SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું સ્વ-રાજ્ય આપણી દૃષ્ટિ સાંસારિક પદાર્થાંમાં આસક્ત હાય છે, આથી સ'સારના પદાર્થોં રમણીય લાગે તે રાગ છે. રાગને કારણે આત્મા મમત્વબુદ્ધિમાં ખૂંપી જાય છે. કેાઈ પણ વસ્તુને જોવી, સાંભળવી, સૂંઘવી, સ્પવી કે ચાખવી તે પાપ નથી, પરંતુ પ્રત્યેક શરીરધારીને માટે આવુ કરવું અનિવાર્ય પણે આવશ્યક હાય છે; પછી તે ભલે પાંચ મહાવ્રતધારી સાધુ કેમ ન હેાય ! શરીર છે ત્યાં સુધી જોવાની, સાંભળવાની, ચાખવાની, સ્પર્શીવાની આદિ ક્રિયાઓ થતી રહે છે. પરંતુ જ્યારે આપણે મનવાંછિત વસ્તુને જોઈ ને એના પર આસક્ત થઈ એ છીએ; મધુર કણપ્રિય શબ્દો સાંભળીને મુગ્ધ થઈ જઈએ છીએ; સ્વાદિષ્ટ વાનગી ચાખ્યા પછી તેને અધિક પામવા માટે આતુર બની જઈએ છીએ; કોમળ અને ગલીપચી કરે તેવી વસ્તુને સ્પર્શ કરી માહિત થઈ જઈ એ છીએ તે રાગ છે. કોઈ સુગંધિત પદાર્થોની મહેક અનુભવતાં વિભાર બની જઈએ છીએ અથવા તા કાઈ કુરૂપ વસ્તુ જોતાં એની ઘૃણા કરવા માંડીએ છીએ; નિંદા કે અપશબ્દ જેવા કણુ કટુ શબ્દો સાંભળીને ધૂંવાંપૂવાં થઈ જઈ એ છીએ અથવા કડવી કે એસ્વાદ ચીજને ચાખતાં જ થૂ-થૂ કરવા માંડીએ છીએ; કશ અને ખરબચડી વસ્તુને સ્પ થતાં અકળાઈ એ છીએ અને બદબૂ ધરાવતા પદાર્થોની દુગંધ નાકમાં પડતાં જ મેઢું મચકોડવા માંડીએ છીએ. આ બધાથી રાગ અને દ્વેષની પરિણિત થાય છે. રાગદ્વેષની પરિણતિથી કર્મબંધન થાય છે. આમ બ્યુલ્સ તપમાં એક બાજુ માહ્ય વસ્તુઓને ત્યજવાના અભ્યાસ કરવા પડે છે. આના અર્થ એટલેા કે અન્ય કોઈ વ્યક્તિ દુ:ખ, હેરાનગતિ, સકટ કે મુસીબતમાં પડી હાય ત્યારે આપણે જેને આપણી પ્રિયમાં પ્રિય વસ્તુ માનતા હાઈ એ તેને છેડવાના અભ્યાસ કરવાના હાય છે; એ વસ્તુ તરફ મમત્વ બુદ્ધિથી રહિત થઈને તેના નિઃસ્વાર્થ અને નિસ્પૃહ ભાવના સાથે ત્યાગ કરવા પડે છે. બીજી બાજુ જે વસ્તુ આપણી પેાતાની નથી અથવા તે આપણને એ.-૧૯ 289 વ્યુત્સગ -તપનું વિરાટ રૂપ
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy