SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] અ! અને આત્મરૂપી ભગાથે સસ્પંથે લઈ જા; દેવ! તારી ઉપાસનાની રીત કહો; [ ૮૩ અર્જુનને થયેલો મોહ નષ્ટ કરાવી તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપેલી છે તે તેથી પણ ઉપનિષદ્ છે. ઈશ, કેન આદિ અપૌરુષેય ઉપનિષદો જેવાથી જણાશે કે તેમાં આવેલા મંત્રો કિંવા કે કેટલાક આખા તે કેટલાક થોડા ફેરફાર સાથે તથા કેટલાકના અંશો, પ્રત્યશે કેટલાકના અનુવાદો જ ગીતામાં હોવાનું સ્પષ્ટ રીતે જર્ણાઈ આવશે.૧ અપૌરુષેય ઉપનિષદ ઉપનિષદોમાં બે ભેદો પડે છેઃ (૧) અપૌરુષેય તથા (૨) પૌરુષેય. અપૌરુષેય ઉપનિષદોને કોઈ વ્યાવહારિક કર્તા હેત નથી. તે સ્વયં અને સ્વતઃસિદ્ધ હેઈ ઈશ્વરનિર્મિત કહેવાય છે. કેવળ અંતિમ ધ્યેય એવું જે તત્ત્વજ્ઞાન, તેને ઉપદેશ જેમાં હેય તેવા અતિ ઉચ્ચ જ્ઞાનવાળા અપૌરુષેય ઉપનિષદો વેદની સંહિતામાં પરિશિષ્ટરૂપે તથા આરણ્યકેમાંથી મળી આવે છે. આ રીતે ચાર વેદ તેની એક હજાર એકસો એંશી શાખા પ્રતિશાખાઓ હોઈ તે દરેક શાખાવાર અકેક ઉપનિષદ છે. તાત્પર્ય એ કે, અપૌરુષેય ઉપનિષદે વેદ યા આરણ્યકાદિમાં મળી આવે છે. કારણ કે આ બધાં જ્ઞાન સાધનો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે તેમાંથી જે મળી ન આવે તે સાચાં અપૌરુષેય ઉપનિષદો કહી શકાય નહિ.* સારાંશ, ઉપનિષદોનું મૂળ લક્ષ્ય તો કેવળ વેદનાં મહાવાનું પ્રતિપાદન કરવું એ જ એક હોય છે. પછી તે અપૌરુષેય હાય ના પૌરુષેય હેય. હવે અપૌરુષેય ઉપનિષદોને શ્રુતિ શા માટે કહેવામાં આવે છે, તે સંબંધમાં થોડો વિચાર કરવો આવશ્યક છે.. આત્મામાંથી થયેલ વિસ્તાર આ સમગ્ર બ્રહ્માંડાદિ જગત ઉત્પન્ન થવાને જે આરંભ થયો તેમાં સૌથી પહેલાં રમાકાશ ઉત્પન્ન થયું. તે પછી વાયુ, વહિ, જલ અને પૃથ્વી એ અમે આ બધું દયાળ વિસ્તારને પામેલ છે. જે થતાં પૂર્વે સૌથી પ્રથમ સ્ત્રી પુરુષનો સંભોગ થઈ વીર્ય અને રેત એકત્ર થઈ તેનું સૌથી પ્રથમ બુદ્દબુદ બને છે, પછી તે ધીરે ધીરે ઘટ બની કમે ધિર, મજજા, ત્વચા, માંસ ઇત્યાદિ ક્રમે છેવટે હાડકાંરૂપે બની ઘન કિવા નક્કર ભાવને પ્રાપ્ત થાય છે. તેમાં સૌથી સૂક્ષમ એવું એક તત્વ હોય છે કે, જેને ઈશ્વર કિવા પુરુષ એવી સંજ્ઞા શાસ્ત્રકારો આપે છે (વૃક્ષાંક ૨ જુઓ). કોળિયો જેમ પોતાનામાંથી જ લાળ કાઢીને તેનું મોટું જાળું બનાવે છે અને રમત પૂરી થઈ એટલે વળી પાછું તે પોતે જ ખાઈ જાય છે, તેમ આ ઈશ્વર પોતે જ પોતાનામાંથી પ્રથમ “હું એવા ભાવ રૂપે પ્રકટ થયો. આમ તેનું એકમાંથી બે પણું થવું તેને જ માયા કિવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩ જુઓ) એ સંજ્ઞા વડે કહેવામાં આવ્યું છે. હવે જે ઈશ્વરભાવ પ્રકટ થયો તે પૂર્વનું તેનું સ્વરૂપ તે તદન અનિર્વચનીય છે. તેને માટે જ શાસ્ત્રકારો આત્મા, બ્રહ્મ, ચૈિતન્ય, જ્ઞાન ઈત્યાદિ સંજ્ઞાઓ આપે છે (વૃક્ષાંક ૧ જુઓ). આકાશ જેમ સર્વત્ર વ્યાપેલું છતાં તદ્દન અલિત અને અસંગ જ હેય છે, તેમ આ આત્મસ્વરૂપ સર્વનું અધિકાન હવા છતાં પણ તે આ ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા તેમાંથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણો વડે થતાં તમામ કાર્યોથી તદ્દન અલિપ્ત હોય છે. તે અસંગ, નિર્વિકાર, નિર્ગુણ, નિરામય, અવ્યય, શાંત અને ફૂટસ્થ છે. આ જ સર્વ પ્રાપ્તવ્ય ધ્યેયનું અંતિમ એવું સ્થાનક છે. આ જગતાદિમાં જે જે કાંઈ ચાલી રહેલું છે તે સર્વને અંત તો નદીનો અંત જેમ સમુદ્રમાં થાય છે તેમ એક આત્મામાં જ થાય છે. સમુદ્ર સાથે એકરૂપ બનેલી નદી જેમ કરીથી જારી કરી શકાતી નથી, પરંતુ સમદ્ર અને નદી એ ભેદભેદો મટીને એકરૂપ તેમ તમામ ભેદોને નિરાસ થઈ જ્યાં એકતા થાય છે, તે જ અનિર્વચનીય એવું આત્મપદ છે. એ જ આ ઈશ્વર 'અને માયા તથા તેના કાર્યને વિષય છે. જ્યાં સુધી આ બેયની પ્રાપ્તિ થતી નથી, ત્યાંસુધીને માટે તે ગમે તેટલું મોટું ય નાનું કાર્ય કરવામાં આવે તે પણ તેમાં કેવળ એવી સમતા કદી પણ પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે ૧ શ્રી શાંકરભાગમાં ઘણે સ્થળે ઉપનિષદના આધારે ટાંકવામાં આવેલા છે. જિજ્ઞાસુએ ત્યાં જેવા. • વેદની અપૌરુષેયતા સંબંધે મહાકાળ પુરુષ વન કિરણશ ૧૧, ૩૪ તથા આમુખ અને દર પરશુરામ પ્ર૦ ૭ તેમ જ આગલા સિદ્ધાંતકાંડ અધ્યાય ૨, ૮, ૯, ૧૫, ૧૮ ઇત્યાદિ જુએ. સાંપ્રત કેટલાક ત્રિમ ઉપનિષદે ૫ણું મળી આવે છે, તેવી અપીય પનિષદે જ્યાં તે સંબંધમાં આ સ્પષ્ટતા કરેલી છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy