SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નાના IT ગીતાહન] તેમ જ સર્વ ભૂતેમાં એ આત્માને જુએ છે તે કોઈને કદી નિંદો નથી. [ ૩૩ (૧) પિતાને હું આતિક છું એમ માની તેવું કહેવરાવનાર તથા (૨) હું નાસ્તિક છું એમ માનનાર. આ રીતે બે પંથને જુદો જુદે આગ્રહ રાખનારાઓ તે જગતમાં જોવામાં આવે છે. પરીક્ષકના નિયમ પ્રમાણે તમે જે આ બે પ્રશ્નો કઈ પરીક્ષામાં જુદા જુદા પૂછે તો તે દરેકને પૂરા સો સો ગુણે આપવા પડશે, પરંતુ આપે તો હું બંને છું એમ કહ્યું છે, તેથી સો ગુણ આસ્તિકતા અને સે ગુણ નાસ્તિકતા બદલ એમ બસ ગુણે, જે મને એટલા પૂરતો પરીક્ષક નીમે તે હું તમને જરૂર રખાયું. કેમકે આમ કહેવામાં તમે સાચી આસ્તિકતા કિંવા શ્રદ્ધા પ્રકટ કરો છો. વિચાર કરો કે, “ હું આસ્તિક નથી કિંવા અશ્રદ્ધાળું ” એમ જે કંઈ કહે તો તેને એમ પૂછી શકાય કે “હું નાસ્તિક કિવા અશ્રદ્ધાળું ” એમ કહેવાની આપનામાં શ્રદ્ધા છે કે આપ બીજા કોઈ સાધન વડે તેમ કહી રહ્યા છે? સારાંશ, “હું નાતિક કિંવા અશ્રદ્ધાળું ' એમ કહેવું તેના મૂળમાં પણ શ્રદ્ધા જ રહેલી છે. તે મૂળ સ્વતઃસિદ્ધ એવી એક શ્રદ્ધાની જ (૧) હું નાસ્તિક કિંવા શ્રદ્ધાળું નથી અથવા (૨) હું આસ્તિક કિવા શ્રદ્ધાવાળા છું, એવી બે શાખાઓ વ્યવહારમાં હઈ દરેક મનુષ્ય તે તે શાખાઓને દુરાગ્રહ રાખે છે; પણ તે તે એક નાદાનપણું કિવા શ્રદ્ધાના સાચા સ્વરૂપનું અજ્ઞાન જ ગણાય ખરું ને? કેમકે મૂળ શ્રદ્ધા તો અનિર્વચનીય અને સ્વતઃસિદ્ધ હોવાથી તે વાણી, મન, બુદ્ધિ દત્યાદિ દ્વારા વ્યક્ત યાને પ્રકટ કરી શકાય તેવી નથી. કેમકે કોઈ પણ વસ્તુનું પ્રાકટ્ય થયું, એટલે એ વાત તે IT તદ્દન નિશ્ચિત થઈ કહેવાય કે આને આ પ્રમાણે પ્રકટ થવાની ક્રિયા કરવાની શ્રદ્ધા હતી. શ્રદ્ધા વગરનું કથાનું પ્રાકટય થવું કદાપિ શક્ય જ નથી. પછી તે ઉપર કહ્યા પ્રમાણે બે શાખાઓ પૈકી ગમે તે પ્રકારની હોય! આ સર્વ પ્રવૃત્તિ શ્રદ્ધા ઉપર કે ફી ઉપર ચાલી રહી છે? હે વિઠન! વિચાર કરો કે હું શિક્ષક છું એવા પ્રકારની આપને શ્રદ્ધા છે ખરી? જે તેવી શ્રદ્ધા જ ન હોય તો પછી તમો વિદ્યાર્થીવર્ગને શિક્ષણ કેવી રીતે આપી શકશે? વળી વિદ્યાર્થીઓની પણ તમારા ઉપર શ્રદ્ધા ન હોય તે તે શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? શ્રદ્ધા જ દરેકનું જીવન છે. માતા ઉપર વિશ્વાસ ન હોય તે બાળક કેમ કરી જીવી શકે? વિશ્વાસ જ ન હ ય તે પુરુષને સ્ત્રી થકી સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? અને વૃદ્ધોને બાળક ઉપર પ્રેમ પણ ક્યાંથી ઉત્પન્ન થાય? શ્રદ્ધા જ ન હોય તો ખેડૂત જમીન ખેડે જ કયાંથી? અનાજ વાવવાની અથવા સંગ્રહ કરવાની જે પ્રવૃત્તિઓ મનુષ્યો કરે છે તે છે વગર શ્રદ્ધાએ? તમે આ નોકરી દર મહિને પગાર મળશે તેવા પ્રકારની શ્રદ્ધા વડે જ કરે છે ને ? માટે આતોના શબ્દોમાં અવિશ્વાસ રાખવો એ મહાન શત્રુ સમાન છે. શ્રદ્ધા નામની પ્રેમાળ માતા એટલે ઉપર કરેલી મૂળ શ્રદ્ધા જ પિતાનાં બાળકે એટલે આતિક અને નાસ્તિકપણાની ભાવનાઓના આગ્રહી એને દરેક કુતકેવી સુરક્ષિત રાખે છે. સજજને ઉપર શ્રદ્ધા નહિ રાખનાર મૂઢ મનુષ્યને લક્ષ્મી કીતિ, કાર્ય સફળતા અને સુખ ઇત્યાદિ કદી પણ પ્રાપ્ત થતાં નથી. શ્રદ્ધા વિનાને પુરુષ બધી વાતે બાપ હીન-હીન બની જાય છે. સારાંશ, શ્રદ્ધા એ જ આખા જગતનો આધાર છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. કેમકે જે મૂળ શ્રદ્ધા જ નષ્ટ થાય તો પછી આ જગતમાં ચાલતા તમામ વ્યવહાર નાશ પામે. કદાચ તેમાં શંકા કરો કે જગતમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ મળનારાં ફળ ઉપર જ ચાલે છે, નહિ કે કેવળ શ્રધા ઉપર ! તે વિચાર કરી આમ કરવાથી પ્રત્યક્ષ ફળ મળશે એ ભાવના જ પ્રથમ કયાંથી ઉદભવે? શ્રદ્ધા સિવાય બીજા કોઈ સાધન વડે આવી ભાવનાઓ થાય છે કે શું? અરે! જરા વિચાર કરો કે તમે મહિના સુધી નોકરી કરશે તે તેનું ફળ પગારરૂપે પામશે; એટલે પ્રથમ કાર્ય અને પછી ફળ એમ થયું ખરું ને? પરંતુ આ કાર્ય કરવાથી આ ફળ મળશે એવી શ્રદ્ધા જે પ્રથમ હોય તો જ મનુષ્યો તે કાર્ય કરવા પ્રેરાય, કારણકે ફળ મળવાનું છે તે ભવિષ્યમાં, પ્રથમથી તો કાંઈ મળતું નથી, એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે. તે મને શ્રદ્ધા નથી એવા મતનો આશ્રય લે એ પણ શ્રદ્ધાને જ આશ્રય લેવા સમાન છે, એ વાત પણ નક્કી સિદ્ધ થાય છે, ખરું ને? તસ્માત જે મૂળ શ્રદ્ધા જ ન હોય તો આ સર્વ લોકેનો વ્યવહાર અટકી ૫ડશે. ખરેખર શ્રદ્ધા વગર તો શ્વાસ પણ લઈ શકાય તેમ નથી. આ ખરાબ છે કિવા આ સારું છે એમ કહેવાની જે પ્રતિ થવી તે પડ્યું તેવા તેવા પ્રકારની મહા વો જ છે; એ વાત પણ નિઃશંક રીતે સિદ્ધ થાય છે. IT I
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy