SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા તો વિશિષ્ટ ઉપાયોથી દૂર કરી શકાય છે. પરમાત્મા પૂર્ણ શુદ્ધ હોવાથી તેમાં પોતાના સમસ્ત સ્વાભાવિક ગુણ પૂર્ણતાએ પહોંચી ગયા હોય છે, જ્યારે આત્મા હજી અશુદ્ધ હોવાથી એણે પોતાના સ્વાભાવિક ગુણોની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી નથી. કર્મ-વિકારોથી આચ્છાદિત હોવાને કારણે આત્મા હજી અશુદ્ધ છે. આ રીતે આત્મા અને પરમાત્મામાં મૌલિક ભેદ ન હોવા છતાં પણ દેખાતું ઔપાધિક અંતર તે કૃતક અને દૂર કરી શકાય તેવું છે. આત્મા અને પરમાત્મામાં દેખાતી ભિન્નતાનું કારણ આવરણ છે. આવરણો દૂર થઈ જતાં આત્માને પરમાત્મા બનવામાં કંઈ અવરોધ આવતો નથી. તે નિઃસંશયપણે પરમાત્મા બની જાય છે. વેદાંત પણ આ જ સિદ્ધાંતનું નિરૂપણ કરતાં કહે છે ‘તત્ત્વમસિ’ “તે (પરમાત્મા) તું છે.” આ રીતે શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ સ્વરૂપની અપેક્ષાએ જૈન શાસ્ત્રમાં ‘ì માયા' કહ્યું છે, એટલે કે આત્મા સામાન્ય હોય કે પરમ હોય, પણ એક જ છે. - - આનો અર્થ એ કે આત્મા સ્વભાવને છોડીને પરભાવમાં આસક્ત કે મૂર્છિત હોય, ત્યાં સુધી આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ-દ્વેષ વગેરેને કારણે કર્મબંધન થાય છે. આત્મા આ જ વિકારોને શરી૨ અને શરીરને સંબંધિત સાંસારિક બાબતોના નિમિત્તથી વારંવાર અપનાવે છે. આને પરિણામે જેટલું કર્મબંધન ગાઢ અને વિશેષ માત્રામાં થતું જાય, તેટલો આત્મા પરમાત્માથી દૂર ચાલ્યો જાય છે. તમે કહેશો કે આત્મા આ વિકારોને શા માટે ચોટે છે. જ્ઞાની પુરુષ દર્શાવે છે કે મકાન તો ઈંટ, ચૂનો વગેરેનું બનેલું હોવા છતાં મોહવશ મનુષ્ય તેને પોતાનું માની લે છે. અન્યની-પુત્રી હોવા છતાં પોતાના પુત્ર સાથે તેનાં લગ્ન થતાં તેના પર પિતાની મમતા જાગે છે. આ રીતે બાહ્ય વસ્તુઓ પર પણ નિક્ટના સંપર્કને લીધે મોહ જાગે છે. જે કર્મ શરીર સાથે સંબંધ રાખે છે, તેના પર પણ મોહ થઈ જવો સ્વાભાવિક છે. તેના પ્રત્યેના મોહને લીધે જ આત્મા અને પરમાત્મા વચ્ચે આટલી આત્મા બને પરમાત્મા ξε
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy