SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 9 અરિસામાં શરીર, મોઢું જોવું નહિ. ફિક નિધિમાં થોડી ઉણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું) રાખવી, આકંઠ ભોજન ન કિરવું. * નિવિમાં દ્રવ્યો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહિં વગેરે વગેરે. કિ ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. રાત્રે ૬ કલાકથી અધિક સુવું નહિં. (દિવસે તો સુવાનું છે જ નહિં). 8િ પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુરસાક્ષીએ કરવી. ચરવળો મુહપત્તિ વગેરે એક હાથથી દૂર જવા જોઈએ નહિ. સવારે પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરી ઉંઘવું નહિં. કિ કારણ વિના શરીર દબાવવું નહિં. 6 ભાઈઓએ બધા સાધુ મ.સા.ને, બહેનોએ બધા સાધ્વીજી મ.સા.ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરુ મ. આવે તે પહેલા જ હાજર થઈ જવું. વહિ કોઈની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના સ્વભાવ દોષથી સંઘર્ષ, સંકલેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. વ ચાતુર્માસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજિયાત છે.. કિ સાંજે સૂર્યાસ્તપૂર્વે પાણીમાં ચૂનો નાંખવાનું ભૂલવું નહિં. ટિક ચુનાવાળું પાણી ૭૨ કલાક ચાલે, બાદ નિર્જીવ તથા સુકી ભૂમિમાં ૭૨ કલાકની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે વધારાનું પાણી જયણાપૂર્વક પરઠવવું. કિ પરોઢીયે તમામ ક્રિયાઓ મનમાં કે અત્યંત ધીમા અવાજે કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ન થાય, ઉઠી ના જાય. જાણવા જેવું-અવનવું ગમે તે કારણે દિવસ પડે તો પૌષધ ઉપધાન બાદ ફરી કરી આપવા પડે, ઉપધાનની સાથે જ આલોચનાના પૌષધ કરો તો આયંબિલથી થાય, ઉપધાનમાંથી નીકળીને કરાય તો ઉપવાસપૂર્વક જ આઠ પ્રહરનો પૌષધ કરવો પડે. હરિ પ્રથમ પ્રહર વીતી ગયા બાદ પૌષધ લઈ શકાય નહિં િબંને ટાઈમ ક્રિયા કરતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જોવી, (હાડકા પંચેન્દ્રિયનું - કલેવર- ઈડા-પરૂ-લોહી- વગેરે નથી ને? તેની ચકાસણી કરી લેવી.) ૨ O
SR No.032355
Book TitleUpdhan Tap Dipika
Original Sutra AuthorN/A
AuthorPradipchandrasuri
PublisherPrabhavatiben B Shah
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy