SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આમ વિચારીને વિકરાળ સિંહે મોટેથી સિંહગર્જના કરી ને સિંહબાળનું ધ્યાન ખેંચ્યું અને ઈશારો કર્યો કે, અરે સિંહશિશુ ! તું તો મારી જાતિનું સંતાન છે. આ ઘેટાંઓની સાથે તું કેમ ભળી ગયું છે? તું તારી જાત માટે જાગ્રત થા.” પહેલી ગર્જનાનો સિંહના બચ્ચાએ કોઈ જવાબ ન આપ્યો. બચ્ચાએ સિંહને સંક્ત કર્યો કે, “હું ક્યાં સિંહ છું? હું તો ઘેટું છું. આ ઘેટાંઓની સાથે જ ખાઉં-પીઉં છું, જાગું-સૂવું છું. તારી અને મારી જાતિ એક નથી. મને ફોગટ ઉશ્કેરીશ નહીં.” વિકરાળ સિંહે તેને પ્રેમથી કહ્યું, “અરે બાળક, તને મારી વાત પર વિશ્વાસ ન હોય તો નદીના પાણીમાં તારું પ્રતિબિંબ જો અને પછી મારા ચહેરા સાથે તારા ચહેરાની સરખામણી કર. તને સ્વયં ખબર પડી જશે કે તું ઘેટું છે કે સિંહ?” સિંહના બચ્ચાએ નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પછી પોતાનો ચહેરો સિંહના ચહેરા સાથે સરખાવ્યો તો તેને સામ્ય દેખાયું. " વિકરાળ સિંહે તેને કહ્યું, “હવે તો તને પાકી ખાતરી થઈ ગઈ ને ? તું ઘેટું નથી, બલ્ક મારી જાતિનો સિંહ છે. જો હજી પણ શંકા હોય તો જો હું ગર્જના કરું છું તેવી રીતે તું પણ ગર્જના કર. આ ભરવાડ અને ઘેટાંઓ તારી સામે જોતાં જ ડરીને ભાગવા માંડશે.” સિંહના બચ્ચાએ જેવી ગર્જના કરી કે ઘેટાંઓ ડરના માર્યા ભાગ્યાં અને અહીં-તહીં વિખરાઈ ગયાં. આ સમયે ભરવાડે વિચાર્યું, “હવે આ સિંહબાળ મારા કહ્યામાં નથી, તે પોતાની જાતને સિંહ સમજવા માંડ્યો છે, એટલે તેને અહીં જ રહેવા દઈને ભાગી જઈએ. એમાં જ મારું ભલું છે.” ભરવાડ પોતાનાં ઘેટાંઓને લઈને ત્યાંથી ભાગી ગયો. સિંહનું બચ્ચું વિકરાળ સિંહની સાથે પોતાની જગાએ ગયું. આ દૃષ્ટાંત આત્માને પણ લાગુ પાડી શકાય. આ આત્મા પરમાત્માની જેમ જ સિંહસ્વરૂપ છે, પરંતુ કર્મોરૂપી ઘેટાં અને મોહરૂપી ભરવાડોના ભુલાવામાં પડીને પોતાના સાચા સ્વરૂપને ભૂલીને મોહના ઈશારા પર નાચે છે. કર્મવિકારોની સાથે તે પણ તે મુજબ વર્તવા લાગ્યો છે અને ૦ર રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy