SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ - - ---- - -- ગીતાદેહન] ધણા ( શિષ્યો)માં હું પ્રથમ છું, ઘણમાં મધ્યમ પંક્તિને ઉં, [ ૨૪૩ ચૈતન્ય (વૃક્ષાંક ૧) જ પોતાના સ્વતંત્ર બળ વડે આદર્શમાં દેખાતા નગરની જેમ પોતાનું સ્વરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨) તથા અશુદ્ધ હું (વેક્ષાંક ૩) રૂપે જાણે પ્રગટ થયું ન હોય એમ ભાસમાન કરે છે, તે જ આની પહેલી ઉત્પત્તિ અર્થાત સંભવ છે. સર્વત્ર પરિપૂર્ણ અને આકાશની પેઠે સર્વત્ર વ્યાપક, નિર્મળ, તદ્દન અસંગ અને અનિર્વચનીય ચિદરૂ૫ એવા આત્માની જગ્યાએ આ પ્રમાણે જાણે અંશાત્મક એવા અહમ એટલે “હું” પણાનું ભાન થવું તે જ બાહ્યાભાસ કહેવાય. આ જ આત્માને આત્માએ “હુ” રૂપે સૃજવું કંવા ધારણ કરવું. વાસ્તાવિક રીતે તે પરિપૂર્ણ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં આ હુંરૂપ એવો અહંભાવ (રક્ષાંક ૨ અને ૩) મિથ્યા હોવાને લીધે “હું” યાને અહમ્ એવો ભેદ તેમાં કદાપિ રહી શકતું નથી; આથી આત્માને પિતાને જ જ્યારે વિપરીત અધ્યાસ થાય છે ત્યારે તે પોતાને નાહમ, નાહમ એટલે હું નથી હું નથી એમ સમજવા લાગે છે. “ હું નથી ” એમ કેવળ માં વડે બોલવું કિંવા બુદ્ધિથી સમજવું તે તો જડ એ અવ્યક્ત ભાવ થયો (વૃક્ષાંક ૪ જુઓ), પરંતુ “” નો લય કરી અનિર્વચનીયતા પ્રાપ્ત થવી તે સ્વરૂપાનુભવ થશે. આ રીતે આત્માને પ્રત્યક્ષ અનુભવ થવાને માટે હું આત્મા નથી'' “હું આત્મા નથી” એવા પ્રકારના દેહાધ્યાસરૂપ અધર્મનું સામ્રાજ્ય જયારે જયારે વધે છે, ત્યારે ત્યારે “હું આત્મા છું” “ હું આત્મા છું " એવા પ્રકારની આત્મરકૂર્તિને આત્મસ્વરૂપ એવો હું જ સજું છું. તાત્પર્ય એ કે, જ્યારે જ્યારે હું એટલે આત્મા (વૃક્ષાંક ૧) છું એવા પ્રકારના રવધર્મનું વિમરણ થાય છે તથા હું એટલે આત્મા નહિ પણ શરીરાદિ છું એવા પ્રકારના અધર્મભાવનું અવ્યુત્થાન થાય છે એટલે દેહાધ્યાસનું જોર કિંવા પ્રાબલ્ય વધે છે ત્યારે ત્યારે હું એટલે કાંઈ શરીરધારી નહિ, પરંતુ હું એટલે આત્મા (વૃક્ષાંક ૧) છે, એવા પ્રકારે વાસ્તવિક રીતે હું અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ હેવા છતાં પણ હું રૂપ એવી આત્મહૂતિને એટલે હુંનું ઉત્થાન થયે હું આત્મા છું એ રીતે આત્માને સળું છું. અર્થાત હું એટલે આ શરીરાદિ નહિ પરંતુ આત્મા છે, એવા આત્મભાવને ધારણ કરું છું, સાધુનું રક્ષણ - આ મુજબ આત્મધમ દ્વારા જેણે પ્રાપ્તવ્ય ધ્યેયને પ્રાપ્ત કરેલું છે. આ સર્વ આત્મસ્વરૂપ છે, બીજું કાંઈ છે જ નહિ એવા એકભાવથી કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સર એ છ શત્રુઓનો જેણે વિલય કર્યો છે, એટલે કે જેઓના અંતઃકરણમાં આત્મવ્યતિરિક બીજી કઈ પણ પ્રકારની ફુરણાનું ઉત્થાન જ તું નથી એવા જે સાધ અથવા પુરુષો કહેવાય છે, તેઓના રક્ષણ માટે અને મૂઢ જનો કે જેઓ પોતે પિતાને હું એટલે શરીર છું એવું માની લે છે એવા તેવું નહિ માનતાં તેઓને હું આત્મા છું એવું પિતાના સ્વરૂપનું સાચું ભાન થાય એવા ઉદ્દેશથી જેઓએ “હું” એટલે આ દેહાદિ નહિ પરંતુ આત્મા છું એ રીતના દઢ નિશ્ચય વડે જેણે હું ભાવના (તેના સાક્ષી સહિત) વિલય કરેલ છે તેવા ધ્યેયની પ્રાપ્તિ કરીને જગતને અનુભવસિદ્ધ ખાતરી કરી આપનારા પ્રત્યક્ષ ઉદાહરણરૂ૫ આત્મસાક્ષાત્કારી જીવન્મુક્તોની સ્થિતિ કિવા રક્ષણ આત્મરૂપ એવો હું રાખું છુ. અર્થાત આત્મસાક્ષાત્કાર થયા પછી જ તદ્દન અલિપ્ત, અસંગ અને મનરહિત અવસ્થામાં રાગદ્વેષાદિથી રહિત બનીને સચોટ અને નિર્ભયતાથી વ્યવહાર થઈ શકે છે, એની ખાતરી “હુ” તત્ત્વવિદ્દ જીવન્મુક્તોની સ્થિતિ ઉપરથી લેકેને કરાવી આપું છું, તથા દુષ્કૃત* એટલે આત્મવ્યતિરિક્ત બીજી કોઈ પણ વૃત્તિઓ ઊઠે તો તેનો વિનાશ કરી ફરી ફરીને ધર્મનું સ્થાપન કરું છું; અર્થાત આત્મા વિના બીજું કાંઈ પણ છે જ નહિ એવા પ્રકારના દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં અન્ય કોઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા ન પામે એવા પ્રકારે આત્મધર્મનું સ્થાપન કરવાને માટે હું યુગે યુગે સંભવું છું. આ વિવેચનનું પ્રયોજન એ છે કે, કદાચ કોઈ શંકા કરે કે, આપે કહ્યા મુજબ જેણે હું ભાવને વિલય કરેલ હોય છે એવો સર્વત્ર આત્મભાવ જેનારો જીવન્મુક્ત પુરુષ શરીરાદિ વડે શી રીતે રહી શકે તેણે તે દેહત્યાગ કેવળ એક આત્માકાર વૃત્તિમાં જ મનને સ્થિર કરવું તેનું નામ સત તથા અંત:કરણમાં આત્મા સિવાય બીજી કોઈ વત્તિનું ઉત્થાન થવું તેને મૃત કહે છે. રિલાયક જામની કોઈ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy