SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] કુટિલ એવા ત૨૫ પાપથી મુકત કરે. તમેને વાણીથી વારંવાર વિનવીએ છીએ. [ ૮૫ છવાદિ (વૃક્ષાંક ૪ થી આગળના સર્વ ભાવ)રૂપે બની, થનારી ઇ વાઘામ રૂપ જુદી જુદી ક્રિયાઓ છે. વરતુતઃ તે આ સર્વ પરમાત્મા પોતામાં, પિતા વડે, પિતારૂપે ને પોતે જ વિવર્તરૂપે બનેલ છે. કિરણાંશ ૩ અપૌરુષેય ઉપનિષદોને શ્રતિ કહેવાનું કારણ ઈશ્વરીય ઈક્ષણશક્તિ વડે માયાના ત્રણ ગુણોમાં ક્ષોભ થવા પામ્યો, એમ જે ઉપર કહ્યું છે તે ત્રણ ગુણનું સરખા ભાવે ઐક્ય જેમાં છે તથા અધિકાનાદિ પાંચેનું અસ્તિત્વ જેમાં અપ્રકટરૂપે રહેલું છે, એવું એક તત્વ છે, જેને તમોગુણના વિશેષપણાને લીધે અવ્યક્તપ્રકૃતિ કિવા મહાશન્ય કહેવામાં આવે છે તથા સત્ત્વગુણના પ્રાધાન્યને લીધે શિવ કહેવામાં આવે છે અને રજોગુણના પ્રાધાન્યને લીધે તે પંદશક્તિવાળું ગણાય છે. તાત્પર્ય, આ તત્ત્વ (વૃક્ષાંક ૪) જ સત્ત્વગુણના અંશ વડે જ્ઞાનશક્તિ, રજોગુણના અંશ વડે સ્પંદશક્તિ તથા તમોગુણના અંશને લીધે ક્રિયાશક્તિવાળું બનેલું છે. આમાં ઈશ્વરીય સંકલ્પ તો સર્વના મૂળમાં હોવાથી મન શક્તિનો અંતર્ભાવ જ્ઞાનમાં અને દશક્તિનો અંતર્ભાવ ક્રિયાશક્તિમાં થઈ જાય છે. આ જ્ઞાનશકિત તથા ક્રિયાશક્તિ પરસ્પર સંલગ્ન હોઈ સાપેક્ષ હોય છે, જેથી જગતમાં ચાલી રહેલી દરેક ક્રિયાઓ જ્ઞાન વડે જ થાય છે. જ્ઞાન વિના કોઈ પણ ક્રિયા સંભવતી નથી અને ક્રિયા થવાને માટે પ્રથમ સંક૯૫ તે છેવો જ જોઈએ. આથી સંક૬૫ શક્તિ અર્થાત માયા (વૃક્ષાંક ૩) તો દરેકમાં છે જ, તેણે ત્રણ ગુણો વડે નિયત કરેલા નિયતિ નિયમોના આધાર વડે થતી ક્રિયાઓમાં જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ બેનું જેમાં સમભાવે એક સાથે જ મિશ્રણ હોય છે એવું એક તત્વ છે. જેને શિવશક્તિ, પ્રકૃતિપુરુષ, અર્ધનારીનટેશ્વર એમ કહેવામાં આવેલું છે (વૃક્ષાંક ૫ જુએ.) આમાં ઉપરની પાંચેનું મિશ્રણ તો છે જ. અત્યાર સુધી તો તે એકેકા વિવર્ત ભાવમાં જ હતું, એટલે જેમ કોઈ વસ્તુના ટુકડા કરવાના હેતય ત્યારે તેના કેટલા અને કેવી રીતે કરવા એ નિશ્ચય પ્રથમ મનમાં કરે પડે છે, કિંવા ચિત્ર પાડતાં પૂર્વે મનમાં તેની કલ્પના કરી પછી તે બહાર પ્રકટ કરવામાં આવે છે, તેમ અત્યાર સુધીના ભાવો બેપણુરૂપે બહાર પ્રકટ થવા પૂર્વેના સૂક્ષ્મ ભાવો સમજવા. આ રીતે આત્મામાંથી શિવશક્તિ સુધીના વિવત થયા પછી તેમાંથી આ શક્તિરૂપ જીવાત્મા કિવા મમભાવ પ્રાપ્ત થયો છે. આને સૂત્રાત્મા કહે છે. આમ અધિકાનમાંથી “હું રૂપ થવાને માટે ઈશ્વર, તેની ઈક્ષણશક્તિ અને માયા એટલા વિવર્તી થયા. ત્યાર પછી ક્રમે ક્રમે માયાના ત્રણ ગુણોમાં ભ થઈ તે અવ્યક્ત, અર્ધનારીનટેશ્વર, જીવાત્મા, મહાપ્રાણુ કિવા સૂત્રાત્મારૂપ એકિત કે જેને મમભાવ કહે છે, તે સ્વરૂપે વિવભાવને પામે છે, આ મુજબ આત્મામાંથી અહંભાવનું પ્રાકટ્ય થઈ મમભાવનું પ્રાકટ્ય થાય ત્યાંસુધી આ વિવત કેમ હોય છે. આ રીતે હું અને મારું એમ બે ભાવો પ્રકટ્યા. તે પૈકી આ “મા” એ કારણતત્ત્વોનું આરંભથાન કહેવાય, તેમાંથી કાર્યરૂપે પ્રકટ થતાં સુધી નીચે પ્રમાણે વિકાસ થવા પામેલ છે. આ “મમ’ કિંવા મહાપ્રાણ ( વૃક્ષાંક ૬ ) માંથી પ્રથમ મહત્તત્વ (વૃક્ષાંક ૭) પછી અહંકાર (વૃક્ષાંક ૮ ) રૂ૫ વિવર્તે થયેલ છે. તે અહંકાર સત્વ, રજ અને તમ એવા ક્રમે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત રૂપે બનેલો છે. પછી તે જ ક્રમે સૂક્ષ્મ એવા મને મય, ઇકિયસમૂહ અને મિશ્રણ વગરના તદ્દન શુદ્ધ પંચમહાભૂતાદિ સમૂહના રૂપે બને છે. પછી ચિત્ત કિંવા નારાયણ (વૃક્ષાંક ૯), બુદ્ધિ (વૃક્ષાંક ૧૦ ) તથા મન (વૃક્ષાંક ૧૧) સ્વરૂપે તે વિવભાવને પામે છે. બાદ તે જ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) સ્વરૂપે વિવર્તભાવને પ્રાપ્ત થાય છે. આ રીતે કારણસૃષ્ટિની અંદર તત્ત્વોનો વિકાસ થઈ તે હવે કાયષ્ટિ એટલે સમષ્ટિ કિંવા વિરાટના અભિમાની એવા બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) સ્વરૂપે થયો. તેથી તેને કર્મ કિંવા વિસર્ગ પણ કહે છે. | વેદ અપૌરુષેય કેમ કહેવાય છે આ કર્મસૂષ્ટિને આરંભ પ્રથમ કારરૂપ અક્ષરમાંથી થયેલ છે. બ્રહ્મદેવે પ્રથમ આકાશ ઉત્પન્ન કર્યું તેમાં બ્રહાદેવના મૂલાધારાદિ ચકોઠારા આ કારરૂપ અક્ષરમાંથી જે ધ્વનિ અથવા શબ્દ ઉત્પન્ન થયા, તે જ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy