SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ યોનિઓમાં ફર્યા કરશે. પછી તો સાધ્યને હાંસલ કરવાની વાત તો માનવી માટે અત્યંત દૂરની વાત બની જશે. મનુષ્યએ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઈશ્વરશ્રદ્ધાથી કરેલા વિકાસ પર પાણી ફરી વળશે. આ માનવજાતિ માટે કેટલી મહાન હાનિ ગણાય ! આ બધી બાબતોને લક્ષમાં રાખીને પરમાત્મા પર આસ્થા રાખવી તે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય ગણાય. ઈશ્વરની સત્તા પર વિશ્વાસ ન કરવો એ તો પોતાની જાત પર વિશ્વાસ ન કરવા સમાન છે. જે મનુષ્ય પોતાની જાત ૫૨, પોતાના આત્મા પર વિશ્વાસ રાખે છે, તેણે પોતાના પૂર્વજો (માતા, પિતા, પિતામહ વગેરે) પર વિશ્વાસ કરવો જ પડશે. જો પૂર્વજો પર તે વિશ્વાસ કરે છે તો પરમપિતા પરમાત્મા પર પણ તેણે અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. આથી ‘નંદીસૂત્ર’માં કહ્યું છે “નવર્ડ નાપિયામો મળવ - “જગતના પિતામહ ભગવાન વિજયી હો.'' આ રીતે ઈશ્વરશ્રદ્ધા માનવીજીવનમાં અપૂર્વ ફળદાયી છે. જગતકલ્યાણમાં એ અત્યંત આવશ્યક અને સહાયક તત્ત્વ છે. આ જ શ્રદ્ધાના દોરને પકડીને તો કરોડો આસ્તિક પુરુષોએ પોતાની નૌકા સંસારસાગર પાર ઉતારી છે અને ઉતારશે. ઈશ્વરશ્રદ્ધાના અજવાળે O સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : સંવત ૨૦૦૬, કાર્તિક વદ ૧ ૨૯
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy