SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજ ગાંધીજીને લેખ બતાવવા ગયો. અંગ્રેજોનો આશય હતો કે આવો લેખ લખીને ગાંધીજી તથા અન્ય હિંદુસ્તાનીઓનું અપમાન કરવામાં આવે. ગાંધીજીના હાથમાં એ લેખ આપતાં અંગ્રેજે પ્રશંસાભર્યા શબ્દોમાં કહ્યું, અમારી પત્રિકા માટે આ એક અત્યંત સુંદર લેખ લખવામાં આવ્યો છે. તમે આને જુઓ અને તેનો સાર ગ્રહણ કરો.” મહાત્મા ગાંધીજીએ આ લેખ વાંચ્યો અને પોતાની કડક આલોચનાથી સહેજે ઉદ્વિગ્ન થયા વિના લેખનાં કાગળોને ભેગા રાખવા માટે લગાડેલી યુ-પિન પોતાની પાસે રાખીને અંજને લેખ પરત ર્યો. અંગ્રેજે લેખ પરત સોંપવાનું કારણ પૂછ્યું, તો ગાંધીજીએ કહ્યું, મેં આમાંથી સારભૂત વસ્તુ રાખી લીધી છે અને બાકીની પરત કરી છે.” અંગ્રેજ પણ આવો ખુમારીભર્યો ઉત્તર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. આમ, સમ્યગુદૃષ્ટિ ધરાવનાર અસાર વસ્તુઓમાંથી પણ સાર ગ્રહણ કરી લે છે. ખરાબમાંથી સારું ગ્રહણ કરવાનો જાદુ તેની દૃષ્ટિમાં આવી જાય છે. એક વાર શ્રીકૃષ્ણની સવારી દ્વારકા નગરીમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એક દેવે તેમની સમ્યગૃષ્ટિની પરીક્ષા કરવા માટે એક મૃત કૂતરી રસ્તાની બાજુમાં ફેંકી દીધી. શ્રીકૃષ્ણની સવારીની આગળ ચાલનારા લોકોને તેની ત્રાસદાયક દુર્ગધ અસહ્ય લાગવાથી નાક પર કપડું લગાવીને ધૃણા દર્શાવતા તથા ગણગણતા પસાર થઈ ગયા. શ્રીકૃષ્ણનો હાથી એ મૃત કૂતરી પાસે આવ્યો, ત્યારે એમણે મૃત કૂતરીને જોઈને ધૃણા પ્રગટ કરવાને બદલે મનોમન શરીરના નાશવંત સ્વરૂપનો વિચાર કરીને કહ્યું, જુઓ આ કૂતરીના દાંત કેટલા ચમકી રહ્યા છે.” બધા લોકો તેમની ગુણગ્રાહી સમ્યગુદૃષ્ટિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સમ્યફષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ આ છે સમ્યગુદષ્ટિનો ચમત્કાર ! જીવનમાં એવા ઘણા પ્રસંગો આવે - સમ્યગદર્શનનો પ્રભાવ ૧૬૧ ક ક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy