SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મેટા-મોટા સકા અને ધારણાઓને સફળતાપૂર્વક પાર પાડી શકે છે. ભૂખ્યા-તરસ્યા રહેવાના અભ્યાસને લીધે દુકાળ સમયે અન્નસંકટની પરિસ્થિતિમાં કે કયાંક જ...ગલામાં કે દેશાન્તર કરવું પડે ત્યારે અચાનક સગવડ ન મળે તે પણ મનુષ્ય આનંદભેર ખાધાપીધા વિના કેટલાય દિવસે સુધી રહી શકે છે. આમ સમાજની શુદ્ધિ માટે તેમ જ પોતાની શુદ્ધિ માટે પણ પ્રાયશ્ચિત્તના રૂપમાં ઉપવાસનું ખૂબ મહત્ત્વ છે. વમાનયુગમાં માણસ એક પછી એક ભૂલ પર ભૂલ અને દોષ પર દોષ કયે જતા હાય છે, પર'તુ એ ભૂલને સુધારવા માટે પશ્ચાત્તાપપૂર્ણાંક એનુ પ્રાયશ્ચિત્ત કરતા નથી. ઉપવાસ દ્વારા દે।ષાનું પરિમાર્જન કરતા નથી, એથી એ દેાષા વધતા જાય છે અને સમાજ અનેક અનિષ્ટો અને દોષાનું ધામ બની જાય છે. પ્રાચીન કાળમાં સમાજના મુખી કે અગ્રણીના વ્યક્તિગત જીવનમાં કોઈ અનિષ્ટ જાગતું તેા એ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ઉપવાસ કરીને શુદ્ધિ પામતા હતા, સમાજ(સંઘ)માં પણ કેાઈ દોષ, અનિષ્ટ, ભૂલ કે અપરાધ થાય તેા તેના માટે કયારેક અનિષ્ટ આચરનારને પ્રાયશ્ચિત્ત કરાવીને કે કયારેક પોતે જ તેના દોષ માટે પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કરીને સમાજને શુદ્ધ રાખવાના પ્રયત્ન કરતા હતા. કેટલાય મુનિએ સમાજના અનિષ્ટો, ઉપદ્રા, અશાન્તિ, કલેશ વગેરેને દૂર કરવા અને સંઘ(સમાજ)માં શુદ્ધ વાતાવરણ સર્જવા માટે ઉપવાસ કે આમરણ અનશન(સાગરી) કરતા હતા અને સમાજને પણ એ ઉપવાસેામાં સામૂહિક-રૂપે ભાગ લેવાની પ્રેરણા આપતા હતા. " कषायविषयाहारत्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः शेष लंघनक विदुः ॥ ભગવાન મહાવીરે એ વખતમાં પ્રચલિત દાસ-દાસીનાં ખરીદવેચાણ અને તેમની સાથે થતા અમાનુષિક વ્યવહારની કુપ્રથાની વિરુદ્ધ અભિગ્રહ (સત્યાભિમુખી સ`પ ગ્રહણ કરવા, જેમાં સકલ્પપૂતિ સુધી ઉપવાસ કરવામાં આવે છે.) કર્યાં હતા. આમાં પાંચ મહિના અને 29માથે તપના પ્રકાર
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy