SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મારી દરિદ્રતામાં ભાગ નહીં પડાવી શકે.” છોકરીએ જવાબ આપ્યો, “હું તારી આ ઝૂંપડી કે દરિદ્રતા જોઈને મારા પિયર નથી જતી, પરંતુ એટલા માટે જાઉં છું કે ઈશ્વર પર તારી શ્રદ્ધા અડગ નથી. ઈશ્વર પર આધાર રાખવામાં નિર્બળ છે. આજે શું ખાવું તેની ચિંતા તું કાલથી કરે છે. મને મારા પિતાએ વીસ વર્ષ સુધી પાળી-પોષી અને કહ્યું હતું, “હું તારું લગ્ન એવા પુરુષ સાથે કરાવીશ, જેનામાં વૈરાગ્ય અને પૂર્ણ ઈશ્વરશ્રદ્ધા હોય. મને આજે ખ્યાલ આવ્યો કે તેમણે મારું લગ્ન એવી વ્યક્તિ સાથે કરાવ્યું છે કે જેને પોતાની આજીવિકા માટે ઈશ્વર પર વિશ્વાસ નથી.” ફકીરની આંખો ઊઘડી ગઈ. તેણે ગદ્ગદ કંઠે કહ્યું, “આ ભૂલનું પ્રાયશ્ચિત્ત ?” તે બોલી, “પ્રાયશ્ચિત્ત એ જ છે કે આ ઘરમાં કાં તો આ રોટલી રહેશે અથવા હું રહીશ.” ફકીરે તરત જ એ રોટલી એક ભૂખ્યા માનવીને આપી દીધી, તેથી એ કન્યાએ ફકીરના ઘરમાં રહેવાનું મંજૂર રાખ્યું. આ છે ઈશ્વરશ્રદ્ધાનો લાભ ! ઈશ્વરશ્રદ્ધાનું લક્ષણ અહીં બતાવ્યું છે – “નામાનામે સહુ કુદે, વીgિ મરી તદા | समो निंदा-पसंसासु, तहा माणावमाणओ ॥" ઈશ્વરશ્રદ્ધા ધરાવનાર સાધક લાભ અને ગેરલાભમાં, સુખ અને દુઃખમાં, જીવન અને મરણમાં, નિંદા અને પ્રશંસામાં તથા માન અને અપમાનમાં સદા સમ રહે છે.” શ્રીમદ્ ભગવદ્ગીતા'માં આલેખાયેલાં પરમાત્મભક્તનાં લક્ષણ આની સાથે મળતાં આવે છે. - "समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । शीतोष्ण-सुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥ तुलयनिन्दास्तुतिौनी संतुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः ॥" । જે શત્રુ અને મિત્ર પર, માન અને અપમાનમાં, શીત-ઉષ્ણ અને . ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy