SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ "ઉત્થાનપથગામી બનાવે છે. આનાથી આત્મા ધીરે ધીરે કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને મુક્ત થાય છે. જૈનાચાર્યોએ ધ્યાનનું લક્ષણ આપતાં કહ્યું છે કે કઈ પણ એક આબતનું અંતમુહૂર્ત સુધી ચિંતન કરવું, કારણ કે અંતમું હૂર્તથી વધુ સમય કેઈ એક વસ્તુમાં ચિત્તને સ્થિર રાખવું મુશ્કેલ છે. આથી કહેવાયું છે, "अन्तर्मुहूर्तमात्रं यदेकाग्रचित्ततान्वितम् । तद्ध्यान चिरकालीनां कर्मणां क्षयकारणम् ॥" અંતમુહૂર્ત સુધી કઈ વસ્તુમાં ચિત્તની એકાગ્રતા થવી તે ધ્યાન છે. એ (શુભ ધ્યાન) ઘણા સમયથી બાંધેલા કર્મોને ક્ષય કરવાનું કારણ બને છે. પતંજલિના એગદર્શનમાં પણ આ જ આશય નજરમાં રાખીને એનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. તબન્ધતાના ચાનમ્ ” તે તેમને નીત) વસ્તુ પ્રત્યે એકલીન થઈ જવું તે ધ્યાન છે. આ દૃષ્ટિએ ધ્યાન અને ભાવધર્મમાં ભેદ છે. ધ્યાનમાં વ્યક્તિ કઈ એક વસ્તુના સ્વરૂપનું ચિંતન કરવામાં એકાગ્ર બની જાય છે, -જ્યારે ભાવધર્મમાં વસ્તુ, પરિસ્થિતિ, સંગ અને નિમિત્તેને જોઈને અથવા પ્રાપ્ત કરીને સારી પરિણતિ કરવામાં આવે છે, સારા વિચાર કરવામાં આવે છે. ધ્યાનમાં એ બાબત સામે હોય પણ ખરી અને ન પણ હોય. સામાન્ય રીતે તે ધ્યાનમાં વસ્તુ પ્રત્યક્ષ હોતી નથી. વળી કઈ પરિસ્થિતિ, સંગ કે નિમિત્ત તે સહેજે સામે હતું નથી. આમાં તે પિતાના જ વિચારને અનુકૂળ ધ્યાતાએ એ વસ્તુના સ્વભાવસ્વરૂપ પ્રભાવ આદિનું મનમાં વિશ્લેષણ કરવું પડે છે. ભાવધર્મથી એ વસ્તુ અથવા પરિસ્થિતિ પર તાત્કાલિક શુભ-અશુભ, હિત૧. ધ્યાનનું આ લક્ષણ છદ્મસ્થ દૃષ્ટિએ આપવામાં આવ્યું છે. કેવળીનું ધ્યાન તે યોગ(મન, વચન અને કાયાના વ્યાપારો)ના વિરોધ રૂપે છે જે એક જ પ્રકારનું હોય છે અને તેમાં કઈ ભેદ-પ્રભેદ હૈ નથી. 248 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy