SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ સજા કરી બેસે અથવા તે બઢતી અટકાવી દે. કેાઈ સત્તાધારી આવતાં તેના સ્વાગત-સત્કાર કરવામાં આવે નહી તે તે કદાચ દંડ કરે અથવા તેા ગામ પર તેના ખાફ ઊતરે કે પછી અમારા ગામની ઉન્નતિ માટે કશું નહી કરે. આ બધાં ભય-વિનયનાં ઉદાહરણ છે. કોઈ વિદ્યાર્થી એ કોઈક ભૂલ થઈ જવાથી સજા મેળવવાના ભયથી કે પરીક્ષામાં નાપાસ કરી નાખવાના ભયથી આધ્યાપક સમક્ષ વિનય ખતાવવા તે પણ ભય-વિનય છે. કોઈ સાધુથી કોઈ અપરાધ. થઈ ગયા તેા પ્રાયશ્ચિત્તથી બચવા માટે પેાતાનાથી મેટા ગુરુનું જે અધિક સન્માન કરે, તેમના પ્રત્યે બહુમાન દાખવે તે તે પણ ભયવિનય છે. અપરાધી સાધક જે પોતાના વડીલના કે ગુરુના આત્મિક ગુણાથી આકર્ષિત થઈને અથવા તે પેાતાના પર સાચા રૂપમાં નૈતિક અકુશ રાખીને માર્ગદર્શન કે શુદ્ધિ માટે તેમનું સન્માન કે બહુમાન નથી કરતા, અને એટલા માટે પણ નથી કરતા કે તેઓ સમાજના આચાર-વિચારને સુરક્ષિત રાખનાર કે તેમાં આવેલી વિકૃતિઓ, સ ંકીણ તા કે રૂઢિઆને દૂર કરનારા છે, તે તે પણ ભય—વિનય છે. ૩. અ-વિનય: પૈસાની પ્રાપ્તિ માટે ધનાઢય, સત્તાધારી અથવા માટા અધિકારીનુ સન્માન કરવામાં આવે અથવા તેા તેમને પુણ્યશાળી, ભાગ્યવાન, શેઠજી, બાબુજી વગેરે શબ્દોથી નવાજવામાં આવે કે પછી તેમને સભામાં. ઉચ્ચસ્થાન, અગ્રસ્થાન અથવા પદ આપવામાં આવે છે તે તે અથ – વિનય કહેવાય. પેાતાની નોકરી સલામત રાખવા માટે, વેતનમાં વધારા કરાવવા માટે અથવા પોતાના માલ ખપી જાય એટલા માટે કાઈ વ્યક્તિ કાઈક ધનવાન અથવા મૅનેજર પ્રત્યે વિનય દાખવે તે તે. પણ અ –વિનય છે. આમ જોવા જઈએ તે જે મુનિમ શેડનું સન્માન. કરે છે તે જ પોતાની નીચેના માણસાની નાની ભૂલ તરફ ગુસ્સાથી. 90 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy