SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન] (યમ બોલ્યા,) સો વર્ષના આયુષ્યવાળા પુત્રપૌત્રો માગ, તથા– [ ૩૫૫ તેનો વિસ્તાર વધારવાનું કાંઈ પ્રયોજન નથી; કેમ કે એ અનુભવો દરેક સાધકના એક સરખા જ હતા નથી સંક્ષેપમાં જેની કુંડલિનીનું ઉત્થાન થયેલું હોય છે તેવા યોગીઓનાં નેત્ર તદ્દન થિર, મન શાંત, મુખ હંમેશાં પ્રફુલ્લિત તથા ચહેરો સદા આનંદિત રહે છે અને તે જાણે નશાના ઘેનમાં ન હોય ! તે દેખાય છે. બાહ્ય વિષયો પ્રત્યે તેને સ્વાભાવિક રીતે જ કંટાળો ઉપજે છે તથા સાપતિ નામની ચતુર્થી ગભૂમિકા છે, જે સાક્ષાત્કારની કક્ષાના આરંભરૂપ છે તેમાં તે સ્થિત થાય છે. કેટલાકે આ સ્થિતિને સાક્ષાત્કાર વા પૂર્ણ સ્થિતિ સમજી અત્રેથી અટકી જાય છે, પરંતુ તે પણું થિ હેતી નથી. ભગવાન કહે છે, હે અર્જુન ! વધુ શું કહું ? જેને વ્યવહારના વિષયો ઉપર સ્વભાવિક રીતે જ સંપૂર્ણ વૈરાગ્ય થયો છે, જે તદ્દન નિરોગી બને છે તથા જેને જગતરૂપ તમામ દશ્ય જાળ મિથ્યા છે એવો અંતરમાં પાકે દઢ નિશ્ચય થયેલો છે, તેમ જ જેની વૃત્તિ હંમેશને માટે આત્માના સાક્ષાત્કાર તરફ જ લાગી રહેલી હોય છે, જેને તે કરતાં બીજું કાંઈ પણ વધુ પ્રિય લાગતું નથી, એવા સાધકની કુંડલિનીનું ઉત્થાન થયું છે, એમ સમજવું. આવી પરિસ્થિતિ થાય એટલે તે સાધક મટીને મુમુક્ષુ બને છે. આ લક્ષણ જેનામાં જણાય તેના સંપર્કમાં રહેનારા કિવા તેના સમાગમમાં આવનારા પુરુષોનું પણ ધન્યભાગ્ય જ છે, એમ સમજવું. અનાહતચકનું ભેદન આ રીતે મુમુક્ષ બનેલો યોગી અંતઃકરણમાં એક આત્મભાવનાને જ સ્થિર કરીને તથા પ્રાપ્ત થનારી સિદ્ધિઓ તરફ જરા પણ લક્ષ્ય નહિ આપતાં યુકિત વડે મણિપુરચક્રમાં રહેલા પ્રાણવાયુને અનાહત ચક્રમાં લાવે છે. આ ચક્ર મેદમાં મૂળાધારથી સીધી અને સરલ રેષામાં બરાબર હૃદયની સામે આવેલું છે. તે બાર દળવાળું છે, ૪, ઉં, ૪, ઉં, , , રું, , , ઝ, ટ, કે એ બાર બીજાક્ષરોથી યુક્ત હોઈ ઉગતાં સૂર્યાસમું પ્રકાશિત છે. તેની મધ્યે દશહજાર સૂર્યસમાન કાંતિથી દેદિપ્યમાન એવું બાણલિંગ રહેલું છે. તેના દેવતા છે. આ ચક્ર આનંદનું સ્થાનક અને સ્ત્રથી અધિષ્ઠિત ડેઈ તેમના દર્શનનું કારણ છે તેથી તેના દેવતા ૮ કે શિવ માનવામાં આવ્યા છે. તેની આકૃતિ કોણ હાઈ “ઉ” કારનું આરંભસ્થાન તથા “અકારનું વિલયસ્થાન છે. આ પદ્મમાં શબ્દબ્રહ્મ કોઈપણ સાધન વિના સ્વાભાવિક રીતે જ નિત્યકતિ સંભળાયા કરે છે તેથી તેને અનાહત પદ્મ કહ્યું છે. આ અનાહત ચક્રમાં પ્રાણવાયુનું આરહણ થતાં જ ચિત્રવિચિત્ર પ્રકારના ચિણ, ચિંચણ, કંટા, શંખ, તંત્રી, તાલ, વેણ, મૃદંગ, ભેરી અને મેઘ ઇત્યાદિનાદો કે જે શ્રુતિમાં કહેવામાં આવેલા છે તેને અનુભવ થાય છે (જુઓ હસેપનિષદ); પોતે આનંદસાગરમાં ડૂબી જવાથી મસ્તીમાં આવી જાય છે તથા પ્રકાશાદિ ઇતર પણ અનેકવિધ દસ્યાદિના પુષ્કળ અનુભવો થાય છે. મન એકદમ સ્થિર થઈ ગયું હોય એમ ભાસે છે. પરંતુ વાસ્તવિક તેમ થયેલું હોતું નથી, તે ધ્યાનમાં રાખવું. તેના ભરોસા ઉપર કોઈ આગળ જવાનું છોડશે તે તે મેહમાં ફસાઈ પુનઃ નીચે પટકાઈ જવા સંભવ છે; કારણ કે, હજુ સુધી તેમાં ત્રણ ગુનું સૂક્ષ્મરૂપે બીજ રહેલું હોય છે. બાદ અત્યંત પવિત્ર અને નિર્મળ બનેલો તે મુમુક્ષ દ4 અભ્યાસ અને યુક્તિ વડે પ્રાણવાયુને અનાહત ચક્રમાંથી અપાન માગે વા મધ્ય માર્ગે વિશુદ્ધિચક્રમાં લઈ જાય છે. વિશુદ્ધિચક્રનું ભેદન આ વિશુદ્ધિચક્ર નીચેના મૂલાધારાદિ ચાર ચક્રની સીધી રેષામાં કંઠની સામે હેઈ તે સેળ દળવાળું તથા ગળાકાર છે. , માં, રું, , , ૪, , , , રું, ૪ ઉં, ૩, ઐ, , : આ સેળ બીજાક્ષરોથી યુત, ધૂમાડા જે આકાશી વર્ણવાળું અને મહા તેજસ્વી છે. આ મહાઅદભૂતપશ્વ આકાશને નામે પણ કહેવાય છે. તે સદાશિવથી અધિષ્ઠત હોઈ તેમનાં દર્શન કરાવી જીવાત્માને વિશુદ્ધ કરે છે, એટલે તે છવરૂપ મટી શિવરૂપ બને છે તેથી તેને વિશુદ્ધિપદ્મ કહેવામાં આવે છે. તેના દેવતા સદાશિવ હેઈ તે “ઉ'કાર માત્રાનું અંતિમ રથાન તથા “મ'કારનું આરંભસ્થાન છે. આ ચક્રમાં આવતાં શરીર તદ ન નિર્મળ, પવિત્ર અને એકદમ હલક થઈ જાય છે. અત્રે આનંદમય કોશનો અનુભવ થઈ તે મુમુક્ષ એગીને ઉપર કહેવામાં આવેલા સ્વયંનાદ તથા બીજા પણ અનેક વિવિધ દશ્યો જોવામાં આવે છે. કોઈ કોઈ વખતે સિનાં તથા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy