SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આપશે, તેને હું મારું અડધું રાજ્ય આપીશ. આ માટે હજારો વિદ્વાનો દેશ-પરદેશથી આવવા લાગ્યા, પરંતુ રાજાના પ્રશ્નોનું સમાધાન કરવામાં કોઈને સફળતા ન મળી. આવા અસફળ વિદ્વાનોની મંડળી એક દિવસ પોતાના ખેતર પાસેથી પસાર થતી જોઈને એક ખેડૂતે પૂછયું, “કેમ ભાઈ ! તમે લોકો રોજેરોજ રાજમહેલના ધક્કા ખાવ છો, તો કારણ શું છે? પહેલાં તો આટલી મોટી ભીડ ક્યારેય જોઈ ન હતી.” પંડિતોએ રાજાના ઢંઢેરાની વાત કરી અને એના ચાર પ્રશ્નો ખેડૂતને કહી સંભળાવ્યા. આ સાંભળીને ખેડૂત બોલ્યો, “આ પ્રશ્નોના ઉત્તર સાવ સરળ છે. તમારા જેવા આટલું બધું ભણેલાગણેલા પંડિતો આના ઉત્તર કેમ આપી શકતા નથી તે જ મને સમજાતું નથી.” પંડિતો બોલ્યા, “તો શું તું ઉત્તર આપીશ શકીશ?” ખેડૂત બોલ્યો, “જો મને પૂછવામાં આવે તો ખાતરીપૂર્વક કહું છું કે હું જરૂર પ્રશ્નોના યોગ્ય ઉત્તરથી રાજાના મનનું સમાધાન કરી શકીશ.” આ અસફળ પંડિતો ખેડૂતને રાજદરબારમાં લઈ ગયા. રાજસિંહાસન પર બિરાજમાન રાજાને સંબોધિત કરતાં પંડિતોએ રાજાને કહ્યું, “રાજનું ! આ ખેડૂત આપના પ્રશ્નોના સાચા સમાધાનકારક ઉત્તર આપી શકશે. તેને પૂછો. રાજાએ પૂછ્યું, “ભગવાન ક્યાં રહે છે ?” ખેડૂતે સામો પ્રશ્નો પૂક્યો, “ભગવાન ક્યાં નથી રહેતા ?” રાજા નિરુત્તર થઈ ગયો. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, “ભગવાન શું ખાય છે?” ખેડૂતે જવાબ આપ્યો, “ભગવાન અહંકાર ખાય છે.” રાજાએ પૂછયું, “ઈશ્વર ક્યારે હસે છે?” ખેડૂત બોલ્યો, “જ્યારે બાળક માતાના ઉદરમાં હોય છે, ત્યારે તે ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરે છે કે ઈશ્વર ! મને આ અંધકારમાંથી પરમાત્માનું નિવાસસ્થાન ૩૧ ૩ ક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy