SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યું કે, “ગભરાઈશ નહીં. હું પોતે જ રાજાને વાત કરીશ અને તને નિર્દોષ સાબિત કરાવીને રાજાની આજ્ઞા પાછી ખેંચાવીને ફાંસીની સજા રદ કરાવવાનો પૂરો પ્રયત્ન કરીશ.” નમસ્કારમિત્રએ રાજાને બધી વાત કરીને રાજકુમારને નિર્દોષ સાબિત કરાવીને સજા રદ ન કરાવી, ત્યાં સુધી પોતે ભોજન પણ ન લીધું. રાજાએ રાજકુમારને નિર્દોષ માનીને નમસ્કારમિત્રને ઘેરથી સન્માન સહિત બોલાવીને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યો. રાજકુમારને ત્રીજા મિત્રે આપત્તિ સમયે મદદ કરી અને મુશ્કેલીમાંથી મુક્ત કર્યો. આ દૃષ્ટાંત છે સાચા-ખોટા મિત્રને પારખવાનું. આપણા આત્માને પણ આવા ત્રણ પ્રકારના મિત્રો છે. નિત્યમિત્ર સમાન આ શરીર ચોવીસે કલાક આત્માની સાથે જ રહે છે. એને ખૂબ ખવડાવેપિવડાવે છે. સ્નાન કરાવે છે. અત્યંત લાડ લડાવે છે, છતાં તે કષ્ટ, રોગ, ઘડપણ કે આફત આવતાં દગો કરે છે. આટલો બધો આદરસત્કાર આપવા છતાં શરીર આત્માનાં બંધનો કાપી નથી શકતું. તેથી જ શરીરને આત્માથી ભિન્ન અને અંતમાં સાથ ન આપનાર બનાવટી મિત્ર સમજીને તેના પર મમતા રાખવી નહિ, તે ઉચિત છે. માતા, પિતા, સગાં-સંબંધી બધા પર્વમિત્ર છે. તેઓ કર્મરૂપી રાજાનો કોપ થવાથી તેનાં બંધનોમાંથી છોડાવી શકતાં નથી. ત્રીજો મિત્ર છે “ધર્મ જે આપત્તિમાં શરણ આપે છે. તેની સહાયથી આત્મા કર્મથી મુક્ત બને છે. આત્મા અને કર્મને ભિન્ન સમજે છે. વસ્તુતઃ સાચો મિત્ર એ જ કે જે ઉપકાર કરે, સંકટમાં બચાવે અને સન્માર્ગ પર લઈ જવાનો પ્રયત્ન કરે. અહીંયાં આત્માનો સાચો મિત્ર આત્મા જ બતાવ્યો છે. “શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે - ____ पुरिसा ! तुममेव तुमं मित्तं, किं बहिया मित्तमिच्छसि ? હે પુરુષ (આત્મન) ! તું પોતે જ તારો મિત્ર છે. બીજા મિત્રની ઇચ્છા શા માટે કરે છે ?' આમ એક રીતે આપણો આત્મા આપણો મિત્ર છે તો બીજી રીતે શત્રુ પણ છે. આત્મા આ બનાવટી મિત્રોને અપનાવી લે છે, ત્યારે તે પોતાનો શત્રુ બની જાય છે. અને સાચા મિત્રને અપનાવે છે ત્યારે રત્નત્રયીનાં અજવાળાં છે ૧૧૬
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy