SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ મીતાકાહન ] શોથી રહિત બની સ્વર્ગલોકમાં આનંદને મેળવે છે. [ ૩૨૩ કરવું તે બાહ્ય શૌચ કહેવાય છે. જપ, તપ, હેમ, ધર્મમાં આદર, અતિથિને સત્કાર, મારું પૂજન, તીર્થાટન, મૃત્યુ પછી શુભ ગતિ પ્રાપ્ત થવાને માટે નિત્યપ્રતિ ઉદ્યોગ કરવો તે, સંતોષ તથા ગુરુ, આચાર્ય અને મહાપુરુષોની સેવા, બાર નિયમ કહેલા છે. મુમુક્ષુ એટલે મેક્ષની ઇચ્છાવાળાઓને માટે યમ મુખ્ય છે તથા સકામ પુરુષોને માટે નિયમ મુખ્ય છે; કારણ કે, તેનું સેવન કરવાથી મુમુક્ષને તેની ઈચ્છા પ્રમાણે મેક્ષ અને સકામીઓને તેમની ઇચ્છા મુજબ સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. શમ, દમ, તિતિક્ષા, ધૃતિ, દાન, તપ અને શૌર્ય એટલે? કેવળ બહારથી શાંતિ રાખવી એનું નામ જ શમ નહિ, પરંતુ બુદ્ધિની હંમેશ મારામાં એટલે આત્મામાં નિષ્ઠા રહે એ જ ખરે શમ સમજવો, ઈકિયાને નિગ્રહ એટલે આ સર્વ આત્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં આત્માવ્યતિરિક્ત ઇંદ્રિયોની બીજી કઈ પણ વૃત્તિનું ઉત્થાન નહિ થવા દેવું અને થતાં જ તેને તત્કાળ આત્મામાં જ દાબી દેવું તે દમ કહેવાય છે. પ્રારબ્ધવશાત પ્રાપ્ત થયેલા દુઃખને આનંદ વડે સહન કરવું એ તિતિક્ષા. ભૌતિક અને બાહ્ય સાધને મેળવવા માટે મનમાં ઉગ થવા નહિ પામે એવી દક્ષતા રાખવી તે કાંઈ સાચી વૃતિ નહિ, પરંતુ જિહવા તથા ઉપસ્થના વેગને રોકવો એ જ ખરી ધૃતિ અથવા ધીરજ સમજવી. સર્વ પ્રાણીમાત્રને દ્રોહ છોડી દેવો એ દાન. ભગોમાં ઉપેક્ષાવૃત્તિ તે જ ત૫. વાસનાઓને રોકવી એ જ ખરું શૌર્ય. સત્ય, જત, શૌચ, સંન્યાસ, ધન, યજ્ઞ અને દક્ષિણાની વ્યાખ્યા બ્રહ્મ કિવા આત્મા વગર બીજું બધું જ અસત્ય છે, માટે સતત બ્રહ્મનો વિચાર કરવો એ જ ખરું સત્ય છે. સાચું અને પ્રિય બલવું એ જ બત. અંતઃકરણમાં આત્મનિશ્ચયની એકનિષ્ઠ ભાવના વડે અંતર્બાહ્ય શુદ્ધિથી કાયિક, વાચિક અને માનસિક કર્મોમાં કિંચિત્માત્ર પણ આસક્તિ નહિ હોવી તે જ ખરું શૌચ કહેવાય. કેવળ કઈ વસ્તુને છોડી દેવાથી ત્યાગ સિદ્ધ થતો નથી, પરંતુ તેને આત્મસ્વરૂપ બનાવવી તે જ ખરો સંન્યાસ છે. ધર્મ એ જ મનુષ્યનું ઉત્તમ ધન સમજવું. ક્રિયારૂપ સમજીને યજન કરવામાં આવે તે યજ્ઞ નહિ પરંતુ સર્વત્ર હું આત્મરૂ૫ છું એવી ભાવના રાખી યજન કરવામાં આવે તે જ ખરો યજ્ઞ છે, સુવર્ણાદિક આપવું એ દક્ષિણા નહિ પરંતુ પરમાત્માના જ્ઞાનને યથાર્થ ઉપદેશ આપવો એ જ ખરી દક્ષિણ સમજવી. આ પ્રકારને યજ્ઞ કરવાથી જ યજ્ઞરૂપ વિષ્ણુની પ્રાપ્તિ થાય છે. બળ, ભગ, લાભ, વિદ્યા, લજજા અને ભૂષણ કોને કહે છે? શત્રુઓને દબાવવા એ બળ નહિ, પરંતુ મનરૂપ શત્રુ કે જે જીતી શકાય એવો નથી તેને દબાવવાના સાધનરૂપ સાંખ્ય, ભક્તિ કિવા પ્રાણાયામાદિ યોગ કરવો તે બળ સમજવું, ભાગ્ય એ ભગ નહિ, પરંતુ મારા એટલે અધિકાનરૂ૫ આત્માના અપર વા વિરાટ સ્વરૂપ સંબંધમાં રહેલા છ ઐશ્વર્યો એ પોતાનું સ્વરૂપ છે, એમ જાવું; તે જ ખરું ભગ છે એમ સમજો. પુત્રાદિકની પ્રાપ્તિ એ લાભ નહિ, પરંતુ આત્મસ્વરૂપ એવા મારી ( આત્માની ) અખંડ ભક્તિ મળે એ જ ખરો લાભ સમજો. બીજા શાસ્ત્રોને ભણવાં એ વિદ્યા નહિ, પરંતુ આત્મામાં પ્રતીત થયેલા ભેદને જે વડે બાધ થાય એટલે Áત મટીને અદ્વૈતભાવની સિદ્ધિ થાય એ જ સાચી વિદ્યા છે, એમ જાણવું. માત્ર ઉપર ઉપરથી લજજાનો ડોળ કરવો એ લજજા નહિ, પરંતુ અંતઃકરણ પૂર્વક દુષ્ટ કર્મને ત્યાગ તથા વૈતભાવ મટી આત્મસ્વરૂપમાં ઐક્ય નહિ થવાય તે માટે શરમ આવવી તેનું નામ જો કે કણ Itવા મુકટ આદિ ભૂષણે નહિ, પરંતુ તેણુથી રહિતપણું આદિ કરાવનારા ગુણે એ જ સાચા ભૂષણરૂપ સમજવા. સુખ, દુઃખ, પંડિત, મૂર્ખ, સુમાર્ગ અને કુમાર્ગ વિષયોગ ભોગવવા એ સુખ નહિ, પરંતુ આને સુખ કહે છે એ રીતે તેનું અનુસંધાન જ નહિ કરવું તે સુખ સમજવું; એ ન્યાયે ફક્ત એક આત્મા જ સુખપ છે તેમાં દુઃખને લેશ પણ નથી અને હું પોતે પણ આપવું એ દક્ષિણા નહિ પર
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy