SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગોતાદોહન ] જે શૂન્યરૂપ અવ્યક્ત પ્રકૃતિ વા અદૃશ્યને ઉપાસે છે તે ધેર અંધકારમાં પ્રવેશે છે; [ ૫૭ કિરણાંશ ૨૨ આત્મપ્રાપ્તિના અભ્યાસક્રમ રાજા મેલ્યાઃ મહાત્મન! આપે કૃપા કરીને અમેાતે ગહન વિષય ધણા જ સરળ અને સારી રીતે સમજાવ્યેા, હવે તેની ઉપાસના કિવા અભ્યાસ કેવી રીતે કરવા તે સમજી શકાય તેમ વધુ સ્પષ્ટ કરીને કહેશે। તામેટા ઉપકાર થશે. જો કે સિદ્ધાંતકાંડમાં તા આ બાબત આપ સ્પષ્ટ કરશે! જ, છતાં તે સમજવા માટે અમેા ભાગ્યશાળી બનીએ તે પૂર્વે આ ઉપાસનાને ક્રમ આપની પાસેથી સારી રીતે સમજવાની ઇચ્છા છે કે જેથી મુમુક્ષુએ!તે માટે તે માદક થઈ પડે. આત્મસાક્ષાત્કાર કેવી રીતે થાય? રાજાના ઉપર પ્રમાણેના પ્રશ્ન સાંભળીને કહ્યું, સાંભળેા, મારે તમેાતે આત્મસાક્ષાત્કાર માટે ઉપાસના કેવી રીતે કરવી તે કહેવાનું છે. પરંતુ જેની ઉપાસના કરવી તે ક્રાણુ, વે! અને કયાં છે? એ એક વખત સારી રીતે ધ્યાનમાં આવવાથી આત્માનું સાચું સ્વરૂપ લક્ષમાં આવી શકે છે, તેટલા માટે જ મેં અત્યાર સુધી આ બધું વિવેચન કર્યું . વળી સંતુ... અંતિમ ધ્યેય પશુ તે જ છે. જગતમાં શાંતિ તા આ ધ્યેયની પ્રાપ્તિ કરનારાએ જ પ્રાપ્ત કરી શકે છે. જગતમાં સાચેા માદÖક પણ તે જ થઈ શકે છે. અસ્તુ. હવે ઉપાસના સંબંધે સાંભળા; આત્માને જાણવા માટે વસ્તુતઃ તા કાઈ સાધનેાની જરૂર નથી; તે તે। સ્વતઃસિદ્ધ જ છે. જેમ સુત્રને હું સુત્રળું છું એમ જાણવાની જરૂર હાતી નથી, તેમ આ આત્માના સંબંધમાં પણ જાણેા. શ્રેષ્ઠ સુદ્ધિમાના તા તેનું વન સાંભળતાં સાંભળતાં તત્કાળ આત્માના અપરક્ષાનુભવ કરી લે છે. જેમ અરીસામાં જે વસ્તુનું પ્રતિબિંબ નેવાની ઇચ્છા હોય તેને અરીસાની સામે લાવીને મૂકવી પડે છે, ત્યારે જ તે વસ્તુનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, એ વાત તેા સના જાણવામાં આવી શકે તેવી તદ્દન સ્પષ્ટ જ છે; પરંતુ આકાશનું પ્રતિબિંબ જોવાની ઇચ્છા હોય તે! ફક્ત અરીસાની સામે જે જે વસ્તુએ પડી હેાય તે તમામને બાજુએ હઠાવી લેવી પડે છે. આમ અરીસાની સામે કાઈ પણ વસ્તુ (ભીંત પણ) ન હેાય એટલે તેમાં આકાશનુ પ્રતિબિંબ સ્વાભાવિક રીતે જ પડે છે. કારણુ તા સ્પષ્ટ જ છે કે, બીજી વસ્તુએની પેઠે આકાશને કાંઈ અરીસાની સામે મૂકી શકાય નહિ, કેમકે તે કાંઈ સામે મૂકી શકાય તેવી વસ્તુ નથી. તેથી અરીસામાં આકાશનુ પ્રતિબિંબ જોવું એટલે તકતા સામેની તમામ વસ્તુઓને હટાવવી, એટલું જ એક કાર્ય કરવાનું ઢાય છે; તેમ આત્માના સાક્ષાત્કાર કરવાના એટલે શરીર, વાણી, મન અને બુદ્ધિ ત્યાદિ વડે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમેા, તમા, અમારે, તમારે વગેરે રૂપે જે જે કઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સૂંધવામાં કે સ્વાદ લેવામાં આવે છે તે સતા વિલય કરવેશ. આ રીતે પેાતાસડુ સર્વ ભાવાના વિલય કરી નાખવા એટલું જ એક કાર્ય કરવાનું હાય છે, એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. હવે આત્માની ઉપાસના સબંધે સિદ્ધાંતકાંડમાં વિવેચન આવશે જ, છતાં અહીં સંક્ષેપમાં કહું છું. આત્મપ્રાપ્તિ માટે અભ્યાસની જરૂર છે ? જેમ પ્રથમ બતાવેલા દાડમના દૃષ્ટાંતમાં દાડમનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે વસ્તુતઃ અભ્યાસની જરૂર નથી; પરંતુ તેવા પ્રકારના તીવ્ર બુદ્ધિમાને તેા કવિચત જ સાંપડે છે કે જે એક વખત આત્માને ઉપદેશ સાંભળતાં સાંભળતાં જ તેવા પ્રકારનેાનિશ્ચય કરીને તત્કાળ નિર્વિકલ્પતામાં સ્થિત થઈ જાય છે. તે સિવાયના ખીજાઓને માટે તે। અભ્યાસની જરૂર હેાય છે. તે અભ્યાસ કરવાના નીચે મુજબ મુખ્ય ચાર પ્રકાશ છે: જેમ દાડમનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેા તેના ઉપર આ મેાસબી છે, આ લીંત્રુ છે, આ સંતરું છે વગેરે પ્રકારના કરવામાં આવતા આરેા ખાટા હેવાથી તે લીંબુ નથી, મેસ`ખી નથી, એ રીતે તેના ઉપર જે જે આરેપેા થયા હોય તે સર્વ આરેાપોને ‘આ નથી', ‘આ નથી' એ રીતે ત્યાગ કરવા અને શેષ રહે તે દાડમ; આ રીતે દાડમનું અનિચનીયતારૂપ સાચા સ્વરૂપનું જ્ઞાન કરી લેવું, અથવા તે। જેને મેાસ`ખી,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy