SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા તે એને સંભાળપૂર્વક ઉપયોગ કરવામાં પણ ઉણાદરી તપ જ છે. અલબત્ત, આ કાપ કે આવી મર્યાદા સમજી વિચારીને, વિવેકપૂર્વક કરવી જોઈએ. આ તપથી શરીર અને ઇન્દ્રિય પર પ્રત્યક્ષ પ્રભાવ પડે છે. દેહ અને ઇન્દ્રિયની આદતે લાલચ, સુખ-સુવિધાઓમાં લપેટાવાની ઈરછા અને સાંસારિક વસ્તુઓને અત્યધિક ઉપયોગ કરવાની વૃત્તિ દૂર થાય છે. સ્વૈચ્છિક ઈચ્છાનિધિ કે સંયમ આવી જાય છે. આને જ વર્તમાનયુગની ભાષામાં “સ્વેચ્છાએ ગરીબી ધારણ કરવી કહી શકાય. મહાત્મા ગાંધીજીએ ઓરિસ્સામાં શરીરે માત્ર એક ફાટેલી, મેલી–ઘેલી સાડી લપેટેલી વૃદ્ધાને જોઈ હતી. મહાત્માજીએ તેને પૂછ્યું, “માતા ! સાડીને કેમ છેતી નથી? એ ડોશીએ દુઃખી સ્વરે કહ્યું, “આને કેવી રીતે જોવું? મારી પાસે પહેરવાને એક જ સાડી છે, ને તેય વળી ફાટેલી છે!” ડોશીને ઉત્તર સાંભળીને ગાંધીજી વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું – આ ભૂખ્યા – નગ્ન ભારત દેશમાં આપણને મોજ શોખ કરવાનો, અધિક વસ્ત્ર પહેરવાને અને ઉત્તમ સ્વાદિષ્ટ ભજન કરવાનો અધિકાર નથી. જે મારે દરિદ્રનારાયણની સેવા કરવી હોય તે મારે સ્વેચ્છાએ જ દરિદ્રતાનું વ્રત લઈને તેમનાં દુઃખોમાં હમદર્દી બનવું દિવસથી જ ગાંધીજીએ માત્ર એક પિતડી પહેરવાનું નક્કી કર્યું અને આખી જિંદગી એ જ પહેરી. લંડનની ગોળમેજી પરિષદમાં વાઈસરૉયને મળવા ગયા તે પણ પિતડી પહેરીને જ સાદા ભારતીય પોષાકમાં તેઓ વાઈસરોયને મળ્યા. મિત્ર ! આ છે ઉદરી તપનું રહસ્ય! ગાંધીજીની જેમ આજે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને સંપન્ન લેકે ઉદરી તપ કરે તે સમાજમાં ફેલાયેલી વિષમતા અને અવ્યવસ્થા દૂર થઈ જાય અને 34 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy