SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધત્વ(ઈશ્વરત્વ)પ્રાપ્તિમાં પાયાની બાબત સાધના છે, આથી જૈનધર્મએ સાધના પર વિશેષ ભાર મૂક્યો છે. બાહ્ય વેશ કે ક્રિયાઓ પર નહીં. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે સ્પષ્ટપણે કહ્યું છે – 'न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेण, कुसचीरेण " तावसो ॥' માથું મુંડાવવાથી શ્રમણ થવાતું નથી. કારનો જપ કરવાથી બ્રાહ્મણ બનાતું નથી. નિર્જન વનમાં રહેવાથી મુનિ થવાય નહીં અને કુશાવસ્ત્ર ધારણ કરવાથી કોઈ તપસ્વી થતો નથી.” ઈશ્વર વિશે વિવાદ અહીં પ્રશ્ન એ થાય છે કે ઈશ્વરને જેઓ કર્તા, ધર્તા, હર્તા માને છે તેમના મતમાં અને જૈનદર્શનના મતમાં સમન્વય કેવી રીતે થઈ શકે ? ઈશ્વરને કર્તા-હર્તા માનવામાં કયો મહાલાભ છુપાયેલો છે? હકીકતમાં ઊંડાણથી વિચારીએ તો પ્રત્યેક માનવીના હૃદયમાં બેઠેલો ઈશ્વર (શુદ્ધ આત્મા) પોતાનાં કર્મોના કર્તા, ધર્તા અને હર્તા છે. આ દષ્ટિએ ઈશ્વરકર્તુત્વની વાતનો મેળ મળે છે. આ સિવાય અન્ય કોઈ ઈશ્વર(નિરંજન, નિરાકાર, સિદ્ધ)ને જો કોઈ કર્મોના કર્તા-ધર્તા માનીએ તો પક્ષપાત, અન્યાય આદિ આક્ષેપ સિદ્ધ-ઈશ્વર પર થશે. આથી “શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે – __'न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोग स्वभावस्तु प्रवर्तते ॥' પરમાત્મા (ઈશ્વર) લોકના કર્તૃત્વ અને કર્મોના ગ્રષ્ટા નથી. તે કર્મફળ સંયોગની રચના પણ કરતો નથી. ફક્ત સ્વભાવ એટલે કે પ્રત્યેક પદાર્થની સ્વાભાવિક પ્રવૃત્તિ અથવા પ્રત્યેક જીવ પોતાના કર્મમાં પ્રવૃત્તિ કરવામાં તથા તેનાં ફળ ભોગવવામાં અને કર્મોનાં બંધનને તોડવામાં સ્વતંત્ર છે. પાણિનિનું સૂત્ર “સ્વતંત્ર: વર્તા”નો આ જ અભિપ્રાય છે. કર્તા વ્યક્તિ પોતાનાં શુભ કે અશુભ કર્મો કરવામાં સ્વતંત્ર છે, તેથી ઈશ્વર(સિદ્ધ પરમાત્મા)ને આ વિવાદમાં નાખવા નહીં એ જ ઉચિત છે. સંત તુલસીદાસ “શ્રી રામરિત માન'માં પણ આ વાત ભગવાન રામના મુખે અભિવ્યક્ત કરે છે – ૮ રત્નત્રયીનાં અજવાળાં કલાકાર
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy