SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યૂયોર્કના પ્રસિદ્ધ અખબાર “ન્યૂયોર્ક ટાઈમ્સ'ના સંપાદક જ્યોર્જ જહોન્સને કેટલાક ધનાઢ્યોએ કહ્યું, “જો તમે અમારી ખરાબીઓની બાબતમાં કશું ન લખો, તમારા પત્રમાં ન છાપો અને ચૂપ રહો તો અમે તમને તેત્રીસ લાખ રૂપિયા આપીશું.” પરંતુ એ ચારિત્ર્યવીરે આ નિંદ્યકર્મના પ્રસ્તાવને ઠોકર મારીને પોતાની ચારિત્ર્યદેઢતાનો નમૂનો આપ્યો. સમ્યફચારિત્ર્યનો અર્થ હવે પ્રશ્ન એ થાય છે કે સમ્યક્ષ્યારિત્ર્ય શું છે? ખરેખર તો ધર્મનાં અહિંસા, સત્ય આદિ જેટલાં અંગ છે, તે બધાંનું અને જે ધર્મસાધના માટે જે હિતકર ક્રિયાઓ છે, તે બધાનું આચરણ સમ્યગુદર્શન-શાનપૂર્વક કરવું એ જ સમ્યક્ષ્યારિત્ર્ય છે. જે આચરણથી સાર્વત્રિક, સર્વકાલિક અને સર્વનું હિત થાય, તે સમ્યક્યારિત્ર્ય. એક આચાર્યએ આ જ આશયથી ચરિત્રનું લક્ષણ કહ્યું છે – "असुहादो विणिवित्ती सुहे पवित्ती च जाण चारितं" “જેમાં અશુભ (અહિતકર પ્રવૃત્તિ)થી નિવૃત્તિ થાય અને શુભ-પ્રવૃત્તિ થાય, તેને ચારિત્ર્ય સમજો.” આમ તો સંસ્કૃત ભાષા અનુસાર ચારિત્ર્યનો અર્થ થાય છે – “જે આઠ કર્મોને ચરે, ભક્ષણ કરે અથવા આત્મામાં વિચરે.” હૈ એટલે “સંચય” અને રીત એટલે ખાલી કરવું. જેમાં કર્મોનો સંચય ખાલી થાય તેને ચારિત્ર કહે છે. સમ્યફચારિત્ર્ય અને મિથ્યાચારિત્ર્ય સમ્મચારિત્ર્યમાં સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન સાથે સાથે રહે છે, જ્યારે મિથ્યાચારિત્રમાં આ બંને સાથે રહેતા નથી. વ્યક્તિ વિચાર્યા વિના, દૂરગામી દૃષ્ટિથી જોયા વિના અંધાધૂંધ પ્રવૃત્તિ કરતો હોય અને અવિવેકપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય, ત્યાં મિથ્યાચારિત્ર્ય છે. ભલે પછી આ મિથ્યાચારિત્ર્યમાં વધારે કષ્ટ સહન કરવું પડતું હોય, મિથ્યાચારિત્ર્ય દુશ્ચારિત્ર્ય કે દુરાચાર નથી. મિથ્યાચારિત્ર્ય અને દુશ્ચારિત્ર્ય વચ્ચે ઘણું અંતર છે. કેટલાક સાધક રસ્તા પર ચાલે છે, તો એમના પગની ગતિમાં ભૂકમ્પી પ્રેરણા થાય છે. કેટલાક લોકો રસ્તો જાણ્યા વગર રસ્તા પર ચારિત્ર્ય એ જ ધર્મ છે ૨૦૫
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy