SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કોઈ એને “દૂધ' કહે છે, કોઈ “ક્ષીર' તો કોઈ દુગ્ધ', કોઈ “હાલુ તો કોઈ પાલુ', કોઈ વળી પર' કહે છે તો કોઈ મિલ્ક' કહે છે. શું આવા ભાષાભેદને લીધે દૂધના ગુણ બદલાઈ જાય ખરા ? કદાપિ નહીં. એ જ રીતે પરમાત્માનાં નામ અલગ અલગ હોવા છતાં પણ એના સ્વરૂપમાં કોઈ જુદાપણું નથી. પરમાત્માનું સ્વરૂપ તો પછી સવાલ એ થાય છે કે આવા વિભિન્ન નામવાળા ઈશ્વરનું સ્વરૂપ કેવું છે ? એક કવિએ પરમાત્માના સાચા સ્વરૂપનું આ પ્રમાણે વર્ણન કર્યું છે : જય હે, જય હે, જય ભગવાન. અજર, અમર, અખિલેશ, નિરંજન, જયતિ સિદ્ધ ભગવાન. ધ્રુવ... અગમ, અગોચર, તું અવિનાશી, નિરાકાર, નિર્ભય, સુખરાશી, નિર્વિકલ્પ, નિર્લેપ, નિરામય, નિષ્કલંક, નિષ્કામ... || જય હે || 1 || કર્મ ન કાયા, મોહ ન માયા, ભૂખ ન તિરષા, રંક ન રાયા, એક સ્વરૂપ અરૂપ, અગુરુલઘુ, નિર્મલ જ્યોતિ મહાન.... || જય હે !. હે અનંત ! હે અંતર્યામી ! અષ્ટ ગુણોના ધારક સ્વામી, તુજ વિના બીજો દેવ ન જોયો, ત્રિભુવનમાં અભિરામ || જય હે || આ છે ઈશ્વરનું વાસ્તવિક રૂપ ! જેને વૈદિકધર્મમાં અમર [કદી મૃત્યુ પામે નહ), અજર [કદી વૃદ્ધિ થાય નહીં, અશરીરી [શરીરરહિત-નિરાકાર] અને નિરંજન [નિર્લેપ), નિષ્કલંક [કોઈ પણ પ્રકારનો દોષ, આક્ષેપ કે કલંક જેમના આત્મામાં નથી], નિરામય [રોગ-શોકરહિત], અકર્મ [આઠેય કર્મો (કર્મબંધન)થી રહિત], નિર્મોહ [મોહરહિત], માયારહિત, સુધા-તૃષારહિત, દરેક પ્રકારના માનવીય પદ [રાજા, રંક, શેઠ આદિથી રહિત, અરૂપ [રૂપ, રંગ, આકૃતિથી રહિત] પવિત્ર જ્યોતિ સ્વરૂપે વર્ણવવામાં આવ્યો છે. તેને જૈનધર્મમાં સિદ્ધ ઈશ્વર કહ્યો છે. વ્યાકરણ અનુસાર સિદ્ધ' શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે - 'सितं भातं अष्टकर्माणि यस्याऽसौ सिद्धः' 'सिद्धानि सर्वकार्याणि यस्य सः सिद्धः' 'सिद्धं प्राप्तं साध्यं येनाऽसौ सिद्धः' જેનાં આઠેય કર્મબંધન (જન્મ-મરણના કારણભૂત) નષ્ટ થઈ ગયાં રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy