SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોવાથી તે શુદ્ધ થઈ શકયાં નહીં અને ૯૪ ચોવીસીના કાળ પછી ૮૪ મી જેવીસીમાં શ્રેણિક રાજાને જીવ જ્યારે પદ્મનાભ નામક પ્રથમ તીર્થકર થશે ત્યારે લક્ષ્મણે સાધ્વીજીને જીવ મુક્તિ પ્રાપ્ત કરશે. આને અર્થ એટલે જ કે લક્ષમણ સાધ્વીજીએ કપટપૂર્વક આલેચના કરી, જેના દુષ્પરિણામ રૂપે તેમને ૮૪ વીસી સુધી ભવભ્રમણ કરવું પડયું. - સાર એ જ કે જેમાં નિર્દોષ બાળક પિતાના માતાપિતાની સામે જે વાત જેવી હોય તે રૂપે નિસંકેચ કહી દે છે, તે જ રીતે સાધકે પણ નિર્દોષ અને સરળ બનીને ગુરુ કે મુખ્ય વ્યક્તિની સામે કશાય ખચકાટ વિના જે બન્યું હોય તે યથાતથ કહીને આલેચના કરવી જોઈએ. આચના કરતી વખતે તેને ગુરુ કે મોટી વ્યક્તિથી ગભરાઈને ભાવે કે આશયને વ્યક્ત કરવામાં જરા પણ ફેરફાર કરે જોઈએ નહીં. ગુરુને “અકથનીય ગુણ ગુરુ પાસે જઈને શિષ્ય કઈ રીતે આલેચના કરવી જોઈએ? તેની વિધિ છેદસૂત્રોમાં વિસ્તારથી વર્ણવવામાં આવી છે. આલેચના સાંભળનાર ગુરુનું કર્તવ્ય પણ બતાવ્યું છે કે અપરાધી શિષ્ય પિતાના અપરાધને જે કંઈ રૂપે ગુરુની સમક્ષ પ્રગટ કરે, ગુરુએ તે વાત અન્ય કોઈની આગળ પ્રગટ કરવી નહિ. જે ગુરુ એમ કરે તો બધા જ અપરાધ ગુરુને માથે આવી જાય છે. તેનાથી સર્જનારા અનર્થના ગુરુ સહભાગી બને છે, કારણકે શિષ્ય તે ગુરુને માતાપિતા સમજીને પોતાને બધે જ અપરાધ દિલખેલીને રજૂ કરી દીધું. હવે જે ગુરુ એ વાત બીજાને કહે છે તે તે શિષ્યને બદનામ કરે છે અને એ વાત અનેક વ્યક્તિ સુધી પહોંચી જવાને કારણે બેઆબરૂ થવાના ડરથી આલેચના કરનાર શિષ્ય કેટલીકવાર આત્મહત્યા પણ કરી બેસે છે. તેનાથી ધર્મની નિંદા અને અવહેલના થાય છે, અને લોકોની શ્રદ્ધા ઘટી જાય છે. આથી ગુરુ એટલા ગંભીર હેવા - 60 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy