SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્ઠા અને ખુમારીનો રણકાર | ૧૫૯ પત્રકારે પોતે જ કેટલીક લક્ષ્મણરેખાઓ દોરવી પડશે. એ ખુમારી કેળવાશે તો એને કદાચ થોડીક મુશ્કેલીમાં મુકાવું પડે પરન્તુ યુનિયન-સંઘોના જમાનામાં કોઈ માલિક પત્રકારને તેની માન્યતા વિરુદ્ધ લખવાની ફરજ ન પાડી શકે – પત્રકારે પોતે જ આવી સૂચનાઓને ઇનકાર કરવો જોઈએ. આવી ખુમારી હશે તો જ એના શબ્દોમાં બળ આવશે. સાહિત્યકાર અને પત્રકાર ન ઇચ્છે તોયે સામાજિક ચેતનાના અભિગમથી તે અલિપ્ત રહી શકતો નથી. પડકારોનો રાતદિવસ સામનો કરવાની શિખામણ આપતા રહે છે. આવી શિખામણનાં સામાજિક પાસાંઓને તેણે નજરઅંદાજ કરવાં જ પડે છે. એની કલમમાં અને શબ્દમાં જો ખુમારીનો, નિષ્ઠાન રણકાર નહીં હોય તો એ જાતને જ બિન-વફાદાર પુરવાર થશે. ( પત્રકાર પોતે જ એની જાત સામેના પડકારનું કવચ બની શકે અને એ માટે જ તેણે પ્રયત્નશીલ થવું ઘટે. દુનિયાની સામે ઊભીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે છે તે જ કરવું, મારી જિંદગીમાંથી કે મારા બોલમાંથી જે કેટલીક વસ્તુઓ શીખવા જેવી હું માનું છું તેમાંની આ મહત્ત્વની છે. જેણે લોક વિરુદ્ધ અથવા મારા જેવા મહાત્મામાં ખપતા મનુષ્યોની સામે થઈને પણ પોતાનો અંતરનાદ બીજાને સંભળાવ્યો છે તેને વંદન હજો. એવી શુદ્ધ પણ શાંત સ્વતંત્રતા સૌરાષ્ટ્ર’ સહુને શીખવો એ હું ઇચ્છું છું.” -- મોહનદાસ કરમચંદ ગાંધી (શ્રી અમૃતલાલ શેઠ પર લખેલા પત્રમાંથી)
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy