SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તમે ભોજન બીજે ક્યાંય કરશો નહીં. અહીંયાં જ આવજો.” આગંતુક ભગતે કહ્યું, “બહેન! કંઈ વાંધો નહીં. તમારા આગ્રહનો હું સ્વીકાર કરું છું. ભોજન બીજે ક્યાંય નહીં કરું. મારે જરા બજારમાં કામ છે, તે પતાવીને બરાબર ભોજનના સમયે આવી પહોંચીશ.” એક બાજુ ભગત બજારમાં કામ પતાવવા ગયા અને બીજી બાજુ ફૂલાંબાઈએ રસોઈનો પ્રારંભ કર્યો. શેઠને ત્યાં ભગત સમયસર ભોજન માટે પહોંચી ગયા. ફૂલાંબાઈએ થાળીમાં ભોજન પીરસ્યું. સાથે પોતાની વાણી પણ પીરસતાં બોલી, જુઓ ભગત ! આ કનું ઘર છે. અહીંયાં કોઈ વાતની ઓછપ નથી. તમારા માટે જ મેં ખાસ આ રસોઈ બનાવી છે, તેથી તમે કોઈ વાતનો સંકોચ ન રાખશો. જે વાનગી જોઈએ તે માગી લેજો.” ભગતે વિચાર્યું કે આ બહેનની કેટલીક વાત બરાબર છે, પરંતુ કેટલીક અતિ વ્યંગપૂર્ણ છે. મનુષ્યની પ્રકૃતિની ઘણીખરી પરીક્ષા તેની વાણી પરથી થઈ જાય છે. ફૂલાંબાઈની વાણી સાંભળીને ભગતે વિચાર્યું કે મારા જેવા અપરિચિત વ્યક્તિ સાથે પણ જો આ બહેન આવાં વચન ઉચ્ચારે છે તો પછી તેનાં ઘરવાળાં લોકો સાથે તો આનાથી પણ વધારે કટુ વચન અને કટુ વ્યવહાર કરતી હશે. હું ભગત છું એટલે આનાં વચન સાંભળવામાં કંઈ વાંધો નથી, પરંતુ આનાં ઘરવાળાં અને પડોશીઓ તો ઘણાં દુઃખી થતાં હશે. હું ભગત થઈને પણ આને ભક્તિનો રંગ ન ચઢાવી શકું તો મારી ભક્તિ કાચી છે.” આવું વિચારીને ભગતે ફૂલાંબાઈને કહ્યું, “બહેન ! હું શા માટે કોઈ વાતનો સંકોચ કરે જ્યારે તારા જેવી ચતુર નારી રસોઈ બનાવનારી હોય !” પોતાની પ્રશંસા સાંભળીને ફૂલાંબાઈને ઘણો ગર્વ થયો અને એ માટે પ્રભુની કૃપાનો આભાર માનવા લાગી. ભોજન કર્યા પછી ભગત પડોશના લોકોને પૂછવા લાગ્યા, “આ સ્ત્રી કોણ છે ? કેવી પ્રકૃતિવાળી છે ?” પડોશીઓએ કહ્યું, “આ હરિકૃષ્ણ શેઠની પુત્રવધૂ છે. તેની ખરાબ છેપરમાત્માનું નિવાસસ્થાના ૪૧
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy