SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યમ કરતો અજ્ઞાની પુરુષ વારંવાર દોષો અને મલિનતાનો જ સંચય કરે છે.” જ્ઞાની અને અજ્ઞાનીનાં કાર્યોનાં ફળનો ભેદ સમજાવતાં કહ્યું છે. – " अनाणी कम्मं खवेइ बहुआहिं वासकोडी । તે રાણી તિહિં તો હવે સાસરિોગ !” જે કર્મબંધનોને અશાની કરોડો વર્ષોમાં તોડે કે ક્ષય કરે છે, તે જ કર્મબંધનોને જ્ઞાની મન, વચન, કાયા, ત્રણેય ગુણિઓથી મુક્ત થઈને એક શ્વાસોચ્છવાસમાં લય કરે છે.” સમ્યગૃજ્ઞાનમાં એ જાદુ છે કે તે આત્મસ્મૃતિને સદા જાગૃત રાખે કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે સમ્યકજ્ઞાની આત્મહિત અને સર્વહિતને વિચારીને કરશે. જ્યારે અજ્ઞાની આત્મવિસ્મૃત થઈ જાય છે. તે ભાન ભૂલી જાય છે કે હું શું કરી રહ્યો છું ? હું જે કંઈ કરી રહ્યો છું તેનાથી સ્વહિત કે પરહિત છે ખરું ? રાગ, દ્વેષ, મોહ વગેરેનું નિમિત્ત કારણ અજ્ઞાન છે અને દુઃખ, ભય, શોક આદિ માટે તે પરંપરા કારણ છે. સમ્યકજ્ઞાન હોય છે ત્યાં રાગ, દ્વેષ કે મોહ આદિ હોતાં નથી. એને જીવનમાં સુખ, નિર્ભયતા અને સમભાવ જ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી મોહ અને ભય અજ્ઞાનના કારણે દુઃખ, ભય, લોભ, દ્વેષ, ક્લેશ વગેરે થાય છે. કેટલાંક કાલ્પનિક દૃષ્ટાંતથી તેની છણાવટ કરીએ. એક સ્ત્રીનો પતિ બે વર્ષથી પરદેશમાં વસતો હતો. એનો વ્યાપાર-ધંધો ઘણો સારો ચાલતો હતો. એણે પત્નીને તારથી ખબર આપી કે તે અમુક દિવસે પરદેશથી રવાના થઈને દેશ આવી રહ્યો છે. આ ખબર સાંભળીને એની પત્નીને અપાર હર્ષ થયો. તે આતુરતાથી પતિના આગમનની રાહ જોવા લાગી. સમગ્ર પરિવાર આનંદિત થઈ ગયો હતો, પરંતુ રસ્તામાં ૧. ત્રણ ગુપ્તિ – ગુણિ એટલે મન, વચન અને કાયાનું રક્ષણ કરવું તે. તે ત્રણ છે. ૧. મનગુણિ – કલ્પનાઓના તરંગોને રોકી મનને શમભાવમાં સ્થિર કરવું તે. ૨. વચનગુપ્તિ – મૌન રહેવું. ૩. કાયમુતિ – શરીરને પાપમ્પ્રવૃત્તિથી રોકવું. -- | નમો નાણસા ૧oo.
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy