SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દૃઢ ભાવના નહીં જાગે ? કોનામાં ધમપાલનની વીરતા નહિ ઉત્પન્ન થાય ? અથવા તેા કાને બધાં જ સુખ-વૈભવ હાવા છતાં ગૃહત્યાગ અને વનવાસનું કષ્ટ સહન કરવાની પ્રેરણા નહીં મળે ? શું મહાસતી ચંદનબાળાનું વણ ન સાંભળીને એક તપસ્વી, તેજસ્વી, બ્રહ્મચારિણી નારીનુ... ચિત્ર માનસપટ પર અંકિત થઈ જતું નથી ? સતી રાજીમતીનું વણુ ન સાંભળીને શ્રોતાનું મન વૈરાગ્યની સિરિતામાં વહેવા લાગતું નથી ? કથા ગમે તેવી હાય, કોઈ પણ હોય, પરંતુ કથાના અર્થઘટન પર એના આધાર છે કે એ કથા ધમ અને વૈરાગ્યરસ તરફ શ્રોતાઓને લઈ જાય છે કે પછી કામરસ ભણી ખેચી જાય છે? આમ તે શાસ્ત્રામાં પણ સ્ત્રીએનાં નખશિખ સુધીનાં અંગોપાંગનાં વણ ના આવે છે, પરંતુ ત્યાં એ વણ નાના ઉદ્દેશ શુ ́ગાર રસ જગાડવાના નથી. આથી આ કથા સ્ત્રી-વિકથા નથી, પરંતુ સ્ત્રી-સુકથા જ છે. ર. ભેજન-વિકથા આહારની આસક્તિપૂર્ણ ચર્ચા કરવી અથવા તે ભાજનના સ્વાદની વાતા કર્યાં કરવી તે ભાજન વિકથા છે. આવી વિકથાથી કરનારમાં અને એ સાંભળનારમાં રસલેાલુપતા પેદા થાય છે. સ્વાદ પર વિજય મેળવવા ઇચ્છતા સાધક અથવા તે બીજાએની સ્વાદેન્દ્રિયની આસક્તિ ઓછી કરવા ઇચ્છતી વ્યક્તિને માટે આવી ભેાજન-વિકથા અવરોધરૂપ બને છે. ભાજન વિકથા સાંભળીને ગૃહસ્થ એના આર'ભ-સમાર`ભ કરશે. પરિણામે છકાય જીવાના વધની અનુમાદના થશે અને ગૃહસ્થની હિંસા (પછી ભલે એ આરભની હિ.સા હાય, તે પણ) વધશે. વળી કદાચ સાધુવ પણ એ આહારને લે તે એમાં રહેલી એષણા આદિના વિચાર નહીં કરી શકવાને લીધે એમની ભિક્ષા-ચરીમાં દોષ લાગશે. સ્વાદવિજયની મહત્તા " આ પ્રકારના આહારને ઉપાશ્રયમાં લાવીને ભાજન કરતી વખતે પણ ઇંગાલ આદિ દોષ લાગશે. વળી લેાકમાં પણ આવા સાધુ તરફ અશ્રદ્ધા અને અવહેલના જાગશે કે, “આ સાધુ સ્વાદલેાલુપ છે. સારું 233 વિકથા અને ધકથા
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy