SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગયા. રૂપ અને લાવણ્યને જોઈને એમણે મેહને વ્યસર્ગ કરવાની જરૂર હતી. તેને બદલે તેઓ ખુદ મેહવશ બની ગયા. એમના મનમાં જાગેલી કામવાસના વાણીમાં પ્રગટ થઈ. રાજીમતીએ કેઈનાં પગલાંને અવાજ સાંભળે, તેથી તરત જ સાવધાન થઈ ગઈ અને અંગસંકેચ કરી લીધે, પરંતુ કામાતુર રથનેમિ રામતી સમક્ષ સાંસારિક કામભેગે માટે વિનંતી કરવા લાગ્યા. રાજીમતીએ જુદી જુદી યુક્તિઓ દ્વારા એમને ફરી સંયમમાં સ્થિર કર્યા. એ સાચું છે કે દ્રવ્ય-કાર્યોત્સર્ગની વ્યવસ્થિત તાલીમ મળી ન હોય તે વ્યક્તિ ભાવ-કાયોત્સર્ગ કરવામાં નિષ્ફળ જાય છે. ૧૯ થી સાવધાન! કાયોત્સર્ગની ઉચિત સાધના કરવા માટે સાધકે કાત્સર્ગના નીચે મુજબના ૧૯ દોષથી બચવાનું અને સાવધાન રહેવાનું હોય છે. બે ગાથાઓમાં આ ૧૯ દેશો દર્શાવવામાં આવ્યા છે. “ સ્થા ૨ વમે-૩ માટે જ સર ચંદુ–નિયે | लंबुत्तर थण उड्ढी संजय खलिणे य वायस कविट्ठे ॥ सीसोकपिय मूई अंगुलि-भमुहा य वारुणी पेहा । एए काउसग्गे हवं ति दोसा इगुणवीसं । ॥" (૧) ઘટક (૨) લતા (૩) સ્તંભકુડથ (૪) માલ (૫) શબરી (૬) વધૂ (અવનત) (૭) નિગડ (૮) લ ત્તર (૯) સ્તન (૧૦) ઊર્વિકા (૧૧)સંયતી (૧૨) ખલીન (૧૩) વાયસ (૧૪) કપિ (૧૫) શીર્વોત્કમ્પિત (૧૬) મૂક (૧૭) અંગુલિકાબૂ (૧૮) વારુણી (૧૯) પ્રેક્ષા-આ કાર્યોત્સર્ગમાં થતા ૧૯ દેષ છે. (૧) ઘટક-દોષ ઃ ઘોડાની માફક એક પગ ઊંચે રાખી ઊભા રહીને ધ્યાન કરવું એ ઘટક-દેષ છે. ઘેડો જ્યારે થાકી જાય ત્યારે એક પગ ઊંચે કરીને ઊભું રહે છે અને એ રીતે પિતાને થાક દૂર કરે છે. કાર્યોત્સર્ગમાં એવી રીતે ઊભા રહી શકાય નહિ. - 305- ~એ.-૨૦ કાયેત્સર્ગ
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy