SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દો કહી દો, તો પણ સહી લેવું તે મારો સ્વભાવ છે. હું તને ક્ષમા આપું છું, પરંતુ સૌથી પહેલાં તારે તારા કુટુંબીઓ અને પડોશીઓની ક્ષમા માગવી જોઈએ. હવે તું નિશ્ચિત મનથી રહેજે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ફૂલાંબાઈએ આપની આજ્ઞા મુજબ કોઈની ય સાથે દુર્વ્યવહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને બધાંની ક્ષમા માગવાની ઇચ્છા ધરાવે છે. પોતાનું જીવન શુદ્ધ બનાવવા ઇચ્છે છે, ત્યારે તમે મારી સાથે શા માટે આવો છો ? ફૂલાંબાઈના ઘરે જ વસવાની કૃપા કરો.” આ સાંભળીને ફૂલાંબાઈને પરમ સંતોષ થયો અને ચિત્તને શાંતિ સાંપડી. ભગતે વિદાય લીધી અને ભગવાનને તેમણે સાચા અંત:કરણથી પ્રાર્થના કરી, જે ઈશ્વરે સ્વીકારી. બીજા દિવસે ફૂલાંબાઈનાં પરિવારજનો ઘેર આવવાનાં હતાં એટલે ફૂલાંબાઈએ તેમના સ્વાગત માટે થોડે દૂર સુધી સામે જવાની પૂર્ણ તૈયારી કરી. પરિવારના લોકોએ ફૂલાંબાઈને આવતી જોઈને ગાડીઓ થંભાવી અને બધાં એમાંથી નીચે ઊતર્યા. ફૂલાંબાઈએ ક્રમશઃ પોતાનાં સાસુ, સસરા, જેઠ, પતિ વગેરેનાં ચરણોમાં પડીને હાથ જોડીને ક્ષમા માગી અને નમ્રતાથી કહ્યું, “મેં તમારું મન ઘણું અને વારંવાર દુભાવ્યું છે, તમારી નિંદા, ચુગલી કરીને, તમારી સાથે અનેક પ્રકારનો કંકાસ-કજિયો કરીને તમારા લાગણીશીલ હૃદયને ઠેસ પહોંચાડી છે. તમારી બદનામી કરાવી છે. આ બધા ગુનાઓ માટે મને માફ કરો. હું ભવિષ્યમાં કદી આવું નહીં કરું, એવી તમને ખાતરી આપું છું.” ફૂલાંબાઈના આ આકસ્મિક જીવનપરિવર્તનને જોઈને સહુ આશ્ચર્યચકિત થઈ ગયાં. ફૂલાંબાઈને પૂછયું, “એવી તે શી ઘટના બની ગઈ ? અત્યાર સુધી નહીં અને આજે જ આ રીતે નમ્રતાભેર ક્ષમા માગવાનું કારણ શું ?' ફૂલાંબાઈ બોલ્યાં, “હવે પછી કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર નહીં કરવાની ભગત સામે પ્રતિજ્ઞા લીધી છે, એટલે મારી ભૂતકાળની ભૂલો માટે તમારી ક્ષમા યાચું છું. બીજા બધાની પણ ક્ષમા માગીશ. હવે તમે ક્ષમા કરશો તો જ મારો ભગવાન મારે ત્યાં વસશે, છે. રત્નત્રયીનાં અજવાળાં છે. ૪૬
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy