SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભ જૈન ધર્મમાં તપને આગ મહિમા છે. તપશ્ચર્યા એ ધમપાલનનું અગત્યનું અંગ છે. સ્વેચ્છાથી સમભાવપૂર્વક પોતાની ઈચ્છાઓને વિવિધ વિષયમાં જતી રોકવી તેનું નામ તપ. આ તપથી કર્મો અને વિષય કષાયોને મેલ અળગે થઈ જાય છે અને આત્માનું તેજ અને સ્વભાવ પ્રગટ થાય છે. તપના વિષય પર અહીં યુગદશી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મ. સા.ના વિચારે, ગહન ચિંતન અને મનનને જેવા પૂર્વે એ મહાન વિભૂતિની ભવ્યતાની થેડી ઝાંખી કરીએ. ક્ષિતિજની અટારીએ સૂર્ય ઊગે અને એ સૂર્ય જન અને વન, મહેલ અને માનવ, વૃક્ષ અને વનરાજી–બધું જ પ્રકાશિત કરે એ રીતે મહાન પ્રતિભાનું આગમન થાય ત્યારે એનાં પ્રકાશકિરણે માત્ર કેઈ એક જ ખૂણુને અજવાળતાં નથી, પરંતુ જગત આખા પર એનાં અજવાળાં પાથરી દે છે. આવી એક મહાન પ્રતિભા હતી સમયદર્શી
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy