SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે, પરંતુ આ કોઈ સસ્તો સોદો નથી. પોતાના જીવનમાં દુર્ગુણોને ન તજે અને પોતાનું જીવન સુધારે તો નામસ્મરણનો કશો અર્થ નથી. સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર(વૈદિક ભાષામાં ભક્તિ, જ્ઞાન અને કર્મ)નું સક્રિય આચરણ કરવું એ જ સચિ-આનંદ(ઈશ્વર)ને પ્રાપ્ત કરવા બરાબર છે. સમ્યગુદર્શન (કલ્યાણમાર્ગ વગેરે તરફ સાચી શ્રદ્ધા-ભક્તિ) થવાથી સત્ની પ્રાપ્તિ થાય છે અને સત્ હોય, તો જ્ઞાન પણ સમ્યફ થઈ જાય છે, એટલે કે ચિત(જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે. આ બંનેની સાથે જ્યારે સમ્યક ચારિત્રનું પાલન થાય છે, ત્યારે જીવનમાં અક્ષય અને શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય છે. નામસ્મરણ, જાપ, પૂજાપાઠ કે અન્ય ક્રિયાઓ તો ભાવના અને અભ્યાસને ઉદીપ્ત કરવા માટે સહાયક છે. જેવી રીતે ઘડો બનાવવા માટે માટી લાવવામાં ગધેડો પણ કુંભારને સહાયક છે. ઠંડો, ચાકડો પણ માટીના પિંડને ઘુમાવવા માટે અને ઘડો વગેરે વસ્તુઓ બનાવવા માટે સહાયક થાય છે, તે જ રીતે વિવિધ સાધનો ઈશ્વર-પ્રાપ્તિની ભાવનાને સતેજ કરવા માટે અને જપ, તપ અને વ્રત, નિયમ આદિનો અભ્યાસ કરવામાં સહાયક છે. આથી કહેવાયું છે – “ઈશ્વર મળે ન ગંગા નહાયે, ઈશ્વર મળે ન ભસ્મ લગાયે, ઈશ્વર મળે ન જટા રાખે, ઈશ્વર મળે ન ધૂણી ધખાયે || 1 || ભક્તિ તીર્થ હો, જ્ઞાન જળ હો, સદાચારનું જ્ઞાન, તેને જ મળે છે ભગવાન. || ૨ || સમ્યક દર્શન, ચરિત્ર સમ્યક સમ્યક હોય જ્ઞાન, એને જ મળે છે ભગવાન. || ૩ || કોધ, માનથી દૂર જ રહે, માયા, લોભને કદી ન રહે, વિષયાસક્તિમાં ન પડતો, રાગ-દ્વેષની મનમાં ન જડતા, શાંત, નગ્ન, સંતુષ્ટ, સરળ હો, અનાસક્તિની ખાણ, તેને જ મળે છે ભગવાન.” || ૪ | વિવેચન પરથી આપ સમજી ગયા હશો કે ઈશ્વરનું સ્વરૂપ શું છે ? તેના કેટલા પ્રકાર છે ? કોણ વ્યક્તિ સિદ્ધ-ઈશ્વર બની શકે છે ? વળી ઈશ્વરપ્રાપ્તિનો મુખ્ય કયો માર્ગ છે ?- --- ઈશ્વરનું સ્વરૂપ ૧૩ છે
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy