SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભગત બોલ્યા, “બહેન ! જેવી રીતે તારા એક પુત્ર સાથે અભદ્ર વ્યવહાર કરનારનું તું મુખ પણ જોવા ઈચ્છતી નથી, પછી ભલે ને એ વ્યક્તિ તને સોનાની થાળીમાં મધમીઠું ભોજન કેમ ન ખવડાવે ! તેવી જ રીતે ભગવાન માટે તો વિશ્વના તમામ માનવીઓ સંતાન સમાન છે. આથી કહેવાયું છે - “શિવ મતિ | ત્તિો નાતો નારે મિત્રતનું ” આ આખો સંસાર પ્રભુમય છે અને પ્રભુ જ સર્વસંસારમય છે. (સર્વ જગતમાં વ્યાપ્ત છે.) પ્રભુથી અને જગતથી ભિન્ન આ શરીર નથી.” સંત તુલસીદાસે કહ્યું છે – સિવારના સવ પણ નાની | करहुँ प्रणाम जोरि जुग यानी ।" સીતારામમય સર્વ જગત છે. તેને બંને હાથ જોડીને પ્રણામ કરું ભગવાનનાં પુત્ર-પુત્રીઓને તમે મારો, ગાળો આપો અને ભગવાનને સોનાની થાળીમાં ભોગ ચડાવો, તો ભલા ભગવાન તેનો કઈ રીતે સ્વીકાર કરે ?” ફૂલાંબાઈ બોલ્યાં, “નહીં કરે.” ભગત કહે, “બસ, આ જ કારણથી ભગવાન તારે ઘેર રહેવા નથી માગતા.” ફૂલાંબાઈએ પશ્ચાત્તાપપૂર્વક કહ્યું, “હવે હું સમજી. પરંતુ ભગતજી, એવો કોઈ ઉપાય છે કે જેથી ભગવાન તમારી સાથે ન આવે અને મારા ઘરમાં જ બિરાજમાન રહે?” ભગતે કહ્યું, “એવો ઉપાય છે અને તે ઉપાય તો તમારા હાથમાં જ છે.” ફૂલાંબાઈએ કહ્યું, “મારા હાથમાં કેવી રીતે? હું સમજી નહીં.” ભગત બોલ્યા, “જો, તું આજથી જ એમ સમજે કે આખો સંસાર ભગવાનનાં સંતાનોથી ભરપૂર છે અને હું પણ ભગવાનની છું. આથી આજથી જ પ્રતિજ્ઞા કરી લે કે હવેથી હું કોઈની સાથે લડાઈ-ઝઘડા નહીં કરું, ગાળો નહીં આપું, ચાડી-ચુગલી, દ્વેષ, છળકપટ કે મારપીટ નહીં કરે. બધાની સાથે વ્યવહાર રાખીશ. સહુ પર દયા, સ્નેહ, કરુણા, વાત્સલ્ય, સહાનુભૂતિ અને ક્ષમા રાખીશ. યથાશક્તિ જનતાની સેવા કરીશ, રત્નત્રયીનાં અજવાળાં ૪૪
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy