SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકાને અનુરૂપ વ્રત-નિયમ આદિનું પાલન થતું હેય. આવું હોય તે જ તમારું ધ્યાન તપની કોટિમાં આવી શકે. અન્યથા એ તપ નહીં પણ તાપ થઈ જાય. પોતાનાં મન, ઇન્દ્રિય. અને શરીરને બેટી રીતે આધિ, વ્યાધિ અને ઉપાધિની ભઠ્ઠીમાં જે તપાવતે રહે છે તેને માટે મોક્ષ તે દૂર રહ્યું, બલકે એ સાંસારિક સુખ. પણ મેળવી શકતા નથી. આવા દુર્ગાની રાત-દિવસ ચિંતાની આગમાં સળગતા રહે છે, વિષયવાસનાઓ અને કષાયના દાવાનળથી દાઝતા. રહે છે. એમને શુદ્ધ, શીતળ અને મધુર જલ સમાન પરમ શાંતિદાયક ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનરૂપી જળ જડતું કે મળતું નથી.. તમારે માટે આવી શાંતિ, નિશ્ચિતતા અને સુખનું વાતાવરણ છે, પરંતુ એને મેળવવા જે તપસ્યા જરૂરી છે તેનાથી ઘણું દૂર ભાગે છે. તમે તે શું પણ પિતાને મોટા સાધુ કે તપસ્વી તરીકે ઓળખાવનારાઓ પણ એને પ્રાપ્ત કરવા માટે એવું તપ કરી શક્તા નથી. આ કારણે જ અપ્રશસ્ત કે બેટું ધ્યાન તપ બનતું નથી. મનુષ્યનું મન તે કંઈક ને કંઈક ચિંતન કરતું જ રહે છે. એને કશુંય ચિંતન કર્યા વિના ગાંડ મારીને રાખી શકાય નહીં. મન. તે પિતાના સ્વભાવ પ્રમાણે સારા કે ખરાબ કેઈ ને કઈ વિચાર તે કરશે જ. તમે મનને સારા વિચારોમાં કે શુભ ચિંતનમાં નહીં જેતરો તે એ અશુભ ચિંતનમાં લાગી જશે. મન એ નહીં વિચારે કે આ સાધુ છે કે આ ગૃહસ્થ છે. આથી પોતાના મનને મલિન વિચાર, અશુભ ચિંતન અને અપ્રશસ્ત તરફ લઈ જનાર પોતાના જ હાથે પિતાના આત્માની ઘોર બેદે છે અને જાતે જ પિતાના પગ. પર કુહાડી મારે છે. ધ્યાનનાં બે રૂપ મહાપુરુષોએ ધ્યાનમાં બે રૂપ દર્શાવ્યાં છે એક, અપ્રશસ્ત એટલે. કે અશુભ ધ્યાન અને બીજુ, પ્રશસ્ત એટલે કે શુભ ધ્યાન. અપ્રશસ્ત ધ્યાન ત્યાજ્ય છે અને પ્રશસ્ત ધ્યાન ગ્રાહ્ય છે. કેઈ કહે કે અપ્રશસ્ત ધ્યાન ખરાબ અને ત્યજવાયેગ્ય હોય તે પછી શાસ્ત્રોમાં કે તપના. 251 ધ્યાતા, ધ્યાન અને ધ્યેય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy