SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા-આત્મસ્વરૂપના સંબંધમાં એક છે તેથી સામાન્ય આત્મા અને વિશિષ્ટ આત્મામાં કોઈ ભેદ નથી, પરંતુ વ્યાવહારિક દૃષ્ટિથી તેના કર્મબદ્ધ અને કર્મમુક્ત એમ બે ભેદ પડે. બીજા શબ્દોમાં કહીએ તો સંસારી અને સિદ્ધ (મુક્ત) એમ બે પ્રકાર થાય. આ દૃષ્ટિકોણથી જૈનદર્શને ઈશ્વરની મુખ્ય ત્રણ શ્રેણી બતાવી છે : (૧) સિદ્ધ ઈશ્વર (૨) મુક્ત ઈશ્વર અને (૩) બદ્ધ ઈશ્વર. સિદ્ધ ઈશ્વર એવા સિદ્ધ પરમાત્મા. - મુક્ત ઈશ્વર શરીરધારી હોવા છતાં ચાર ઘાતી (આત્માના ગુણોનો સીધો નાશ કરનાર) કર્મોને નષ્ટ કર્યાં છે. રાગદ્વેષથી મુક્ત છે. માત્ર ચાર અઘાતી કર્મ શરીરના કારણે બાકી છે, એવા પરમો૫કા૨ી જિન, તીર્થંકર, અરિહંત, કેવલી, સર્વજ્ઞ, જીવન્મુક્ત, વીતરાગ કે અવતારી પુરુષ મુક્ત ઈશ્વર કહેવાય છે. - આઠ કર્મોથી મુક્ત, અશરીરી, નિરંજન, નિરાકાર - બદ્ધ ઈશ્વર આ શ્રેણીમાં સિદ્ધ અને મુક્ત ઈશ્વર સિવાય સંસારના તમામ કર્મબદ્ધ જીવનો સમાવેશ થાય છે. એમનામાં ઈશ્વરત્વ વિદ્યમાન હોવા છતાં પણ તેઓ કર્મોના કે (અન્ય દર્શનો અનુસાર) માયાના પડદા(આવરણ)થી ઢંકાયેલા હોવાને કારણે સુષુપ્ત રહે છે. હા, એવું ખરું કે કેટલાક જીવ પોતાના સુષુપ્ત કે પ્રચ્છન્ન ઈશ્વરત્વને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરે છે. વૈદિક ધર્મને માનનારા ઈશ્વરને એક માને છે, ત્યાં અનેક પણ માને છે. જો એવું ન હોત તો શ્રીમદ્ ભગવદ્ગીતા આવું કેમ કહે ? 'ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन ! तिष्ठति ।' ‘હે અર્જુન ! ઈશ્વર બધાં જ પ્રાણીઓના હૃદયપ્રવેશમાં વસે છે.’’ પરિણામે સાબિત થાય છે કે બધા જ આત્માઓમાં ઈશ્વરત્વ વસેલું છે. કોઈ એને પ્રગટ કરે છે અને કોઈનું અપ્રગટ રહે છે. આઘ શંકરાચાર્ય વેદાંતદર્શનમાં લખે છે साचेयं वेदबाह्लेवरकल्पना अनेक प्रकारा ( २ - २ - ३७) । વૈદિક મતથી જુદા મતમાં માનનારાઓ પણ ઈશ્વરને અનેક પ્રકારના માને છે.’ ઈશ્વરનું સ્વરૂપ ૫
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy