SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ હશે, પણ અમે તે અમર નથી. જો તમે ઝડપભેર કાર્ય કરી શકતા ન હો તે અમને સોંપી દે.” બંને ભાઈઓએ પિતાની સુશીલ પત્નીઓને આ કાર્ય સંપી દીધું. બસ, પછી જોવાનું શું? બંનેએ કુશળતાથી મંદિર-નિર્માણનું કાર્ય હાથ ધર્યું. અનેક શિલ્પીઓ પાસે રાત-દિવસ કામ કરાવીને ખૂબ જ ઝડપથી માત્ર દોઢ વર્ષમાં આ કલાપૂર્ણ વિશાળ જૈનમંદિરના નિર્માણનું કાર્ય પૂરું કર્યું. આ મંદિરની શિલ્પકલા જોઈને આજે પણ લેકે આશ્ચર્યચરિત બની જાય છે. | સંગાને સ્થાને ધર્મરસ આવું ભગીરથ પુણ્યકાર્ય કરનારી બહેનની કથા શું સ્ત્રી-વિકથા. ગણાય? ના, કદાપિ નહિ. આ તે સ્ત્રી-સુકથા જ ગણાય કે જેમાંથી અનેક નર-નારીઓને પ્રેરણા સાંપડે છે. આવી ધર્મપરાયણ સ્ત્રીઓના. પતિ વસ્તુપાળ અને તેજપાળ એક દિવસ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. એમણે જે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો કે એમના કાનમાં શબ્દો પડ્યા : “અરે વહુ સંસારે સા મિત્રોના ” “આ અસાર સંસારમાં જે કંઈ સારરૂપ વસ્તુ હોય તે તે મૃગનયની(નારી) છે.” આ શબ્દો સાંભળતાં જ વસ્તુપાળ અને તેજપાળના હૃદયને આંચકો લાગ્યો. એમણે વિચાર્યું કે જે શૃંગારપષક વચને સાંભળી રહ્યા છે ! એ શું ધર્મગુરુના મુખમાંથી સર્યા છે. એમને સાંભળેલી. વાત પર વિશ્વાસ બેઠે નહીં. બંને ભાઈઓ વ્યાખ્યાન-મંડપમાં દાખલ થયા કે ગુરુ મહારાજે એમના ચહેરા પરથી જાણી લીધું કે એમને પેલા કથનથી થેડી અરુચિ જાગી છે. હકીકતમાં ગુરુ મહારાજે આ શૃંગારરસ ભર્યું વાકય ધર્મપિષક અર્થને સમજાવવા માટે કહ્યું હતું અને તેઓ શ્રેતાઓની સમક્ષ આની છણાવટ કરવા ઈચ્છતા હતા. એકાએક અધવચ્ચે બને. 230 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy