SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ બીતાહન] આમ ત્રણવાર પૂછતાં, “તને અને તમને) આપું છું એમ પિતાએ કહ્યું. [ ૨૪ કહેલો છે; પરંતુ વચગાળે તેને ઘણે સમય વ્યતીત થઈ જવાને લીધે તે નષ્ટ થવા પામેલ હતા, તે જ આત્મરૂ૫ એવા મેં આજે તને કહ્યો છે અર્થાત આ પરંપરા શાસ્ત્રશુદ્ધ રીતે સૃષ્ટિના આરંભથી જ ચાલી આવેલી છે. આ બેધ હું તને કાંઈ મનસ્વી રીતે કહેતું નથી. એવો શ્રીકૃષ્ણ ભગવાનને આ પરંપરા બતાવવાનો ઉદેશ આમાં સ્પષ્ટ રીતે તરી આવે છે. વેદની અપરાયતાની ખાતરીને માટે દરેક શાસ્ત્રમાં આ રીતે પરંપરા કહેવાની પદ્ધતિ હોય છે; કારણ તે જાણવા થકી ગુરુપ્રતીતિ ઉપરાંત શાસ્ત્રપ્રતીતિની પણ જિજ્ઞાસુને ખાતરી થઈ તે નિઃશંક બને અને આત્મપ્રતીતિ લઈ કૃતકૃત્ય થાય; એવા પ્રકારનો ભાવ તેમાં હોય છે. સવારभपरं भवतो जन्म परं जन्म विषस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ran આ બેગ તમેએ સૂર્યને શી રીતે કહો? આ સાંભળીને અને વળી વધારે સંશયમાં પડી ગયો. તેણે કહ્યું, “ભગવન આપ કહે છે કે, મેં આ યોગ આદિકાળમાં સૂર્યને કહ્યો હતો, પરંતુ સૂર્યને જન્મ તે ઘણું જ પુરાતન સમયમાં એટલે સત્યયુગના આરંભમાં થયેલ છે તથા આપને જન્મ તે હાલના સમયમાં એટલે સૂર્યના જન્મ પછી ઘણા લાંબા કાળે હમણાં જ દ્વાપરયુગના અંતમાં થવા પામેલો છે; છતાં આપ કહે છે કે મેં આ પેગ પ્રથમ સૂર્યને કહ્યો હતે, તો તે માટે કેવી રીતે જાણવું? અર્થાત આ યોગ પરંપરાગત અનાદિ કાળથી કહેવામાં આવ્યું છે એમ જે આ૫ કહે છે તે માટે કેવી રીતે સાચું માનવું?” भगवानुवाच પાન જે વ્યતીનિ પાવન સ ताज्याई र सनि म त्वं वेत्थ परन्तप ॥५॥ अजोऽपि साव्यात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृति स्वामविताव सम्भाव्यात्ममायया ॥६॥ હું અજન્મા છતાં જન્મે છે અર્જુનને આ સી પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને અતિ આનંદ થશે. તે બેલ્યા, હે અર્જુન! તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. તે સર્વને હું જાણું છું, પરંતુ તે તેને જાણ નહિ હોવાને લીધે આમ શંકાઓ કરી રહે છે. શત્રુને તાપ આપનારા અજુન ! વાસ્તવિક રીતે તે હું તત એ અવ્યય આત્મા (વૃક્ષાંક ૧) છું કે જેને કદી જન્મ અથવા મરણદિપ વિકારોને તલભાર પણ સ્પર્શ થતો નથી એ તદ્દન અનિર્વચનીય છું, છતાં પણ સર્વ પ્રાણુઓના હૃદયમાં વાસ કરનાર એવો ઈશ્વર (ક્ષાંક ૨) રવરૂપ પ્રકૃતિ અર્થાત ઈશ્વરીય શક્તિ (વૃક્ષાંક ૩) ને અધિષ્ઠાતા બની જાણે કે પોતે જ પિતામાં પોતાની માયાના આશ્રય વડે જમ્યો છું, એવું સંભવે છે અર્થાત ભાસે છે; સારાંશ કે આત્મસ્વરૂપ એ છે (વૃક્ષાંક ૧) તે વાસ્તવિક રીતે અજ એટલે જન્મ મરણાદિથી રહિત તથા તદ્દન અસંગ છું; તેમાં તે થવું કિંવા ન થતું અને તેને સાક્ષી ઇત્યાદિ કાંઈપણ સંભવતું નથી; છતાં તે જ જાણે પોતે પિતામાં અહમ એટલે “”
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy