ્રકૃતિ કિંવા માયા(વૃક્ષાંક ૩)નું અસ્તિત્વ કહી સંભવતું નથી. છાયાનું કારણ જેમ મનુષ્ય છે પણ પ્રકાશ નથી, કારણ કે પ્રકાશમાં મનુષ્ય અને છાયા હે યા ન છે તેથી તેનું કાંઈ હિત કે અહિત થતું નથી, તેમ આ માયા કિંવા પ્રકૃતિરૂપ “હું” (2ક્ષાંક ૩)એ છાયા સમજે અને તેનું કારણ મનુષ્યની જેમ શુદ્ધ બહુ રૂપ સાક્ષી વા ઈશ્વર (વૃક્ષાંક ૨) છે, પરંતુ આત્મા કિંવા બ્રહ્મ(વક્ષાંક ૧) નથી અને આ શુદ્ધ “હુ"રૂપ મનુષ્યની જ આ પ્રકૃતિરૂપ “હું” એવી “હુરૂપ છાયા પડે છે. એમ સમજે. સિવાય આત્મરૂપ પ્રકાશને તે આ છીયા અને મનુષ્યની પેઠે “હું રૂપ આભાસની તથા તેના સાક્ષો શુદ્ધ હરૂ૫ ઈશ્વર વા ક્ષર પુરુષની સહેજ જરૂર નથી. છતાં તેમાં તેઓ છે એમ જે કહેવામાં આવે તો પણ જેમ કડાં કુંડળાદિ અલંકારો સુવર્ણથી ભિન્ન નથી અને સુવર્ણને જેમ કડાં કુંડળાદિ હોવાની કિંચિત્માત્ર પણ અપેક્ષા હેતી નથી તેમ આત્મા(વૃક્ષાંક ૧)ને પણ “હું રૂપ પ્રકૃતિ સમાન છાયા તથા તેના સાક્ષીરૂપ-પુરુષ વા ઈશ્વર વૃક્ષાંક ૨)રૂપ મનુષ્યની કિંવા તેના કાર્યની કિંચિત્માત્ર પણ અપેક્ષા હોતી નથી અને હેય એમ કહેવામાં આવે તો તે આ આત્માથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. જેમ દાગીનામાંથી સુવર્ણ કાઢી લેવામાં આવે તો દાગીનાનું કિંચિત્માત્ર પણ અતિત્વ સિદ્ધ થઈ શકતું નથી તેમ આ “હુ” પ્રકૃતિ (વૃક્ષાંક ૩) તથા તેને સાક્ષી પુરુષ વા ઈશ્વર (વૃક્ષાંક ૨) અને તેના કાર્યમાંથી અધિકાનરૂપ એવા આત્માને જે કાઢી લેવામાં આવે તે કશાનું પણ અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી, એટલે આ “હું” પ્રકૃતિનું કારણ સાક્ષી પુરવ (વૃક્ષાંક ૨) છે, પરંતુ તે આત્મા(ઝક્ષાક ૧)નું કારણ નથી; એટલું જ નહિ પણ આ કાર્યકારણે ભાવો પણ આભાના અધિકાન વડે જ પ્રતીતિમાં આવે છે તથા તે આત્મા તે સ્વતઃસિદ્ધ અને સ્વયંપ્રકાશ જ છે. તે જ સર્વનું અધિકાન છે. જ્યારે પ્રકૃતિરૂ૫ આ “હુ” (વૃક્ષાંક ૩)ને “હું” કાણ? મારું ઉત્પત્તિ સ્થાન કર્યું? તે જાણવાની ઇચ્છા થાય છે ત્યારે તે પોતાના સાક્ષી પુરુ કિવા ઈશ્વર(ક્ષાંક ૨)ને પૂછે છે કે, હું કોણ? મારું ઉત્પત્તિ સ્થાન કયું? તે સાંભળીને આ સાક્ષી પુરુષ કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) કહે છે કે, હે પ્રકૃતિરૂપ “હું” (વૃક્ષાંક ૩)! “વમ” એટલે તું “તે' છે. એટલે તું અનિર્વચનીય એવો આત્મા (વૃક્ષાંક ૧) છે. તે જ તારું ખરું સ્વરૂપ છે. હું જે કે તારે નિયંતા ગણાઉં છું ખરો, પરંતુ તેનો એટલે અનિચનીય એવા આમા(ક્ષાંક ૧)ના નથી; તે તે સ્વતસિદ્ધ હેઈ કઈ પણ સહાયતા વિના પ્રગટ થનારે સ્વયંપ્રકાશ છે. તેમાં “તું”રૂપ (વૃક્ષાંક ૩) કિવા “હુરૂપ (ક્ષાંક ૨) એમ આપણું બંનેનું અસ્તિત્વ નથી, આમ છતાં તું અને હું છીએ એવું જે કાંઈ આ તને ભાસે છે તે જેમ દાગીના અને સુવ માં અભિનપણું જ સિદ્ધ થાય છે તેવા પ્રકારનું વિવર્તરૂપ છે, એટલે આ “હું” અને “તું” પણ “તે” અર્થાત આત્મા છે અને “આત્મા એ જ હું અને તું છે' એ રીતે આપણે બંને અભેદરૂપ છીએ, એમ સમજ. મારાથી તે ભિન્ન નથી સત્ય સ્થિતિ આ પ્રમાણે હેવાને લીધે, હે પાર્થ! આવી રીતને સ્વતસિદ્ધ અને સ્વયંપ્રકાશ આત્મસ્વરૂપ એવો જે “હું” (વૃક્ષાંક ૧) તેવા મારામાં આ સર્વ છે અને સમાં આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) છે, એમ જે જુએ છે તે મારા એટલે આત્મા(વક્ષાંક ૧)થી ભિન્ન નથી અને આત્માથી હું વૃક્ષાંક ૩) ભિન્ન નથી અર્થાત તે સુવર્ણ અને તેના દાગીના તથા પાણી અને તેના તરગાની જેમ અભિન્ન જ છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy