SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] આ પ્રમાણે ત્રિણાચિકેતરૂપ ત્રણ અગ્નિને જાણી [ ૩૧૭ બિલકુલ ફેરફાર નહિ થતાં તત્કાળ જીવન્મુક્ત એટલે જીવત છતાં જ મુક્તિ પામે છે; તેને મુક્તિને માટે ક્રાંઈ મરણુપર્યંત રાહ જોવી પડતી નથી, પરંતુ તેને તે। સવ દુઃખેાની નિવૃત્તિ કરનાર એવા મેાક્ષની ત્યાં તે ત્યાં તુરતાતુરત જ પ્રતીતિ થાય છે. આમ ઉપરના શ્લેાકમાંના ભેદ અત્રે ભગવાને સ્પષ્ટ કરીને સમજાવેલે છે. न प्रप्येत्प्रय॑ प्रा॒प्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । स्थिरबुद्धिर॑सम्मूढो ब्र॒ह्मवि॑द्रह्मणि स्थितः ॥ २० ॥ પ્રિયાપ્રિય ઢંઢોથી પર થયેલા બ્રહ્મમાં સ્થિત છે પ્રિય થવાથી જે કદી હુ ંને પામતા નથી અને અપ્રિય થવાથી ઉદ્વેગને પામતા નથી, એટલે જેતે પ્રિય અપ્રિય 'દ્રોની કલ્પના પણ નથી, એવેાવળ એકમેવ બ્રહ્મને જાણનારા બ્રહ્મવિદ્, બ્રહ્મસ્વરૂપમાં જ કાયમને સ્થિર થયેલે છે, એમ જાણવું. 1 बाह्यस्य॒ व्य॑सात्मा विन्दत्यात्मनि यत्सुखम् । ब्रह्मयोग॑यु॒मा॒त्मा सुखमक्षय्य॒मनु॑ते ॥ २१ ॥ थे हि स॒৺स्पर्शज्ञा भोगा दुःखयोनय॒ पव॑ ते । आद्यन्त॒वन्त॑ः कौन्तेय न॒ ते॑षु रमते बुधः ॥ २२ ॥ અક્ષય સુખ કાણ મેળવે જેની બાહ્ય સ્પર્શીમાં બિલકુલ આસક્તિ નથી તેવા પુરુષને જ જે આત્મસુખ અથવા બ્રહ્મ કહેવાય છે તે મળે છે. આમ બ્રહ્મની સાથે એકરસ થયેલા તે પુરુષ અક્ષય એટલે જેને! કદી પણુ ક્ષય થતે નથી તેવા સુખને પામે છે. ભાવાર્થ એ કે, જે પુરુષ પાતામાં ઉપર બતાવ્યા પ્રમાણે આત્મા અથવા બ્રહ્મ વ્યતિરિકત તેથી બહારના બીજા કાઈ પણ ભાવ વા પ્રકારનેા યત્કિંચિત્ પણ સ્પર્શ થવા દેતા નથી; એટલે કે, હું અનિવ ચનીય એવા આત્મા છું અને તેવા મારામાં હું એવા ભાવને પશુ જ્યાં તલમાત્ર સ્પર્શી નથી તે। પછી ખીજા કાઈ ભાવની તા વાત જ શી ? આ રીતે જે પુરુષ આત્મસ્વરૂપ એવા પેાતામાં આત્મા સિવાય બીજા કેાઈ ભાવના તલભાર પણ સ્પર્શ થવા દેતા નથી, તેવા પુરુષ જ શામકારા જેતે માટે પેાકાર કરી કરીને કહી રહ્યા છે એવા આત્મસુખને પ્રાપ્ત કરે છે. આમ કેવળ બ્રહ્મયાગ એટલે આ સર્વ અનિવચનીય એવું બ્રહ્મ છે, તે સિવાય ખીજું કાંઈ પણ છે જ નહિ, એમ જાણી તેના અભ્યાસમાં જ નિત્યપ્રતિ યુક્ત એટલે જોડાયેલા છે,તે જ આ કદી પણ ક્ષય નહિ પામનારા એવા પરમ સુખને પામે છે. અને બાહ્ય સપશ એટલે બ્રહ્મ કિવા આત્મા વ્યતિરિકત તર પ્રકારના ભાવથી ઉત્પન્ન થનારા ભેગા તા દુ:ખનું ખીજ હાઈ આદિ અંતવાળા એટલે હુંમેશ આવનારા તથા જનારા એવા નાશવંત સ્વભાવવાળા છે, એમ સારી રીતે જાણે છે; માટે હે કૌ'તેય ! વિવેકી એટલે જીવન્મુક્ત જ્ઞાનીએ તે તેમાં કદી પણુ રમતા નથી. અંતઃકરણમાં આત્માસિવાય ખીજા કાઈ ના પણ સ્પર્શ થવા એટલે કે અંતઃકરણમાં અનેક વૃત્તિઓનું ઉત્થાન થવા દેવુ તે તમામ વિષયભેગા દુઃખમૂલક અને આદિ અતવાળા એટલે સુખદુઃખાદિ વાળા હાઈ નાશવંત છે. તેઓમાં જ્ઞાની કદી પણુ રમમાણુ થતા નથી. ઉદ્દેશ એ છે કે અંતઃકરણુમાં અનેક સ’કલ્પવિકલ્પાત્મક ભાવાનું ઉત્થાન થયા કરવું એ દુઃખનું મૂળ હાઈ આત્મ સિવાય ખીજી કાઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેતાં અદ્વિતીય એવા એક આત્મામાં જ રમમાણ થવું તે સુખનું મૂળ હોવાથી જ્ઞાનીએ નિત્યપ્રતિ આત્મામાં જ તરખેાળ રહે છે; એમ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અત્રે પોકારી ાકારીને કહી રહ્યા છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy