SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] માટે આત્મરૂપ એવા આ #નું જ સ્મરણ કર. ફરી ફરી તેને જ સ્મર. [ ૮૧ કરવા લાગ્યું કે મને કૃપા કરીને છોડી દે. સિંહે તેને ઘણું સમજાવ્યું કે તું તો મારે જાતભાઈ સિંહ છે, પરંતુ તેને ઘેટાપણાનો અભ્યાસ અતિશય દઢ થયેલ હોવાથી તે તો સાંભળે નહિ અને સિંહના પંજામાંથી છૂટીને નાસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેની આ ગભરામણ જેઈને સિંહને તો અંદરખાને હસવું આવે અને બહારથી તે તે તેને પોતાના સ્વરૂપનું સાચું ભાન કરાવવાનો પ્રયત્ન કરે, છતાં તે તે સમજે શાના ? છેવટે એક મોટી વાવ હતી ત્યાં તેને જબરાઈથી લઈ ગયો અને તેમાં પોતાનું અને તેનું પ્રતિબિંબ એક સાથે બતાવી સરખામણી કરી તથા ઘેટાના અને પોતાના રૂ૫ વચ્ચેનો ભેદ બતાવ્યો, ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે અરેરે ! હું તો સિંહ છું. ઘેટું તો કદી હતો જ નહિ. છતાં મેહ વડે ખોટી રીતે આજ સુધી પોતાને ઘેટું માની ભય વડે દુ:ખી થતો હતો. વિધિ અને નિયમવાક્યની સમજ આ ઉદાહરણ પ્રમાણે વેદ એ સિંહરૂ૫ સમજો. તેણે તું ઘેટું નથી પરંતુ સિંહ છે એમ સમજાવવાને માટે જે માગને ઉપયોગ કર્યો તે વેદમાંનાં નિયમવા સમજે. તથા પ્રતિબિંબ બતાવીને સિંહને પિતાનું સાચું સ્વરૂપ બતાવ્યું તે વિધિવાકયો સમજે. આમ વેદ, વિધિ અને નિયમ (વેદમાં વિધિ અને નિયમવાક્યો દ્વારા કરેલી પરિસંખ્યા કિંવા પરોક્ષવાદ વડે સમજાવ્યું છે તેની સ્પષ્ટતાને માટે સિદ્ધાંતકાંડ અધ્યાય ૨-૮-૯-૧૫-૧૮ જુઓ) એ બે પ્રકારનાં વાક્યો વડે પોતાનું સ્વરૂપ જીવાત્માને સમજાવેલું છે. નિયમવાક્ય વડે પરિસંખ્યા કરી સમજાવ્યું છે, તેથી વેદ પરોક્ષવાદી કહેવાય છે. અર્થ અને અનુવાદ એ બંને વાકયોનો સમાવેશ નિયમવાકયમાં થાય છે. સારાંશ એ કે આ બધા આત્મારૂપ છે. આત્મા વા બ્રહ્મથી ભિન ઈ છે જ નહિ, એવો એયભાવ સિદ્ધ કરવો એ વેદનો હેતુ છે. જેમ સિંહને તું સિંહ છે એમ સિદ્ધ કરી આપવાને બીજા સિંહને હેતુ હતો, તેમ તું દેહાદિ અથવા જીવાદિ નથી પણ આત્મા છે, તેથી આ બધું પણ તારાથી અભિન્ન એવું તારું જ સ્વરૂપ છે એવી એકવની ભાવના સિદ્ધ કરી તેવો સર્વોચ્ચ ભાવ પ્રસ્થાપિત કરીને તમામ ઝઘડાઓ મટાડવા એ વેદનો મૂળ હેતુ છે. આમ આત્મભાવનાના સિદ્ધાંતને માટે વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણુદિ દરેક શાસ્ત્રોમાં જે વાકયો છે તે આપ્તવાય હોઈ તે જ વિધિવાકયો છે. આ વિધિવો જ ગ્રાહ્ય હાઈ નિયમવા તે નિષેધરૂપ છે. તેથી મેં ઉપર કહ્યું છે કે પ્રકૃતિ અને તેનાં કાર્યોથી ભિન્ન એવાં આ બધાં મનુષ્યો કે તમામ યોનિઓ સહિત અહેમમાદિ સર્વ દયાળ આત્મરૂપ છે, એ રીતનો સર્વોચ્ચ નિશ્ચય દરેક મનુષ્ય કરવો એ જ વેદનાં વિધિવાક્યને હેતુ છે. પરંતુ પોતે સિંહ હેવા છતાં ઘેટાંના ટોળાના નિત્યપ્રતિ થયેલા સહવાસને લીધે પિતાને ઘેટું માની બેઠેલાને સમજાવવાને માટે ક્રમે ક્રમે જેમ અનેક યુક્તિઓને આશ્રય કરવામાં આવે છે, તેમ હું જીવું છું, હું વર્ણાશ્રમ ધર્મવાળો છું, કાળ દેશાદિ મર્યાદાવાળે છું, સ્ત્રી છું, શુદ્ર છું, પામર છું, દુ:ખી છું, બંધાયેલો છું વગેરે પ્રકારને લોકોને દઢ નિશ્ચય થઈ ગયેલા હોવાથી તેવાઓને સમજાવવાને માટે આ નિયમવાકયો કહેલાં છે. જે સ્વર્ગાદિ ફળની લાલચ બતાવનારાં છે; પરંતુ તેને અંત તો છેવટે વિધિવાકોમાં જ થાય છે. પોતે પોતાને અધમ કેણ માને? જેમ બાળકને રોગ મટાડવાને માટે તેને દવા પીવી હોય ત્યારે તેને પ્રથમ પંડાની લાલચ બતાવવામાં આવે છે. એટલે જે તે દવા પીશ તે તને આ પેડે મળશે એમ કહેવામાં આવે છે. તેમાં વાસ્તવિક પેડે આપવાનો ઉદેશ હોતા નથી પરંતુ દવા પાઈને તબિયત સારી કરવી એ જ હેતુ સાધ્ય કરવાનો હોય તેમ હંમેશાં વિષયસુખમાં જ રચ્યાપચ્યા રહેનારા તથા તે જ એક ધ્યેય છે એમ માની લઈ કેવળ તેની પ્રાપ્તિની ઈચ્છા વડે જ પ્રયત્ન કરનારા અજ્ઞાની જનોને માટે અનેક નિયમો તથા સંયમો બતાવીને તે વડે વ્યવહારમાં શ્રેષ્ઠ ગણાતા રાજ ઐશ્વર્યાદિક તથા સ્વર્ગાદિ પ્રાપ્તિની લાલચ નિયમવાકોઠારા વેદે બતાવી છે. આથી જેમ બાળકને દવાની સાથે પંડે પણ મળે છે, તેમ ઈદ્રિયોનો સંયમ, મનને નિગ્રહ, કમમાં કમ વસ્તુઓ વડે જીવનકમ ચલાવો એટલે ફક્ત જીવનને આવશ્યક હોય તે વસ્તુઓ કરતાં બીજી કોઈ વસ્તુઓને કદી પણ |
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy