SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] તવૈક નાના મવામfe:- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અવ પ/૧૪ હેવાથી તે તદ્દન નિઃસંગ જ હોય છે, આથી કર્મ અને તેનાં ફળ દત્યાદિ કશાથી તે યત્કિંચિત પણ કદી લેપાતો નથી. અર્થાત તે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉથાન જ થવા દેતો નથી અને જે કદાચ થાય છે તેમ થતાંની સાથે તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની ભાવના વડે તેને તે તુરત જ દાબી દે છે. તાત્પર્ય એ કે; કાયા, વાચા, મન અને બુદ્ધિ વડે ગ્રહણ થતાં તમામ વિષયોને તે આત્મસ્વરૂપ છે એવી રીતની દઢ ભાવના વડે તત્કાળ દાબી દે છે તે જ ખરો નિઃસંગ કહેવાય છે. આ પ્રમાણે સંગ છેડી દઈ કેવળ આત્મશુદ્ધિને માટે જ યોગીઓ કામ કરતા રડે છે; માત આસક્તિરહિત એવા આત્મનિષ્ઠ યોગીને માટે કર્મો કરવાં એ એક બાળકની રમત સમાન છે. આ રીતનાં સંગરહિત કર્મો એ જ આત્મશુદ્ધિ માટેનાં કર્યો છે, એમ કહેવામાં આવ્યું છે. આવી રીતની નિઃસંગતા આત્માના અપરોક્ષજ્ઞાન વિના વ્યવહારમાં અન્ય કોઈ પણ રીતે પ્રાપ્ત થવી શકય નથી. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमानोति नैष्ठिीम् । अयुक्तः कामकारेण फुले सक्तो निबद्धयते ॥ १२ ॥ યુક્ત અને અયુક્ત કર્યો સર્વ બ્રહ્મસ્વરૂપ છે, એમ સમજીને જે કમ થાય છે તે યુદ્ધ કર્મ તથા તેની ભાવના જેમાં હેતી નથી તે અયુક્ત કર્મ કહેવાય; આથી આ સર્વ બ્રહ્મ કિવા આત્માપ છે એવા પ્રકારની ભાવના વડે નિઃસંગ બનેલો અનાસક્ત અર્થાત કર્મફળનો ત્યાગ કરનારો અને બ્રહ્મ કિવા આનનિષ્ઠામાં જ કાયમને માટે સ્થિત થયે અપરોક્ષાનુભવી બ્રહ્મવિદ્દ યોગી પરમ શાંતિ એટલે નિર્વાણરૂપ મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ આત્માનુજવા વડે પ્રાપ્ત થનારી આ રીતની શાંતિ કેવળ એક બ્રહ્મ અથવા આત્માની ભાવના કર્યા વિના શક્ય નથી; પરંતુ અજ્ઞાન વડે “હું” અથવા “મા” એવી અહંકારષ્ટિનો અંગીકાર કરી તથા ફળમાં આસક્તિ રાખીને ગમે તેટલાં કર્મો કરવામાં આવે તો તે હંમેશાં જન્મમરણરૂપ બંધનને જ પામી અનહદ. દુઃખે ભોગવે. सर्वकर्माणि मनपा सग्यस्यास्ते सुखं वशी । नषद्वारे पुरे देशी नैव कुर्वन्न कारयन् ॥ १३ ॥ આત્મા કાંઈ કરતા નથી અને કરાવતે પણ નથી માટે ઉપર જણાવ્યા પ્રમાણે સાં કર્મોને મન વડે સંન્યાસ કરીને એટલે અંતઃકરણમાં ઉત્તિ ઊઠતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની મનની નિશ્ચળભાવના વડે તેને તત્કાળ ત્યાગ કરવો. બે આંખ, બે કાન, બે નાકનાં છિદ્રો, એક લિગ, એક ગુદા અને નવમું મુખ, આ રીતે નવ છિદ્ધો અથ ઠારોવાળું પુર એટલે નગર કે જેમાં પુરુષ રડે છે એવું આ સ્થાન અથવા ઘર છે, તેમાં દહી એટલે ધટમાં જેમ આકાશ રહે તેમ આ આત્મસ્વરૂપ એવો દેવી દેહમાં રહે છતાં કાંઈ કરતા પણ નથી તેમ કાંઈ કરાવતે પણ નથી; તે આ બંને કંઠોથી તદ્દન અલિપ્ત છે. ભાવાર્થ એ છે કે, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિો તથા તેના વિષયેસહિત આ કાયિક, વાચિક અને માનસિક કર્મોવાળા શરીરમાં આકાશવત રહેનારે દેહી જે વાસનાને વશ થઈ આ “હું અને “મા” એવો ભાવ રાખે છે તે વાતવિક રીતે નિર્લેપ એવો આત્મસ્વરૂ૫ છતાં પણ જાણે વાસનાથી બંધાયેલે મૂઢ અને અજ્ઞાની એ છવામાં બની જાય છે, પરંતુ જેમ વડામાં રહેલું આકાશ વાસ્તવિક રીતે તે અત્યંત નિર્મળ, પવિત્ર અને શુદ્ધ હોય છે, તેનો પરની સાથે અથવા તેમાં રહેનારા ગૃહી સાથે કિંચિત્માત્ર પણ સંબંધ હતો નથી; તેવી રીતે આ અત્યંત નિમળ, પવિત્ર, શુદ્ધ, શાંત તથા અનિર્વચનીય એવા આત્માને દેહમાં રહેવા છતાં પણ આ દેહ છે, તથા તેના ઉપર
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy